પોરબંદર ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્ય એ મહત્વના ચાર મુદ્દાઓ રજુ કર્યા હતા.
પોરબંદર જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જદા-જુદા મુદા પર ચર્ચા કરવાની સાથે કલેટકરે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો રજૂ કર્યા હતા. જેમાં સરકારની વિવિધ જનકલ્યાણ લક્ષી યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓને મળી રહે, અન્ય કચેરીની રજુઆતની સમીક્ષા, સરકારની ફલેગશીપ યોજનાઓના લક્ષ્યાંકો હાંસલ કરવા, ઇ-સરકાર પ્રોજેક્ટ, વગેરે વિવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી. તથા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા દ્રારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો સંદર્ભે નિયમાનુસાર કરવામાં આવી રહેલી કામગીરી અંગે સબંધિત વિભાગના અધિકારી દ્રારા જાણકારી આપવામાં આવી હતી.
અર્જુનભાઈ એ તેના મત વિસ્તારમાં આવતી સિંચાઇ અને ક્ષાર અંકુશ વિભાગની કેનાલનું તાત્કાલિક સમારકામ કરીને સાફસફાઇ કરાવવા માંગ કરી હતી. તથા પોરબંદર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમીટી ગેરકાયદેસર બાંધકામની મંજુરીઓ બાબતે પણ તપાસની માંગણી કરીને યોગ્ય કરવા જણાવ્યું હતું. સુભાષનગર અને બંદર વિસ્તારના રસ્તાઓ બનાવવા અંગે પણ માંગ કરી હતી. તથા દરીયા મહેલના રીસ્ટોરેશનના બીજા તબક્કાની ગ્રાન્ટ મંજુર કરવા માટે પણ વહેલી તકે કાર્યવાહી થાય તેવી રજુઆત કરી હતી.
![](https://porbandartimes.com/storage/bethak-2-2.jpg)