પોરબંદર જીલ્લા ની તમામ ફિશિંગ બોટો ની ભૌતિક ચકાસણી ઓનલાઈન એપ ના માધ્યમ થી જ કરાવવા ફિશરીઝ કચેરી દ્વારા સુચના અપાઈ છે.
પોરબંદર જિલ્લામાં કાર્યરત તમામ માછીમારી બોટોની ભૌતિક ચકાસણી (બોટ સર્વે) ઓનલાઇન એપની મદદથી કરવાની કામગીરી ચાલુ છે. જે બોટોની ચકાસણી કરવાની બાકી હોય તે દરેક બોટ માલિકોએ સાત દિવસ માં બોટોનું વેરિફિકેશન કરાવી લેવા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા જણાવાયું છે. વધુ માં એવું પણ જણાવ્યું છે કે જે કોઈપણ બોટોની ચકાસણી નહી કરાવવામાં આવે તેને આગામી મત્સ્ય સિઝનથી માછીમારી માટે ટોકન આપવામાં આવશે નહીં.
જે બોટો તૂટી ગયેલ હોય,ટોટલ લોસ થયેલ હોય અથવા ફિશીંગ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતીમાં ના હોઇ અને ચકાસણી થઈ શકે નહીં તેવી બોટના બોટ માલિકોએ પોતાની બોટની સ્થિતી અંગે ફિશરીઝ કચેરીને સત્વરે જાણ કરવા પણ જણાવાયું છે. બોટ ચકાસણી કરવા માટે બોટના ફોટોગ્રાફ્સ લેવાના હોવાથી બોટ માલિકોએ પોતાની બોટ વ્યવસ્થિત રીતે પાર્ક કરી,બોટના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર તથા માલિકના આધારકાર્ડ સાથે જે તે મત્સ્ય કેન્દ્રના ગાર્ડનો અથવા ફિશરીઝ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.