Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ એ અમદાવાદ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરી

તા. ૩જી ડીસેમ્બર “વિશ્વ દિવ્યાંગ દિન” ની ઉજવણીના ભાગરૂપે શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તથા પોરબંદર જીલ્લાના દિવ્યાંગ ભાઇ-બહેનોને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે આયોજીત “વિશ્વ દિવ્યાંગ દિન” ઉજવણીમાં નિમંત્રણ પાઠવતા આવતા ઉદ્યોગ સાહસીક સન્માન સમારભ અને દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા તૈયાર કરેલી વસ્તુઓના વહેંચાણ કમ પ્રદર્શન સ્ટોલમાં પોરબંદર જીલ્લાના આઠ જેટલા જુદા જુદા સ્ટોલમાં દિવ્યાંગ વ્યક્તિઓએ પોતાની ઉત્પાદન કરેલ વસ્તુઓનું વહેંચાણ કરેલુ અને સમગ્ર ગુજરાત રાજયના અનેક જીલ્લાઓમાંથી વસ્તુઓના ઓર્ડરો મેળવી ખુબ પ્રસંશા પ્રાપ્ત કરેલી.

આ કાર્યક્રમમાં શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્પાદીત થયેલા પગલુછણીયા, પાણીના કુજા, લાકડાના પાટલા, ઓફીસ પેપર પેડ, જેવા અનેક ચીજ વસ્તુઓનું વહેંચાણ કરવામાં આવેલ અને અમદાવાદની પ્રજાએ આ વસ્તુઓની પ્રસંશા કરી અંધજનો દ્વારા ઉત્પાદીત વસ્તુઓ સપોર્ટ આપવા માટે પણ ઉદાર સાથે મદદ કરી.

ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદરને ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થા – અમદાવાદ દ્વારા “દિવ્યાંગ સશક્તિકરણ” માટેની માન્યતા આપેલ હોઇ, ગુજરાત રાજયના દિવ્યાંગ વ્યક્તિઓ વધુમાં વધુ સ્વ રોજગાર તરફ મળે તે પ્રકારની તાલીમ આપવાના કાર્યક્રમો સમગ્ર ગુજરાત રાજયમાં ચલાવવાની કામગીરી સોપવામાં આવેલી છે. ત્યારે શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદર દ્વારા એક હજાર દિવ્યાંગ ભાઇ-બહેનોને આવી સ્વરોજગારીની તાલીમ આપી, કુશળ ઉદ્યોગ સાહસીક બનાવવાના ધ્યેય સાથે કાર્યરત છે.આમ ખરા અર્થમાં પોરબંદર જીલ્લાના પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઇ-બહેનોએ “વિશ્વ દિવ્યાંગ દીન” ઉજવણી ખુબ ઉત્સાહ અને ઉમંગથી કરી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે