અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ૧૯ જિલ્લાના ૧૮૦થી વધુ કોલેજ કેમ્પસમાં જનજાગૃતિ ફેલાવાઈ રહી છે અને તે અંતર્ગત નીકળેલી રથયાત્રાનું પોરબંદરમાં સ્વાગત થયું હતું તથા શાળા- કોલેજોમાં આવકાર અપાયો હતો.
અખિલ ભારતીય યુવા પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિધાર્થી વર્ગ સાથે યુવા વર્ગ વધારેમાં વધારે મતદન કરવા પ્રેરીત થાય, તે માટે વિધાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તથા વિધાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મતદાન માટે પ્રેરીત કરતું ‘વૉટ કર ગુજરાત’ ની થીમ પર ગુજરાતી ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ મતદાન જાગૃતિ સ્થ યાત્રા ગુજરાતના ૧૯ જિલ્લાના જુદા જુદા ૧૮૦ કરતા પણ વધુ કોલેજ કેમ્પસોમાં જઈને અભાવિપના કાર્યકર્તા દ્વારા નાટક જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ મતદાન જાગૃતિ અભિયાન જનજાતિ વિસ્તારોથી લઈને મહાનગરોના કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટીઓમાં વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓ ગુજરાતના દરેક યુવાન સુધી પોતાનો અચુક મતદાન માટેનો સંદેશો પહોંચાડવા પ્રયત્નશીલ થયા છે.
જેથી વિદ્યાર્થીઓ પણ આ લોકશાહીના પર્વ વડે રાષ્ટ્ર નિર્માણ તરફ મતદાન દ્વારા પોતાનું યોગદાન આપે. સાથે જ બાકીના જિલ્લાઓમાં પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમય માં આ જ રીતે મતાન જાગૃતિ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. મતાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સંમેલનોનું પણ આયોજન કરવામાં આવશે જેમા ફર્સ્ટ ટાઇમ વોટર્સ જેમાં મેડિકલ, એગ્રીઝાયર અને ટેક્નિકલ વિદ્યાર્થીઓને વિવિધ સંમેલનો થકી મતદાન જાગૃતિ અભિયાન પૂરા પ્રદેશભરમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમો થકી યુવાનો મત આપવા પ્રેરીત થાય ઉત્સાહી બને તે હેતુથી કાર્ય કરવામાં આવશે.
આ અંતર્ગત જુનાગઢ વિભાગમાં પણ મતઘન જાગૃતિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રથ તારીખ ૨૨/૧૧ જુનાગઢ ખાતેથી નીકળી, માણાવદર ના અલગ અલગ કેમ્પસમાં ફરી પોરબંદર ખાતે આવી પહોંચ્યો હતો. જેમાં પોરબંદરની વિવિધ શાળાઓ અને કોલેજની અંદર જેમ કે સિગ્મા પબ્લિક સ્કૂલ, મહર્ષિ ઘ્યાનંદ સાયન્સ કોલેજ, પોલિટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજ, વિ.જે મોઢા કોલેજ, શ્રી સ્વામિનારાયણ કેમ્પસ માંથી ૧૧૦૦ થી ૧૨૦૦ ની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને મતદાન જાગૃતિની પ્રતિજ્ઞા લીધી,વિદ્યાર્થી પરિષદ વતી મતદાન જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.આ રથ નું પોરબંદરમાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ આ રથમાં કરી અને ૧૦૦% ટકા મતદાનના સંકલ્પ સાથે જોડાયા,રથ બે દિવસ સુધી પોરબંદરની અંદર રોકાયો હતો.આ રથ હાલ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ કેમ્પસમાં જવા માટે પ્રસ્થાન કરી ચૂક્યો છે.


