પોરબંદર
પોરબંદરના મોઢવાડા ગામે થી પ્રસ્થાન કરાયેલ માં લીરબાઇ રથયાત્રા નું રાણા કંડોરણા ખાતે સમાપન કરાયું હતું.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત માં લીરબાઇ રથયાત્રાનો તા.2/5/2022 ના રોજ માતાજીના સમાધિ સ્થાન રાણાકંડોરણા ખાતે ભવ્યાતિભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો.શ્રી લીરબાઇ માતાજી નો આ રથનું તારીખ ૧૨ મી એપ્રિલ ૨૦૨૨ના રોજ માતાજીના જન્મસ્થાન મોઢવાડા ખાતેથી પ્રસ્થાાન કરવામાં આવ્યો હતો અને તારીખ બીજી મેના રોજ રાણાકંડોરણા ખાતે આ રથયાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું.કુલ ૨૧ દિવસ દરમિયાન
૧૭૬ જેટલા ગામડાઓ અને શહેરોમાં પાંચ હજાર કિલોમીટરની યાત્રા કરી આ રથ રાણાકંડોરણા મુકામે આવી પહોચ્યો હતો જ્યાં આ રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હૈયે હૈયું દળાય એટલી 27000 થી પણ વધુ જનમેદની ઉમટી પડી હતી.સમગ્ર વાતાવરણ ભક્તિ અને માં લીરબાઇ પ્રત્યેનીભાવનાના રંગે રંગાઈ ગયું હતું. બરાબર 4:30 વાગ્યે માતાજીનો રથ બાપોદર મુકામેથી રાણાકંડોરણા આવી પહોંચ્યો હતો. માતાજીના આ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાઇવે પરથી રથ સીધો લીરબાઈ માતાજીના મંદિર સુધી લઇ જવામાં આવ્યો હતો. રસ્તામાં આપણી જ્ઞાતિના પરંપરાગત રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. મંદિરે માતાજીના દર્શન બાદ આ રથ અને તેમાં સામેલ આગેવાનો સભામંડપ ખાતે પધાર્યા હતા, જ્યાં પૂર્ણાહુતિ સમારંભ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સર્વપ્રથમ રાણાભાઈ સીડાની ટીમ દ્વારા બે ઢાલ તલવાર રાસ અને ત્યારબાદ બહેનો દ્વારા રાસ રજુ કરવામાં આવ્યો હતો.એ પછી ઓરકેસ્ટ્રાના સથવારે ભાઈઓ અને બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો.
ગરબાના આ કાર્યક્રમ બાદ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સેલના સર્વે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રાને સફળ બનાવવા વિમલજીભાઈ ઓડેદરા ઉપરાંત સુપ્રીમ કાઉન્સેલના ઉપપ્રમુખો બચુભાઈ આંત્રોલીયા,
લાખાભાઈ કેશવાલા,આલાભાઇ ઓડેદરા,સાજણભાઈ ઓડેદરા,નવઘણભાઈ મોઢવાડિયા,અરજણભાઈ બાપોદરા (ગાંડા બાપા),જીતેન્દ્રભાઈ વદર,નવઘણભાઈ મોઢવાડિયા (પ્રિન્સીપાલ) વગેરેએ અથાગ મહેનત કરી હતી જે ધન્યવાદને પાત્ર છે. આ પ્રસંગે આ સર્વે આગેવાનોનું રાણાકંડોરણાના ગ્રામ્યજનો દ્વારા મોમેન્ટો અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ઘેડ વિકાસ સમિતિના સભ્યો તેમજ છાંયા રાસ મંડળના ભાઈઓ દ્વારા પણ આ સર્વે હોદેદારોનું શાલ ઓઢાડી સન્મામન કરવામાં આવેલ.
આ રથયાત્રા દરમિયાન જ્ઞાતિના સંગઠન ઉપરાંત અન્ય સમાજો પ્રત્યે પણ સૌહાર્દ વિકસે તેના ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ ભાવના બદલ અન્ય સમાજો દ્વારા પણ આ સર્વે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સભાની શરૂઆત કરતાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ વદર દ્વારા ઉપસ્થિત આગેવાનો અને વિશાળ જનમેદનીનું શબ્દોથી સ્વાગત આવ્યું હતું.ત્યારબાદ સુપ્રીમ કાઉન્સેલના હોદેદારો દ્વારા
મેર જ્ઞાતિના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ ૧ અને ૨ ઓફિસરોનું સ્વાગત કરી પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા,સ્થાપક પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણીયા તેમજ સંસ્થાના ઉપપ્રમુખોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વાગત સન્માન કાર્યક્રમ બાદ શ્રી મહેર સુપ્રીમ કાઉન્સેલના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ આ પ્રસંગે શ્રી મહેર સુપ્રીમ કાઉન્સેલની સ્થાપના થયા બાદ અત્યાર સુધી થયેલા વિકાસના કામો ના સંસ્મરણો વાગોળ્યા હતા.આ પ્રસંગે બોલતા તેઓએ વધુમાં સમાજની અંદર વ્યસનમુક્તિ અને
શિક્ષણના વ્યાપ માટે સૌને અપીલ કરી હતી.ત્યારબાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપીમ કાઉન્સીલના પ્રમુખ વીમલજીભાઇ ઓડેદરાએ આ તકે તેમના વક્તવ્યમાં જણાવેલ કે મા લીરબાઇ આઇ રથયાત્રાનું આયોજન જ્ઞાતિના વડીલો અને આગેવાનો સાથે થયેલી ચર્ચાના અંતે યોજાયેલ, પોરબંદર અને આસપાસના ૧૭૬ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોના જીવનમાં આધ્યાત્મિકતા અને સારા વિચારો પ્રવાહિત થાય તેવા ઉમદા હેતુ સાથે વિસ્તારનો શૈક્ષાણિક વિકાસ, વ્યસન મુકત સમાજની રચના તેમજ સંગઠિત થઈને સારા વિચારો પ્રસ્તાિપીત થાય તેની સાથે શૈક્ષણિક વિકાસ,વ્યસનમુકતી
સમાજની રચના તેમજ સંગઠીત સમાજની ભાવના ફલીભુત કરવા મા લીરબાઇ આઇની રથયાત્રાનુ આયોજન કરવામાં આવેલ હતુ.
સમાજના શૈક્ષણિક વિકાસ પર ભાર મુકી ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓને ગુણવતાવાળું શિક્ષણ મળી રહે તેવા પ્રયન્નો વેગવંતા બનાવવા આહવાન કરેલ. આ માટે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓને ફરી જીવંત લોકભાગીદારી થી આ શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર થાય તે માટે જો જેતે ગામ ૭૦ ટકા જેટલું ફંડ ઉભુ કરશે તો આ કાર્ય
માટે ૩૦ ટકા ફંડ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપિમ કાઉન્સીલ આપશે. તેમજ મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ હેતુસર વગર વ્યાજે શૈક્ષણિક લોન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સાથે પોરબંદર અને વિદ્યાનગર ખાતે મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભવનમાં પણ જ્ઞાતિના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે રહેવાની સુવિધા પુરી આપડવામાં આવશે.સાથે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા સાથે જોડાયેલ ગાંગાભાઇ મ્યાજરભાઇ ચૌહાણ ઇન્ટરનેશનલ શાળા ખાતે પણ આગામી સત્રથી મહેર જ્ઞાતિના તેજસ્વી અને જરૂરીયાતમદ વિદ્યાર્થીઓને ૫૦ ટકાથી ૭૫ ટકા સુધી સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી હતી.સશકત અને
સમર્થ સમાજની રચના માટે સમાજ વ્યસન મુકત બને તે માટે ભાર મુક્યો હતો અને આજની યુવાપેઢી વ્યસનમુકત બને અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આહવાન કરેલ.સાથે જ્ઞાતિમાં એકતા ઉપર ભાર મૂકતા તેઓએ સંગઠન ખાસ જરૂરી હોવાનું જણાવી ગ્રામ્યકક્ષાએ ભાઇઓ અને બહેનોમાં સંગઠનની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે અપીલ કરી હતી અને સૌને જ્ઞાતિના વિકાસ કાર્યોમાં સક્રિય બનવા હાકલ કરી હતી. આ પ્રસંગે તેઓએ વ્યસનમુક્તિ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો અને લોકોને વ્યસનથી અળગા રહેવા ભાવુક અપીલ કરી હતી.
શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્તા તેઓએ શ્રીઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જ્ઞાતિના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા હાથ ધરવામાં આવતા કાર્યોની વિસ્તૃત વિગત આપી હતી. આ રથયાત્રા દરમિયાન જ્ઞાતિજનોએ પણ તન મન અને ધનથી સહયોગ આપ્યો હતો અને રથયાત્રા દરમિયાન જ્ઞાતિજનો દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખ જેટલું માતબર ભંડોળ પણ એકઠું થવા પામ્યું હતું એવું તેઓએ જાહેર કર્યું હતું.આ કાર્યક્રમમાં લીરબાઈ માતાજીના મુખ્ય તમામ મંદિરોના પૂજારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સુંદર સંચાલન પોપટભાઈ ખુંટી,કૃણાલભાઈ ઓડેદરા અને ડો.રાજીબેન કડછા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિક કક્ષાએ કાર્યક્રમનું સુંદર મેનેજમેન્ટ ભાઈ જયેશભાઈ અને કરશનભાઈ ભુતિયાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેમાનો અને ગ્રામજનો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન પણ કરવામાં આવેલ.આ રથયાત્રાનો એક ઉદેશ્ય વ્યસનમુક્તિનો હતો ત્યારે આ સમગ્ર યાત્રા દરમિયાન આ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.આ યાત્રાના
અનુસંધાને 23 બહેનો સહીત કુલ 290 જેટલા લોકોએ વ્યસનમુક્તિનો સંકલ્પ જાહેર કર્યો હતો. વદર પરિવાર દ્વારા વ્યસનમુક્તિ માટે અગ્રણી 2 ગામોને 25000 રૂપિયાનું ઈનામ આપવાની જે જાહેરાત કરવામાં આવેલ તેના કવર પણ આ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમની આભારવિધિ આઈએમએસસીના ઉપપ્રમુખ નવઘણભાઈ બી. મોઢવાડિયાએ કરી હતી.કાર્યક્રમ દરમિયાન માતાજીની આરતી વખતે ઉપસ્થિત વિશાળ જનમેદની દ્વારા મોબાઈલ ફ્લેશલાઈટ ચાલુ કરવામાં આવી ત્યારે અદ્નુત દ્રશ્ય સર્જાયું હતું.દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો-કચ્છ,લાખણશીભાઈ ગઢવી,સાગરદાન ગઢવી દ્વારા આ પ્રસંગે લોકડાયરો અને સંતવાણીના કાર્યક્રમો રજુ કર્યા હતા.
આ સમાપન સમારોહમાં મહેર સમાજના અગ્રણી દાતા નાગાજણભાઈ ચૌહાણ,કરશનભાઈ ભુતિયા,ભીમાભાઈ અરજનભાઈ ઓડેદરા,રાજકોટ મહેર સમાજના પ્રમુખ પરબતભાઈ ઓડેદરા,વિજાભાઈ ઓડેદરા,જુનાગઢ મહેર સમાજ પુંજાભાઈ સુત્રેજા, મુળુભાઈ ઓડેદરા, જુનાગઢ સીટી કાઉન્સીલથી રાજુભાઈ રાતિયા, વડોદરા સીટી કાઉન્સીલથી પોપટભાઈ સુત્રેજા, અમદાવાદ સીટી કાઉન્સીલથી અરજનભાઈ કડેગીયા,પોરબંદર લોકસભાના સાંસદશ્રી રમેશભાઈ ધડુક, કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, કુતિયાણા-રાણાવાવના પૂર્વધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા, જામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર,પોરબંદર જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ,સામતભાઈ ઓડેદરા,કુતિયાણા કોલેજના પ્રિન્સીપાલ નવઘણભાઈ ઓડેદરા, મસરીજીભાઈ ઓડેદરા, કરશનભાઈ ઓડેદરા (કોટડા), રાણાભાઈ ઓડેદરા,બખરલાથી અરશીભાઈ ખુંટી, ઈશ્વરીયાથી ભરતભાઈ ઓડેદરા, કુતિયાણાથી ઠેબાભાઈ ચૌહાણ, મેિયાણીથી આવડાભાઈ ઓડેદરા, મહેર મહિલા વિકાસના પ્રમુખ દેવીબેન ભુતિયા શ્રી મહેર મહિલા વિકાસ મંડળના બહેનો,સીટી કાઉન્સીલ તેમજ વિવિધ સમિતિના હોદેદારો તથા કાર્યકર્તા ભાઈઓ સહિતના આગેવાનો હાજર રહયા હતા.
મા લીરબાઇ આઇ રથયાત્રાના રાણાકંડોરણા ખાતેના સમાપન સમારોહને સફળ બનાવવા સમસ્ત રાણા કંડોરણા ગામના દરેક સમાજના લોકો, પોરબંદર જીલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઇ ભુતિયા,સરપંચ રામભાઇ ભુતિયા, કરશનભાઈ ભુતિયા તેમજ તેમજ મા લીરબાઇ આઇ મંદિરના પુજારી માલદેભાઈ,મહેર સમાજ રાણાકંડોરણાના પ્રમુખ ભીમાભાઇ રાતીયા તેમજ સમસ્ત રાણાકંડોરણા ગામ ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.