પોરબંદર
પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.
સવારે મંગલા આરતી બાદ શ્રીહરિ મંદિરમાં પાંચેય શિખરોમાં નૂતન ધ્વજારોહણ કરવા માં આવશે. ત્યાર બાદ બપોરે 11:30 વાગ્યાથી 12:૦૦ વાગ્યા સુધી શ્રીરામચરિતમાનસ ના પાઠ કરવામાં આવશે. ત્યાર બાદ બપોરના 12:00વાગ્યે શ્રીરામજન્મોત્સવ ઉજવવામાં આવશે.
રામજન્મ બાદ પંચામૃત સ્નાન અને પલનામાં દર્શન અને આરતી કરવામાં આવશે. સર્વે ભકતજનોને આરામજન્મોત્સવમાં જોડાવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આ વર્ષે રામનવમી મહોત્સવના મનોરથી તરીકે યુ.કે.ના વિજયભાઇ ખીરોયા અને પરિવાર સેવા આપી રહ્યા છે.