Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ખાતે હઝરત ખ્વાજા અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો નો ઉર્ષશરીફ શાનદાર રીતે ઉજવાશે

રાણાવાવ ખાતે હઝરત ખ્વાજા અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો ના ઉર્ષશરીફ નિમિતે ચાર દિવસ સુધી વિવિધ નૂરાની કાર્યક્રમો યોજાશે.

રાણાવાવ ખાતે આવેલ આસ્તાને ઔલિયા ” હઝરત ખ્વાજા અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો” નો ઉર્ષશરીફ તા: 6-2-2023 સોમવારથી તા: 9-2-2023 ગુરૂવાર સુધી ચાર દિવસ વિવિધ નૂરાની કાર્યક્રમો ના આયોજન હેઠળ શાનદાર રીતે ઉજવાશે.

જેમાં ઉર્ષશરીફ ના પ્રથમ દિવસે
તા: 6-2-2023 સોમવારના રાત્રે દરગાહ શરીફ પર મિલાદ શરીફ પઢવામાં આવશે ત્યારબાદ નિયાઝ શરીફ ખવડાવવામાં આવશે

ઉર્ષશરીફ ના બીજા દિવસે
તા: 7-2-2023 મંગળવારના રોજ સાંજે છ વાગ્યે દરગાહ શરીફ ના ખાદીમના ઘરેથી ઝંડા મુબારક દરગાહ શરીફ પર પહોંચશે અને ત્યારબાદ ન્યાઝ શરીફ નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તે દિવસે રાત્રે 10:30 વાગ્યે દરગાહ શરીફ પર સંદલ શરીફ ચઢાવવામાં આવશે અને ત્યારબાદ ન્યાઝ શરીફ નું આયોજન કરવામાં આવ્યું છે
ઉર્ષશરીફ ના ત્રીજા દિવસે
તા: 8-2-2023 બુધવારના સાંજે 7:00 વાગ્યે દરગાહ શરીફ પર ન્યાઝ શરીફ નું આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે 10 વાગ્યે દરગાહ શરીફ પર મિલાદ શરીફ પઢવામાં આવશે અને ત્યારબાદ તકરીર ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ની ન્યાઝ શરીફ ખવડાવવામાં આવશે.
ઉર્ષશરીફ ના ચોથા દિવસે
તા: 9-2-2023 ગુરૂવારે બપોરે 12 વાગ્યે દરગાહ શરીફ પર આમ ન્યાઝ શરીફ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ચાર દિવસના નૂરાની ઉર્ષશરીફ ના દરેક કાર્યક્રમમાં તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોને હાજરી આપવા દરગાહ શરીફના ખાદીમ નુરૂલઅમીન બાપુએ નિમંત્રણ પાઠવેલ છે તેવી યાદી આરીફ ડી. સુર્યા (પોરબંદર) એ પાઠવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે