Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં નીરમાં ગ્રુપ ની સૌરાષ્ટ્ર કેમિકલ ના વિસ્તરણ પરિયોજના માટે ની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ :માછીમાર આગેવાનો એ દરિયાઈ પ્રદુષણ અને વારંવાર માછલીઓ ના મોત બાબતે કંપની અને જીપીસીબી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો :જુઓ આ વિડીયો

પોરબંદર
પોરબંદર ની નીરમાં ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી માં હાલ ના સોડા એશ અને કો જનરેશન પાવર પ્લાન્ટ ના વિસ્તરણ પરિયોજના માટે આજે પર્યાવરણીય લોકસુનાવણી યોજવામાં આવી હતી જેમાં માછીમાર આગેવાનો અને સંલગ્ન સંસ્થાઓ એ એકી અવાજે રોષ વ્યક્ત   કર્યો હતો અને કંપની દ્વારા દરિયા માં છોડવામાં આવતા દુષિત પાણી બંધ કરવા રજૂઆત કરી હતી
પોરબંદર માં સૌરાષ્ટ્ર કેમિકલ્સ ડીવીઝન ઓફ નીરમાં લીમીટેડ નો સોડા એશ પ્લાન્ટ ૧૯૫૯ થી કાર્યરત છે કંપની દ્વારા હાલ ના પ્લાન્ટ માં આધુનિકીકરણ દ્વારા સોડા એશ પ્લાન્ટ ની ઉત્પાદન ક્ષમતા દર માસ ની ૩૫૭૨૦ મેટ્રિક ટન થી વધારી પ્રતિ માસ ૪૫૦૨૦ મેટ્રિક ટન કરવા તથા કો જનરેશન પાવર પ્લાન્ટ ની ક્ષમતા ૨૦ મેગા વોટ થી વધારી ને ૪૦ મેગા વોટ કરવાની પરિયોજના કરેલ છે જે અંગે ની પર્યાવરણીય સુનાવણી આજે જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારીઓ ની હાજરી માં કંપની ખાતે રાખવામાં આવી હતી. જેમાં કંપની ના અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ની ક્ષમતા વધવાથી રોજગારી માં વધારો થશે તથા આડકતરી રીતે પણ શહેર ને ફાયદો થશે અને તેની ક્ષમતા વધારવા થી પર્યાવરણ ને કોઈ નુકસાન થશે નહી.તો સામા પક્ષે બોટ એસોસિએશન ,પીલાણા એસોસિએશન ,સાગર ભારતી સહીત ની માછીમારો ની સંસ્થાઓ એ દરિયાઈ પ્રદુષણ અંગે કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો
શું કહે છે નીરમાં કંપની ના અધિકારી
શું કહે છે માછીમાર આગેવાનો
શું કહ્યું જીલ્લા કલેકટરે
સમગ્ર વિગતો માટે
જુઓ પર્યાવરણ લોક સુનાવણી નો સમગ્ર કાર્યક્રમ આ વિડીયો માં

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે