Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ના મેળા માં વાસી અને અખાદ્ય પદાર્થો નું બેફામ વેચાણ

માધવપુર ના મેળા માં વાસી અને અખાદ્ય પદાર્થો નું બેફામ વેચાણ થઇ રહ્યું છે ત્યારે ફૂડ વિભાગ માત્ર ચેકિંગ ના ફોટો સેશન કરાવી સંતોષ માની લેતું હોય તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ ખાદ્યપદાર્થ નું કોઈ ભાવબંધણું તંત્ર દ્વારા કરવામાં આવ્યું ન હોવાથી મનફાવે તેવા ભાવે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.

માધવપુર ખાતે આયોજિત ભાતીગળ લોકમેળા માં હજારો લોકો ની મેદની ઉમટી પડે છે. પોરબંદર ઉપરાંત અન્ય જીલ્લા માં થી પણ લોકો આ મેળા ની મોજ માણવા આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મેળા માં અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તેના માટે ફૂડ સેફટી ઓફિસરોની ટીમ તૈનાત રાખવામાં નો દાવો કરાયો હતો. અને મેળો માણવા આવતા લોકોના આરોગ્યની તકેદારી રાખવા ૧૨ ફૂડ સેફટી ઓફિસર ફરજ પર રહેશે. અને બે લાયઝનિંગ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી વાન પણ રાખવામાં આવશે તેવું જાહેર કરાયું હતું.

પરંતુ આ ટીમો માત્ર ફોટો સેશન કરાવી કાગળ પર કામગીરી બતાવી મેળા ની મોજ માણી રહી હોય તેમ મેળા માં અનેક સ્થળો એ ખુલ્લા,વાસી અને અખાદ્ય પદાર્થો નું વેચાણ થઇ રહ્યું છે. અનેક સ્થળો એ સવારે બનાવેલ વાનગીઓ નું મોડી રાત્રી સુધી વેચાણ કરવામાં આવે છે. જેના લીધે હાલની કાળઝાળ ગરમી માં ફૂડ પોઈઝનીંગ થવાની પણ ભીતિ રહે છે. બીજી તરફ ખાદ્યપદાર્થ ના ભાવ માં પણ તંત્ર દ્વારા કોઈ ભાવબંધણું કરાયું ન હોવાથી કેટલાક ધંધાર્થીઓ મનફાવે તેવા ભાવે વેચાણ કરી રહ્યા છે. મેળા માં પાણી મિશ્રિત શેરડી ના રસ ના એક ગ્લાસ ના રૂ ૨૦ લેવાઈ રહ્યા છે. બીજી તરફ ભૂંગળા બટેટા ની પ્લેટ ના પણ ૫૦-૫૦ રૂ લેવામાં આવે છે. ત્યારે તંત્ર એ આ અંગે પગલા લેવા જોઈએ તેવું મેળા માં ફરવા આવેલા લોકો જણાવી રહ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે