સમાજને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે શક્તિ ઉપાસનાનું કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલ ની પરીક્ષા પાસ કર્યા બાદ નાગપુર પાછા ભરીને ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રજીવનમાં પડેલ રોગનું નિદાન કર્યું અને તેની ચિકિત્સા માટે સંગઠન નામની ઔષધી નક્કી કરી હિન્દુ સમાજના સંગઠન માટે ૧૯૨૫ વિજયા દશમીને દિવસે નાગપુરમાં મોહિતે વાળા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના થઈ. આજે ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં શાખાઓ શરૂ થઈ ગઈ છે ભારત માતાને વિશ્વ ગુરુપદે પ્રસ્થાપિત કરી વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનો જય જય કરનાર કરોડો હિન્દુઓના હૃદયમાં એક સંગઠનની નવતર પદ્ધતિથી સંઘનું બીજ આજે વિરાટ વટ વૃક્ષ બની ચૂક્યું છે .જેની છત્રછાયામાં અનેક ભગીની સંસ્થાઓ પાંગરી ને ભારતના રાજકારણ, સાહિત્ય, ઇતિહાસ, શિક્ષણ ,સેવા ,સહકાર પરિવાર ભાવના, સામાજિક સમ રસ્તા, પર્યાવરણ ,સંરક્ષણ ,ગૌ સેવા સર્વ ધન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રભાવી પ્રદાપરણ કરી દેશના નવનિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહી છે.
શતાબ્દી વર્ષ; ૨૦૨૫ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ૧૦૦ થઈ રહ્યા છે ત્યારે ભારતમાં આજે સંઘ નું કામ વધુ જાય છે હાલમાં સંઘ 71355 સ્થાનો પર પ્રત્યક્ષ રીતે કાર્ય કરી રહ્યું છે અને સામાજિક પરિવર્તનના મહત્વપૂર્ણ કાર્યમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. સંઘનું લક્ષ્ય આગામી એક વર્ષ સુધીમાં એક લાખ સ્થળોએ પહોંચવાનું છે.
વર્ષ 2020માં કોરોના સંકટ પછી પણ સંઘનું કાર્ય વધ્યું છે. 2020 માં, 38913 સ્થળોએ 62491 શાખાઓ, 20303 સ્થળોએ સાપ્તાહિક સભાઓ અને 8732 સ્થળોએ માસિક મંડળો હતા. 2023 માં, આ સંખ્યા વધીને 42613 સ્થળોએ 68651 શાખાઓ, 26877 સ્થળોએ સાપ્તાહિક મિલનઓ અને 10412 સ્થળોએ માસિક મંડળો થઈ ગઈ છે. સંઘની દૃષ્ટિએ દેશભરમાં 911 જિલ્લાઓ છે, જેમાંથી 901 જિલ્લામાં સંઘનું સીધું કાર્ય ચાલે છે. 59326 મંડળોમાંથી 6663 બ્લોકમાંથી 88 ટકામાં, 26498 મંડળોમાં સંઘની સીધી શાખાઓ છે. શતાબ્દી વર્ષમાં સંઘ કાર્યને વધારવા માટે સંઘના નિયમિત પ્રચારક અને વિસ્તારક ઉપરાંત 1300 કાર્યકરો બે વર્ષથી શતાબ્દી વિસ્તારક બન્યા છે.
આજે સંઘ પ્રત્યે લોકોની રુચિ વધી રહી છે. લોકો સંઘની શોધ કરતી વખતે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સંઘ સાથે જોડાવા વિનંતી કરી રહ્યા છે. વર્ષ 2017 થી 2022 સુધીમાં, સંઘને RSS માં જોડાવા દ્વારા 7,25,000 વિનંતીઓ મળી છે. આમાંના મોટાભાગના 20 થી 35 વર્ષની વયજૂથના યુવાનો છે, જેઓ સમાજ સેવા માટે સંઘમાં જોડાવા માંગે છે. રોજીંદી શાખાઓમાં પણ યુવાનોનો રસ વધી રહ્યો છે. સંઘની 60 ટકા શાખાઓ વિદ્યાર્થીઓની શાખાઓ છે. છેલ્લા એક વર્ષમાં 121137 યુવાનોએ સંઘનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. આગામી વર્ષની યોજનામાં દેશભરમાં સંઘના શિક્ષણના 109 શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવશે, જેમાં અંદાજે 20 હજાર સ્વયંસેવકો શિક્ષણ મેળવશે. સંઘના શિક્ષણ ની અદભુત વ્યવસ્થા સંઘના પ્રથમ વર્ષમાં 15 થી 40 વર્ષની વયના સ્વયંસેવકો, બીજા વર્ષે 17 થી 40 વર્ષની વય જૂથમાં અને ત્રીજા વર્ષે 25 થી 40 વય જૂથે તાલીમ મેળવી છે. અમે કરીએ છીએ. 40 વર્ષથી વધુ વયના સ્વયંસેવકો માટે વિશેષ તાલીમ વર્ગોનું આયોજ થાય છે.
હવે તો સંઘનીશતાબ્દી વર્ષ નજીક આવી રહી છે ત્યારે તમામ તાલુકા તેમજ શહેરી વિસ્તારોમાં સંઘનું કામ શરૂ થઈ ગયું છે સમૃદ્ધ ભારતનું સ્વપ્ન સાકાર કરવા વર્તમાન પેઢી ને જોડી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજકાલ પુરા વિશ્વમાં આર.એસ.એસ.ને જાણવા માટે લોકો ઈચ્છા દર્શાવી રહ્યાં છે. એવુ તે સંઘમાં શું છે ? તે રાષ્ટ્રના કોઈપણ પ્રશ્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે અને હવેતો સંઘ પાસે જ અપેક્ષાઓ વધતી જાય છે. ચાલો જાણીએ.
સંઘ ને કચડીનાખવા માટે ત્રણ વાર પ્રતિબંધ આમ પણ અનેક સંસ્થા સંઘનો જુઠો પ્રચાર કરીત્રણ વાર ૧૯૪૮ ગાંધીજીની હત્યા સમયે, ૧૯૭૫ ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી નાખવામાં આવેલ, ૧૯૯૩ અયોધ્યામાં બાબરી ધ્વજ વખતે કટોકટી નાખવામાં આવેલ પણ . કોઈપણ શરત વગર પ્રતિબંધ ઉઠાવી નાખવામાં આવ્યો. અને સંઘની શક્તિ વધતી જ ગઈ આજકાલ પણ ઈન્ટરનેટના યુગમાં પણ આંગળીના ટેરવે યુવાનો નેટ દ્વારા સંઘને જાણી રહ્યા છે.
૧. સ્થાપક: ડાૅ. કેશવરાવ બલીરામ હેડગેવાર: .(૧૯૨૫ થી ૧૯૪૦)….પ્રથમ સંઘને જાણો….. ઓળખવાનો પ્રયત્ન કરો… પછી બોલો. સંગઠન જ રાષ્ટ્રની પ્રમુખ શક્તિ હોય છે. સંસારમાં કોઈપણ સમસ્યાનો ઉપાય સંગઠીત શક્તિના આધાર પર જ રહેલો છે. શક્તિહિન રાષ્ટ્રની આકાંક્ષા કયારેય સફળ થઈ શકતી નથી. પરંતુ સામર્થ્યશાળી રાષ્ટ્ર કોઈપણ કાર્ય જયારે ઈચ્છે છે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે. આપણે જેને સંગઠિત કરવા માંગીએ છેએ તેઓ અસંગઠિત છે. આમાથી કાર્યોપયોગી વ્યકિતને શોધવી તેમને સન્માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સુત્રબદ્ઘ અનુશાસિત આચરણ માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલુ નથી નથી નથી છતા પણ સદીયો પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મરદો સર્જ્યા એમ કહેવાય છે. એજ ઉકિતને સાકાર કરવા ડાૅ. હેડગેવારજીએ પથ્થરોમાં પ્રાણ પૂર્યા. માટીમાંથી માનવો પેદા કર્યા. રાષ્ટ્રના ઉત્થાન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અનુપમ સંગઠન ઉભુ કર્યું. ૧૯રપમાં વિજયા દશમીના દિવસે નાગપુરમાં અનેક વિરોધો અવરોધોને પાર કરીને એક બીજમાંથી વટવૃક્ષ સમાન વિસ્તર્યો. અનેક યુવાનોને જ્ઞાનનો દિપક લઈ રસ્તો ચીંધવા આગળ રહીને પોતાનું જીવન અનેક તરૂણો માટે દીવાદાંડી બની જાય અને સ્વામી વિવેકાનંદ કહેતા ”આ દેશમાં એક હજાર યુવકો ઉભા થાય જે આ દેશની સંસ્કૃતિને ઉંચે ઉઠાવવા બધુજ છોડીને નીકળી પડો” તેમ એક ઉચ્ચ કાર્ય પધ્ધતિ ”દૈનિક શાખા” દ્વારા કઠોર પરિશ્રમ અને જીવનમાં પ્રત્યક્ષ આચરણ દ્વારા ભારતીયોને નવી દિશા આપી શાખા દ્વારા સંગઠન અને તેમજ ગુરૂ તરીકે ભગવો ધ્વજ, સંસ્કૃત પ્રાર્થના, આજ્ઞા, ગણવેશ સતત સંસ્કારો મળતા રહે તે માટે આદર્શ ઉત્સવો વિજયા દશમી, મકરસંક્રાંતિ, વર્ષ પ્રતિપદા, હિન્દુ સામ્રાજયદિન, ગુરૂ પૂર્ણિમાં, રક્ષાબંધન. સ્વામી વિવેકાનંદના સ્વપ્નને અક્ષસરસહ પૂર્ણ કરી હજારો સ્વયંસેવકોની દેશ સેવા માટે ફોજ ઉભી કરીને તપસ્વી ડાૅ. હેડગેવારજી માતૃભુમિની પરમવૈભવની પ્રાર્થના કરતા ગયા અને અનેકને જોડતા ગયા. પછી અન્ય રાજ્યોમાં કાર્યકર્તાઓને મોકલવાનું શરૂ કર્યું 1940 સુધીમાં બધા રાજ્યોમાં શાખા શરૂ થઈ ગઈ આસામ અને ઓરિસ્સાને બાદ કરતા ૨૧ જૂન ૧૯૪૦ડોક્ટર સાહેબ ૫૧ વર્ષે નાગપુરમાં અવસાન પામ્યા એક આપણી સમક્ષ હિન્દુ રાષ્ટ્ર એક નાનું સ્વરૂપ ને જોઈ ને ગયા
ર. આમ દૈનિક શાખા દ્વારા જ રાષ્ટ્રોત્સાન આગળ વધારવા૧૯૪૦ થી થી ૧૯૭૩ .દ્વિતીય સરસંઘચાલકજી પરમ પૂ. શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર(ગુરૂજી)નો જન્મ ૧૯.-૨-૧૯૦૬ પ્રાથમિક માધ્યમિક ઇન્ટર સાયન્સ પછી અભ્યાસ કાશી વિદ્યાલય માં કરેલ પ્રાણીશાસ્ત્ર વિષયમાં એમ.એસ.સી. ની પદવી મેળવી હતી જીવનકાળમાં શરૂ થયો હતો. તેઓ નાગપુર બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્યાપક કાર્ય કરી વિધાર્થી પ્રિય થયા. વિધાર્થી લાડથી ”ગુરૂજી” કહેતા ત્યારથી ગુરૂજી”થી પ્રખ્યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્વયંસેવકો હિત ચિંતકોમાં ”ગુરૂજી” તરીકે પ્રસિધ્ધ થયા.
૩૩ વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો, સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યકિતગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા. તેમના આ લાંબા કાર્યકાળ દરમિયાન સંઘ અને દેશ બંને અનેક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાંથી પસાર થયા. સંઘની દ્રષ્ટિથી જોઈએ તો દેશ વિભાજન સમયે સંઘે કરેલુ કાર્ય,
૧૯૪૮ મહાત્મા ગાંધીની હત્યાને નિમિત્ત બનાવી લાદેલા અન્યાયી પ્રતિબંધ અને સંઘને કચડી નાખવાના સર્વ પ્રકારના પ્રયત્નો પછી પણ નાછૂટકે બિનશરતે ઉઠાવયેલા પ્રતિબંધ પછીનું ભવ્ય સ્વાગતપર્વ એ સૌથી મહત્વની ઘટનાઓ હતી.
દેશની દ્રષ્ટિએ દેશ વિભાજન, ચીન ભારત યુદ્ઘ, પાકિસ્તાન સાથેનાં બન્નો યુદ્ઘો જેવી અનેક ઘટનાઓ તેમના કાર્યકાળમાં બની. આ બધા મહત્વપૂર્ણ પ્રસંગોએ તેમણે સ્વયંસેવકો તથા રાષ્ટ્રને શોર્ય, ધૈર્ય અને સર્વસ્વાર્પણની પ્રેરણા આપી. પોતાનાં લાંબા કાર્યકાળ દરમિયાન શ્રી ગુરૂજીએ હિંદુ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે અનેકવિધ પ્રયાસો કર્યા.સંપૂર્ણ વિશ્વના હિંદુઓને સંગઠિત કરવાની દ્રષ્ટિએ તેમણે વિશેષ રસ લઈ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી અને ”ન હિંદુ પતિતો ભવેત” નો મહામંત્ર આપવા માટે પૂ. સંતોને પ્રેરયા. ”રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ્” જેવા મંત્રો પ્રચલીત છે. તેઓશ્રીના કાર્યકાળ દરમિયાન સંઘનો વ્યાપ તમામ ક્ષેત્રોમાં વધાર્યો જે ક્ષેત્રો આજે વિશ્વમાં નંબર એકના સ્થાન ઉપર છે અને સંઘ પોતાના પર છવાયેલા સંકટોને સફળતા પૂર્વક દૂર કરી રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ લઈ શકે છે અને સામાજિક હિત અર્થે ઉપયોગી થઈ શકે છે. આમ શ્રી ગુરુજી ૫ જૂન ૧૯૭૩ ના રોજ નાગપુર ૬૭ વર્ષે અવસાન થયું અવસાન થયું
૩. સંઘના તૃતીય સરસંઘચાલકશ્રી પૂ. મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ) નો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૧૫ નાગપુરમાં થયો હતો નાગપુરમાં મેટ્રિક બીએ અને ત્યારબાદ એલએલબી પરીક્ષા પાસ કરેલ હતી અનાથ વિદ્યાર્થી બસ્તી ગૃહમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. ૧૯૭૩ થી ૧૯૯૪ના સમયમાં ત્રીજોભાગ શરૂ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ સાબિત કર્યું કે, રાષ્ટ્ર ઉપર આવેલ લોકતાંત્રીક અથવા ભૌગોલીક સંકટોના સમયે એકસાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કટોકટી વિરૂદ્ઘનો સફળ સંઘર્ષ અને પ્રાકૃતિક મૂશ્કેલીઓના સમયે સમાજસેવાના માધ્યમથી આ સિધ્ધ થયેલ. વિશ્વના મહાન સંગઠનના સરસંઘચાલક આવો મોટો ઉચ્ચ હોદ્દો ધરાવતા પોતાની નાદુરસ્ત તબીયત થતા પોતાનો હોદ્દો વિના સંકોચે તરતજ બીજાને સોપી દીધો આમ, સંઘના ”મે નહીં તુ” ના આદર્શ સંસ્કારોની પ્રેરણા આખા વિશ્વને આપી હતી.” અગર અશ્પૃશ્યતા જો પાપની નથી તો દુનીયામાં બીજુ કોઈ પાપ નથી.” આમ ૧૭ જૂન૧૯૯૬ ના દિવસે પૂના ખાતે અવસાન પામ્યા હતા
૪. *સંઘના ચતુર્થ સરસંઘચાલક શ્રી પ્રો. રાજેન્દ્રસિંહ *નો જન્મ ૨૯ જાન્યુઆરી ૧૯૨૨ ઉત્તર પ્રદેશના બનેલ ગામ જીલ્લો ( બુંલંદ શહેર) થયો હતોજેઓને ગામના વડીલો, વૃદ્ઘો અને સગાસબંધીઓ રજજુ તરીકે સંબધોતા અને સંઘમા રજજુભૈયાના નામે લોકપ્રિય થયા. 21 વર્ષની ઉંમરે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૈાતિકીના સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવગત વિશિષ્ટતા હતી. સમગ્ર દેશમાં સંઘકાર્યના વિસ્તારમાં તેમણે દધીચિ ધર્મનું પાલન કર્યું જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર થવાનીહતી તે થઈ અને જેમનો આગ્રહ હતો શાખાજ સંસ્કાર ઘડતરનું માધ્યમ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રજીવનની સમસ્ત ગતિવિધિયોના કેન્દ્રમાં હિન્દુત્વની વિચારધારા લાવવાની દિશામાં પ્રભાવી થઈ શકે છે અને વધુ આગળ વધી શકે છે, આ બાબત રામજન્મભૂમિ આંદોલન તથા ત્યારબાદની ઘટનાઓથી સાબિત થયું.
પ. *પાંચમાં સરસંઘચાલક કુપ. સી. સુદર્શનજી *કે જેઓનો જન્મ ૧૮ જૂન ૧૯૩૧ના રોજ મધ્ય પ્રદેશના રાયપુર શહેરમાં થયો. નાનપણથી જ મેઘાવી એવા મા. સુદર્શનજી ટેલિ કોમ્યુનિકેશનમાં એન્જીનીયરીંગની પદ્દવી ધરાવે છે. ભર યુવાન વયે ર૩માં વર્ષે, ૧૯પ૪ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. સુદર્શનજી સંઘકાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા. ચોથાભાગની સફળતાબાદ હાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાંચમાં ચરણ તરફથી આગળ વધી રહેલ છે એટલે કે, વર્તમાન સમય એક સંક્રાંતિકાળ છે. રેલગાડી પણએક પાટાપર ચાલતા-ચાલતા બીજી લાઈનપર ચડે છે ત્યારે તે સમયે કેટલોક ખખડાટ થાય છે, અવાજ સંભળાય છે અને લાગે છે કે, અવ્યવસ્થા સર્જાય રહેલ છે પરંતુ એ બધુ ગૌણ હોય છે અને મોટી બાબત એ છે કે, આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં.
૬.છઠ્ઠા સરસંઘચાલક મા. મોહનજી ભાગવત*નો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯પ૦ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો. તેઓ ડોક્ટર પંજાબ રાવ દેશમુખ વિદ્યાપીઠ અકોલા મહારાષ્ટ્રમાંથી પશુ ચિકિત્સા વિજ્ઞાનના માં સ્નાત ક પદવી મેળવી હતી.તેમના પિતા મા. મધુકરરાવજી ભાગવત ૧૯૪૪થી ૧૯પ૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટ વાણી અને મિષ્ટ વ્યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતનાં લગભગ ૧૧પ ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી.ઘરમાં સંઘનું જ વાતાવરણ હતું, માતાજી પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતાં. શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા. વર્ષ ૧૯૭પમાં સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. એ સમયગાળામાં જ કટોકટી જાહેર થતાં તેમણે ભૂગર્ભવાસ કરીને સંઘકાર્યનું દિશાદર્શન કર્યું. કટોકટી દરમિયાન પિતાજી, માતાજી અને ભાઈની ધરપકડ થઈ. મોહનજી ભૂર્ગભમાં, એટલે નાના બે ભાઈ બહેને હિંમતથી ઘર સંભાળ્યું અને વહેવાર ચલાવ્યો. કટોકટી દૂર થતાં ૧૯૭૭માં નાગપુર અને વિદર્ભ વિભાગ પ્રચારકની જવાબદારી સોંપાઈ, ૧૯૮૭માં અખિલ ભારતીય સહસરકાર્યવાહની જવાબદારી સોંપાઈ, વર્ષ ૧૯૯૧માં અખિલ ભારતીય શારીરિક શિક્ષણ પ્રમુખની અને વર્ષ ૧૯૯૯માં અખિલ ભારતીય પ્રચારક પ્રમુખની જવાબદારીઓ સોંપાઈ. વર્ષ ર૦૦૦માં સંઘના સરકાર્યવાહ મા. શેષાદ્રિજીએ શારીરિક નાદુરસ્તીને કારણે નિવૃત્તિ લેતાં મોહનજીને અખિલ ભારતીય સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ જે તેમણે ર૦૦૯ સુધી સુપેરે નિભાવી. સરસંઘચાલકની અનેરી પરંપરા (૧૯રપ થી ર૦ર૦) જળવાઈ રહી છે.
આમ ૧૯રપ થી ર૦ર૩ સુધીમાં સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવક દ્વારા અભુતપૂર્વ કામ શરૂ કરેલ છે જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભારતી, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝર, પંડિત દિનદયાલ શોધ સંસ્થાન, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ભારતીય વિકાસ પરીષદ, વિશ્વ સંવાદ કેન્દ્ર, વિશ્વ વિભાગ, વિશ્વ હિન્દુ પરીષદ, રાષ્ટ્રીય સેવીકા સમિતિ, સંસ્કાર ભારતી, પૂર્વ સૈનિક સેવા પરીષદ, ભારતીય વિચાર મંચ, અખિલ ભારતીય સાહીત્ય પરીષદ, સહકાર ભરતી, વનવાસી કલ્યાણ પરીષદ, ભારતીય કિશાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતીય શિક્ષણ મંડળ, ભારતીય મજદુર સંઘ, ભારતીય અધિવકતા પરીષદ, લઘુઉદ્યોગ ભારતી, સંસ્કૃત ભારતી ગ્રંથાલય ભારતી, ઉપરોકત અનેક પરિવારક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભકિતના સંસ્કારમાં પ્રવૃતમય કરેલ છે અને આજે વિશ્વમાં પોતાની સંસ્થાનો, તાકાતનો પરચો દેખાડેલ છે અને ભારતના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી મુખ્યમંત્રી હોય સંઘના સ્વયંસેવક છે. પણ સંઘનો ઉદેશ તો સ્પષ્ટ જ કે દુનિયામાં ભારત દેશ જ્ઞાન-વિજ્ઞાન, આર્થિક પગભર, સર્વાંગી વિકાસ તેમજ આધ્યાત્મિકતા તેમજ ચારીત્ર્યવાન લોકો દ્વારા સંગઠીત સમાજના નિર્માણ દ્વારા ભારત નંબર વન રહે. આજે વિશ્વમાં ૩૮ દેશોમાં ૭૧૬ સ્થાન ઉપર હિન્દુ સ્વયંસેવક સંઘ (એચ.એસ.એસ.) નામથી કાર્ય ચાલી રહ્યું છે.
સ્વતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સક્રિય યોગદાન રહ્યું છે. સ્વાતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સક્રીય યોગદાન રહ્યું છે. ૧૯૩૦ જંગલ સત્યાગ્રહમાં ડો. હેડગેવારજીને એક વર્ષનો કારાવાસ થયો. ૧૯૪ર ભારત છોડો આંદોલન દરમ્યાન અનેક રાષ્ટ્રીય નેતાઓને સ્વયંસેવકો દ્વારા ભૂગર્ભ સંરક્ષણ આપવામાં આવ્યું. જેમાં જયપ્રકાશ નારાયણ અને અરૂણા આશફઅલીને દિલ્લી પ્રાંતના સંઘચાલક શ્રી હંસરાજ ગુપ્તાએ આશરો આપ્યો હતો.
૧૭ ઓકટોબર ૧૯૪૭ પ. પૂ. શ્રી ગુરૂજી દ્વારા કાશ્મીરના મહારાજા હારિસિંહ સાથે મુલાકાત કરી અને મહારાજાને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ માટે તૈયાર કર્યા હતા. ભારત વિભાજનની ક્ષણોમાં હજારો હિન્દુ નિરાશ્રીત પરિવારનાં જીવનરક્ષક તરીકે સંઘના સ્વયંસેવકોપોતાના પ્રાણોની આહુતી આપી હતી. ૧૯૪૮-૪૯ સ્વયંસેવકો દ્વારા કોટલીના યુદ્ઘ મેદાનમાં ચાલુ યુદ્ઘે મેદાનમાંથી દારૂગોળો ભરેલી પેટીઓ જીવના જોખમે લઈ આવવામાં આવી જેમાં અનેક સ્વયંસેવકો બલિદાન થયા હતા. ૧૯૬ર શ્રી ગુરૂજી દ્વારા સરકારને ચીની આક્રમણની પૂર્વ ચેતવણી આપી હતી. યુદ્ઘકાળમાં સ્વયંસેવકો દિલ્લી સુરક્ષાની જવાબદારી ઉપાડી લીધી હતી જેનાથી પ્રભાવિત થઈને પં. નહેરૂએ ર૬મી જાન્યુઆરી ૧૯૬૩ના પ્રજાસત્તાક દિન પરેડમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ૩,૦૦૦ સ્વયંસેવકો ગણવેશમાં જોડાયા હતા. ૧૯૬પ પાકિસ્તાન સાથે યુદ્ઘના સમયે જવાનો મોરચે સહાય. ૧૯૭૧ના યુદ્ઘમાં રાજસ્થાન, પંજાબ, જમ્મુ સીમાઓ પરથી જીવના જોખમે સ્વયંસેવકોએ પેટ્રોલ ભરેલા ડ્રમ સલામત સ્થળે ખસેડયા. ૧૯૯૯ કારગીલ યુદ્ઘ સમય સ્થાન-સ્થાન પર દેશભિકતના કાર્યક્રમ કરવામાં આવ્યાં.
રાષ્ટ્ર જાગરનું કાર્ય અને સંઘ: સમાજના વિભિન્ન પ્રશ્નનોને લઈને સમય-સમય પર રાષ્ટ્ર જાગરનું કાર્ય સંઘના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ છે. શ્રીરામ જન્મભૂમિ આંદોલન, વિશ્વમંગલ ગો-ગ્રામ યાત્રા, અમરનાથ યાત્રા આંદોલન, રામ-સેતુ આંદોલન, શિક્ષણ બચાવો આંદોલન, સરહદ કો પ્રણામ, સામાજિક સમરસતા, સ્વામી વિવેકાનંદ સાર્ધ સાતી સમારોહ આદિ.
કુદરતી આપદામાં સમાજની સંગાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આમ ૧૯રપ થી ર૦ર૩ સુધીમાં સંઘના સ્વયંસેવકોએ અભૂતપૂર્વ જનઆંદોલનો અને દેશના આવેલા કુદરતી પડકારોને પહોંચી વળવા માટે સંઘના સ્વયંસેવકોએ સમાજને સાથે રાખી અભૂતપૂર્વ કાર્યો કર્યા જેમાં અદ્દભૂત સફળતા મળેલ
.કુદરતી આપદામાં સમાજની સંગાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
આપદા પ્રાકૃતીક હોય કે મનુષ્ય નિર્મિત. સંકટ સમયે સર્વ પ્રથમ તે સ્થાન પર પહોંચી રાહત કાર્ય પ્રારંભનું કાર્ય સંઘના સ્વયંસેવકો કરે છે. મોરબીની હોનારત કે ગુજરાતનો ધરતી કંપ કે આંધ્રનું ચક્રવાત હોય, તામીલનાડુ નું સુનામી, ઉત્તરાખંડનું પુર, નેપાળનું ધરતી કંપ હોય કે પછી કોરોના હોય સંઘના સ્વયંસેવકો સેવાકાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે.
વિદેશમાં પણ સંઘના કામનો દબદબો એટલો ચાલુ રહ્યો છે 50 દેશોથી વધુમાં એચએસએસ હિન્દુ સ્વયંસેવક સંઘ તેમજ ભગિની સંસ્થાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંઘના કાર્ય દ્વારા ઉજાગર કરી રહ્યું છે.
રાષ્ટ્ર કાર્ય માટે સંઘ સાથે રહી આપણે શું કરી શકીએ ?
સઘં કાર્યને નજીકથી નિહાળવા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામેલ થઈએ. પોતાના બાળકોને રાષ્ટ્રકાર્ય માટે કટિબદ્ઘ થવા
સંઘ શાખામાં મોકલીએ. સપ્તાહમાં એક દિવસ સમાજ સેવા કાર્ય – શિક્ષણ, સંસ્કાર, સ્વાવલંબન, આરોગ્ય, પર્યાવરણ આદિ વિષય પર વ્યિકતગત અથવા સંસ્થાના રૂપમાં સામેલ થઈએ.
જયેશ સંઘાણી,
૯૪ર૮ર ૦૦પર૦,
jrsanghani@gmail.com
માહિતી :-
તેજસ જે. થાનકી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(જિલ્લા પ્રચાર પ્રમુખ)
પોરબંદર