Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના મૈયારી અથવા કડછ ગામે ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર ફાળવવા ધારાસભ્યની માંગ

પોરબંદર ના મૈયારી અથવા કડછ ગામે ટેકા ના ભાવે ચણા ખરીદી કેન્દ્ર ફાળવવા ધારાસભ્ય દ્વારા કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં અવશ ત્યારે પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને મૈયારી અથવા કડછ ગામે ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ફાળવવા માંગ કરી છે. મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને ઘેડ પંથકમાં વ્યાપક પ્રમાણમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે. જો કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે પોરબંદર ખાતે કેન્દ્ર ફાળવેલ છે. પરંતુ ઘેડ પંથકના ઘેડુતોએ પોતાનો ચણાનો જથ્થો પોરબંદર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન મોટો ખર્ચો ઉઠાવવો પડે છે. વળી પોરબંદરનું કેન્દ્ર દુર પડતુ હોવાથી ખેડૂતોની હાડમારી પણ વધી જાય છે. ઘેડ વિસ્તારના ખેડૂતોને મુશ્કેલી ન પડે અને સ્થાનિક કક્ષાએ રાજ્ય સરકારે જાહેર કરેલ ટેકાના ભાવથી ખેડૂતો ચણાનું વેચાણ કરી શકે તે માટે મૈયારી અથવા કડછ ગામે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ઘેડ પંથકના ખેડૂતો લાંબા સમયથી નજીકના કોઈ ગામમાં ટેકાના ભાવે ચણા ખરીદીનું કેન્દ્ર ફાળવવા માંગ કરી રહ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે