પોરબંદર
પોરબંદર જીલ્લા માં કોરોના થી અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારજનો ને સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે.તે અંતર્ગત અત્યાર સુધી માં કુલ 426 લોકો ના પરિવારજનો ને 2.13 કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે.
કોરોના ની બીજી લ્હેર દરમ્યાન પોરબંદર માં સરકારી આંકડા મુજબ 170 લોકો ના મોત થયા હતા.સરકાર દ્વારા કોરોના ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને એસડીઆરએફ માંથી 50 હજાર સહાય આપવામાં આવી હતી. ડીઝાસ્ટર શાખા ના મામલતદાર ડી સી જાડેજા એ આપેલ માaહિતી મુજબ અત્યાર સુધી માં કોરોના થી મૃત્યુ પામેલા લોકો ના વારસદારો ને સહાય માટે ના 668 ફોર્મ વિતરણ કરાયા છે.જેમાંથી 372 ફોર્મ ભરીને પરત આવ્યા છે.તે પૈકી 463 ફોર્મ મંજુર કરવામાં આવ્યા છે.જ્યારે 167 ફોર્મ નામંજૂર થયા છે.બાકી રહેતા 38 ફોર્મ અંગેની ચકાસણી ચાલુ છે. 668 ફોર્મ માંથી 630 નો નિર્ણય કરવામાં આવ્યો છે.મંજુર કરેલ કેસ પૈકી 426 વારસદારોને કુલ રૂ. 2.13 કરોડની સહાય ચુકવવામાં આવી છે.જયારે 37 વારસદારો ને સહાય ચુકવવાની બાકી છે.જે આગામી સમય માં ચુકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોરબંદર જીલ્લા માં કોરોના થી મૃત્યુ પામેલા લોકો નો સરકારી આંકડો 170 નો છે.તેની સામે સરકારે 630 ફોર્મનો તો અત્યાર સુધી માં નિર્ણય કર્યા છે.ત્યારે કોરોના થી અવસાન પામેલા લોકો નો વાસ્તવિક આંક સરકારી આંક કરતા અનેક ગણો વધારે હોવાનું જણાઈ રહ્યું છે.
જુઓ આ વિડીયો