પોરબંદર
પોરબંદર જીલ્લા માં માવઠા જેવા વાતાવરણ વચ્ચે તાવ શરદી નાં દર્દીઓ માં પણ વધારો થતો જાય છે.હાલ સરકારી હોસ્પીટલે દરરોજ નાં ૨૦૦ થી વધુ તાવ શરદી નાં દર્દીઓ ઓ સારવાર માટે આવી રહ્યા છે.તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો ખાતે પણ દર્દીઓ ની કતાર જોવા મળે છે.
પોરબંદર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.તો બીજી તરફ શિયાળાની ઠંડી અને માવઠા જેવા વાતાવરણ વચ્ચે શરદી, તાવ, કળતર, ઉધરસ જેવી બીમારી પણ વધતી જાય છે.જીલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલમા તાવ શરદી નાં અગાઉ 25 જેટલા નોંધાતા હતા.પરંતુ હાલમાં અહી ખાસ શરુ કરાયેલ ફલૂ ઓપીડી ખાતે તાવ,ઉધરસ,શરદી કળતર જેવી બીમારીના દરરોજ 250 થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મારડીયાએ જણાવ્યું હતું કે હાલમાં વાયરલ ફીવર શરદી નાં કેસ વધી રહ્યા હોવાથી ફલૂ ઓપીડી માં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે.તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો માં પણ આવા દર્દીઓ ની સંખ્યા માં ખાસ્સો વધારો થયો છે સરકારી હોસ્પિટલ ની લેબોરેટરી માં પણ દરરોજ ૯૦૦ થી વધુ પરીક્ષણ કરવામાં આવે છે છેલ્લા વીસ દિવસ માં ડેન્ગ્યુના 41 સેમ્પલ ટેસ્ટ કરતા 4 દર્દી પોઝિટિવ આવ્યા છે જ્યારે ચિકનગુનિયાના 13 સેમ્પલ માંથી 4 દર્દી પોઝિટિવ આવ્યા છે.
જુઓ આ વિડીયો