Monday, August 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરમાં ખોડિયાર જયંતિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી:મહાપ્રસાદી,ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા

પોરબંદર

પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિતે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખોડીયાર જયંતિ નિમિતે મહાપ્રસાદી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

પોરબંદરમાં કડીયાપ્લોટ થી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખાડીવાળા ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે સિદ્ધેશ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ તથા ખોડિયાર જયંતી નિમિત્તે ત્રીદિવસીય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રવિવારે દેહસુધ્ધિ,પ્રાયશ્ચિત,દશવિધ સ્નાન,ગણેશ પૂજન,પુણ્યહન વાંચન,જલયાત્રા, નગરયાત્રા,ગૃહશાંતિ હોમ,મૂર્તિ મહાનિષેક,મૂર્તિ મહાન્યાસ,આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.સોમવારે દેવ પૂજા, પ્રધાન હોમ,દિશા હોમ,તથા સિદ્ધેશ્વર મહાદેવ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી.ઉપરાંત શિખર અભિષેક અને માતાજી નાં મગર ની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી.

ત્યારે મંગળવારે ખોડીયાર જયંતિ ની પણ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ હતી.જેમાં ખોડિયાર માતાજીના મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.તથા આરતી,પૂજા કરવામાં આવી હતી.તેમજ મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જય માતાજીના નાદથી વાતાવરણ ભક્તિમય ભયું હતું.બહોળી સંખ્યામાં ભાવિકોએ ખોડિયાર જયંતીની ભાવપૂર્વક ઉજવણી કરી હતી.આજે પણ નાની બાળાઓએ ખોડીયાર માતાજી અને તેમની બહેનો નું રૂપ ધારણ કર્યું હતું.આ મંદિરની સામે માતાજીનું વાહન મગર માટે સ્થાન બનાવવામાં આવ્યું છે.સમગ્ર આયોજન ખોડીયાર મિત્ર મંડળ દ્વારા કરાયું હતું જેના સભ્યો એ સમગ્ર આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી.ત્રિદિવસીય ઉત્સવ ને લઇ ને સમગ્ર વિસ્તાર નાં રહેવાસીઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે