Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં દરિયો ખેડવા જતા માછીમારોને દારૂની પરમીટ આપવા માંગ

પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

દરિયો ખેડવા જતા માછીમારો માટે દારૂ એ વ્યસન નહી પરંતુ જરૂરિયાત હોવાનું જણાવી પોરબંદર ખારવા ચિંતન સમિતિ દ્વારા આ માછીમારો ને દારૂ ની પરમીટ આપવા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઈ છે.

પોરબંદર ખારવા ચિંતન સમિતિ ના પ્રમુખ જીવનભાઈ જુંગી એ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે પોરબંદરથી અનેક માછીમારો દરિયો ખેડવા જાય છે.સમુદ્રમાં માછીમારી કરી પોતાની રોજીરોટી મેળવે છે.આવા માછીમારો સમુદ્રમાં જાય ત્યારે માછીમારી દરમ્યાન દેશીદારૂ પીવે છે.આવો દારૂ કેમિકલ વાળો હોવાથી માછીમારોનું લીવર બગડે છે.અને બીમાર પડી રહ્યા છે.જેથી માછીમારોને સરકાર દ્વારા દારૂની પરમીટ આપવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં જણાવ્યું છે કે દિવસો સુધી દરિયા માં રહેતા માછીમારો માટે દારૂ એ વ્યસન નહી પરંતુ જરૂરિયાત છે.જે રીતે નેવી, કોસ્ટગાર્ડ, મર્ચન્ટ નેવીના જવાનોને દારૂ પીવાની મંજુરી મળે છે.ત્યારે માછીમારો પણ હમેશા પાણી ની સાથે જોડાયેલા રહે છે.અનેક મંત્રીઓ અને ધારાસભ્યો પણ દારૂ ની પરમીટ ધરાવે છે.ગાંધીભુમી માં પણ અનેક લોકો દારૂ ની પરમીટ ધરાવે છે.તે રીતે માછીમારોને પણ દારૂની પરમીટ આપવી જોઈએ.હાલ ઠેર ઠેર હલકી કક્ષા નો દારૂ વેચાઈ રહ્યો છે.અને પોલીસ દ્વારા આંખ આડા કાન થઈ રહયા છે.ત્યારે કેમિકલ યુક્ત દારૂ ને બદલે ચોખ્ખો દારૂ મળે તો માછીમારોનું સ્વાસ્થ્ય ન બગડે.જેથી આ અંગે યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે