પોરબંદર
પોરબંદર માં બે વર્ષ પછી આ વખતે હોળી ધૂળેટી ના તહેવાર પર રંગ ની રંગત જામશે.શહેર માં અવનવી પિચકારીઓ તથા કલર નું વેચાણ થઇ રહ્યું છે.
દર વર્ષે હોળી ધૂળેટી ના પર્વ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા પોરબંદરવાસીઓ છેલ્લા બે વર્ષ થી કોરોના ના કારણે રંગો ના આ પર્વ ની ઉજવણી કરી શક્યા ન હતા.હાલ માં કોરોનામાં રાહત મળતા શહેરીજનો આ પર્વ ને ઉજવવા થનગની રહ્યા છે.બજાર માં અવનવી પિચકારીઓ નું આગમન થયું છે.જેમાં રૂ 5 થી લઇ ને રૂ ૫૦૦ સુધી ની 4 ફૂટ ની લંબાઈ ધરાવતી પિચકારી નું વેચાણ થઇ રહ્યું છે.
જેમાં આ વખતે ખભા પર સ્કુલ બેગ ની જેમ રાખી શકાય તેવી ટેંક પિચકારીઓ આકર્ષણ નું કેન્દ્ર બની છે જેમાં બાર્બી,બેનટેન,છોટાભીમ,સ્પાઇડર મેન,ગણપતી ,રાધાકૃષ્ણ સહિતની પિચકારી જોવા મળે છે.તો આ વખતે રંગ ઉડાડવા માટેની પિસ્તોલ,અવનવી ડિઝાઇન વાળા પમ્પ,પાણીમાં નાખવાથી કલર બની જાય તેવી કેપ્સ્યુલ સહિતની ચીજો નું બજાર માં ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાનું વેપારી કમલભાઈ કોટેચા એ જણાવ્યું હતું.વધુ માં તેઓએ જણાવ્યું હતું કે ભગવાનને રંગે રમવા માટે નાની ડોલ અને પિચકારી નું પણ વેચાણ થાય છે.તો રંગો માં તપકીર ના લોટ ના બનેલા ઓર્ગેનિક કલર નું સારું વેચાણ થાય છે.આ રંગ મોઢા માં જાય તો પણ નુકશાન કરતો નથી.
અગાઉ જે કેમીકલયુક્ત પાકા કલર નું વેચાણ થતું હતું તેના સ્થાને હાલ માં ઓર્ગેનિક કલર નું ચલણ વધ્યું છે.જો કે રંગ અને પિચકારીમાં ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ માં 15 થી 20 ટકાનો વધારો જોવા મળે છે.તેમ છતાં પણ સારું એવું વેચાણ થઇ રહ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
જુઓ આ વિડીયો