ભોરાસર સીમ શાળા ના આચાર્ય ને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી અંગે તેઓએ પોલીસ માં ફરિયાદ અરજી કર્યા બાદ પોલીસે ચેપ્ટર કેસ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
રાણાવાવ ના ગ્રીન સીટી માં રહેતા અને ભોરાસર સીમ શાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવતા લાખાભાઈ લીલાભાઈ ચુંડાવદરા(ઉવ ૪૯)એ પોલીસને કરેલી ફરિયાદ અરજી માં જણાવ્યું હતું કે દેગામ ગામે રહેતા તેના કાકાના પુત્ર મેણંદભાઈ રાણાભાઈ ચુંડાવદરાને ત્યા તા. ૧૩/૩ અને ૧૪/૩ ના રોજ હોળીના દિવસે દિકરાની વાળ, સાંજીનો પ્રોગ્રામ અને બાર પહોર પાટોત્સવ નિમિતે રસોઈ કામ માટે રાણાવાવના અમરીબેન ભરવાડ સાથે એકાદ વર્ષ અગાઉ નકી કરાયું હતું પરંતુ અમરીબેન રસોઈ માટે આવ્યા ન હતા અને રામગઢ ખાતે અન્ય વ્યકિતને ત્યા રસોઈ કામ માટે જતા રહ્યા હતા.
તેઓએ ઘણા વ્યકિતઓ સાથે આવું કર્યું હોવાથી સમાજમાં જાગૃતતા આવે તે માટે લાખાભાઈ એ ફેસબુકમાં આ અંગે લખાણ લખ્યું હતું જેથી અમરીબેનના સબંધી કિશન ભરવાડના નામના શખ્સે તા. ૧૨/૩ ના રાત્રે ફોન કરી ફેસબુક પોસ્ટ હટાવવા જણાવી અને શાળાએ આવી ટાટીયા ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી અને હું કોઈનાથી બીતો નથી તેવું જણાવ્યું હતું જે અંગે લાખાભાઈ એ કોલ રેકોર્ડીંગ કર્યું હતું અને ભવિષ્યમાં કોઈ ઘટના ન બને તે માટે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસે આ અંગેના તપાસના પંદર દિવસ બાદ કિશન સિંધલ ઉર્ફે ભરવાડ વિરુદ્ધ ચેપ્ટર કેસ નોંધી અને તેને કોર્ટ માં મેજિસ્ટ્રેટ પાસે થી જામીન લેવડાવ્યા હતા લાખાભાઈએ જણાવ્યું હતું કે તેઓ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પણ અધ્યક્ષ છે સરકારી કર્મચારીઓ બાબતે આવું બને ત્યારે તાત્કાલિક પગલા ભરવાં જોઈએ, પરંતુ આવું જોવા મળતું નથી.તાજેતર માં શિક્ષિકા ને થપ્પડ મારવાનો બનાવ બન્યો હતો ત્યારે સરકારી કચેરીઓના કર્મચારીઓની સલામતી અંગે જિલ્લા કક્ષાએ અલગથી રીવ્યુ થવું જરૂરી જણાય છે.