Saturday, October 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર આરટીઓ કચેરી ખાતે અનઅધિકૃત વ્યક્તિઓ ના પ્રવેશ પર પ્રતિબંધ

પોરબંદર

પોરબંદર આરટીઓ કચેરી ખાતે અનઅધિકૃત વ્યક્તિ તથા એજન્ટો ને પ્રવેશબંધીની અમલવારી કરવામાં આવી છે.ગઈ કાલે કેટલીક ફરિયાદો ઉઠતા પોલીસ બોલાવી એજન્ટોને કચેરી ના પટાંગણ માંથી દુર કરવામાં આવ્યા હતા.

આમ તો સરકારે આરટીઓમાં એજન્ટ પ્રથા ૧૯૮૯ થી નાબુદ કરી છે.તેમ છતાં પોરબંદર આરટીઓ કચેરી ખાતે અનેક એજન્ટો અને વચેટીયાઓ પડ્યા પાથર્યા રહે છે.અને શહેર માં પણ અનેક આરટીઓ એજન્ટ ની ઓફિસો કાર્યરત છે.આરટીઓ કચેરી ના પટાંગણ માં એજન્ટો દ્વારા વિવિધ કામ અર્થે આવેલા અરજદારો ને બોલાવી તેનું કામ વહેલીતકે પતાવવા માટે રકમ માંગવામાં આવતી હતી.જે અંગે અનેક ફરિયાદો ઉઠ્યા બાદ આરટીઓ અધિકારી બી એમ ચાવડા એ ગઈ કાલે પોલીસ ને બોલાવી આરટીઓ ના પટાંગણ માંથી બિન અધિકૃત વ્યક્તિઓ ને દુર કરવા જણાવ્યું હતું. આથી પોલીસે જે કોઈ કામ સિવાય પડ્યા પાથર્યા રહેતા હતા તેવા લોકો ને ત્યાંથી દુર કર્યા હતા.

અધિકારી ચાવડા એ જણાવ્યું હતું કે હાલ માં આરટીઓ ની મોટા ભાગ ની કામગીરી ઓનલાઈન થઇ શકે છે.તેમ છતાં એજન્ટો દ્વારા અરજદારો ને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો મળતા તેઓએ આ પગલું લીધું છે.અને કલેકટરના જાહેરનામાં મુજબ તમામ સરકારી કચેરીઓ માં અનઅધિકૃત વ્યક્તિઓ ને પ્રવેશ પર પ્રતિબંધ પ્રતિબંધ છે.જેથી કચેરી ના ગેઇટ પાસે ઉભેલા સિક્યુરિટી ગાર્ડને પણ અરજદાર સિવાય કોઈ અન્ય અનઅધિકૃત વ્યક્તિ અથવા એજન્ટો ને પ્રવેશ ન આપવા સુચના અપાઈ છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે