પોરબંદરની નર્સે સબંધ રાખવાની ના પાડતા તે શખ્શ વારંવાર પીછો કરી સબંધ રાખવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર માં આવેલ હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતી ૨૫ વર્ષીય પરણીતા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ અરજનભાઈ ચાવડા તેના વિસ્તાર માં રહેતા હોવાથી તેના પિતાના મિત્ર હતા આથી તેના પુત્ર ભરત ને પણ પોતે નાનપણ થી ઓળખે છે. ૨૦૧૮ માં પરણીતા ના લગ્ન ધરમપુર થયા હતા પરંતુ લગ્ન ના દોઢેક વર્ષ બાદ પતી સાથે ઝઘડો થતા અલગ રહેતા હતા. તે દરમ્યાન તે ભરત સાથે વાતચીત થી વધુ નજીક આવી હતી. પરંતુ ભરત પરણિત હોવાથી તેની સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો ન હતો. પરંતુ ભરતની વાત ઉપર થી એવુ જાણવા મળ્યું હતું કે તે પોતાની પત્નીને પણ રાખવા માંગતો હતો. અને પરિણીતા સાથે પણ સબંધ રાખવો હતો. જેથી પરિણીતા એ તેની સાથે વાત કરવાનુ તથા મળવાનુ ઓછુ કરી નાખ્યું હતું. અને ત્યાર બાદ પતી સાથે સમાધાન થઇ જતા પતી સાથે રહેવા ચાલી ગઈ હતી. જે ભરત ને પસંદ ન આવતા તે વારંવાર ફોન કરતો હતો.
આથી પરણીતા એ ફોન કરવાની ના પાડવા છતાં તે સતત ફોન કરતો હોવાથી પરિણીતા એ તેનો ફોન બ્લોક કર્યો હતો. તો પણ ભરત અલગ અલગ નંબર માંથી ફોન કરી સબંધ રાખવા દબાણ કરતો હતો. અને ગાળો કાઢી હેરાન કરતો હતો. તથા લગ્ન જીવન તોડાવી નાખવાની પણ ધમકીઓ આપતો હતો. આટલે થી ન અટકી તે હોસ્પિટલ તથા ઘર સુધી પીછો પણ કરતો હતો. આથી પરણીતા એ આ અંગે પતી અને માતા ને જાણ કરી હતી. અને ભરત સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.