Sunday, October 19, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સિંધીસમાજના સંત ખાનુરામજીનો વરસી ઉત્સવ ધામધુમથી ઉજવાયો

પોરબંદરના સિંધીસમાજના સંત ખાનુરામજીનો વરસી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

પોરબંદરના સિંધીસમાજના સંતશ્રી ખાનુરામજીનો વરસી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પોરબંદરમાં સિંધી સમાજના સંતશ્રી ખાનુરામજીની ૭૪મી વરસી ઉત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું

આયોજન થયેલ હતુ. વરસી ઉત્સવના સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા મેમણવાડા મંદિર થલ્હીના ગાદીપતિ સંતશ્રી સાંઇ મુલણશાહ ભારતીમાતા જણાવે છે કે પોરબંદરના આંગણે આ વખતે સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબનો વરસી ઉત્સવ મેલો ત્રણ દિવસ સુધી ભક્તિભાવ સાથે ઉજવવામાં આવેલ.

વરસી ઉત્સવ નિમિત્તે પોરબંદર સિંધી સમાજના બ્રાહ્મણ શ્રી દેવીદાસજી પુજનવિધિ સાથે વરસી ઉત્સવનો પ્રારંભ કરાવેલ. સવારે મંદિરે વડોદરાના મશહુર કલાકાર પ્રકાશ ભગત ધાર્મિક ભજનો સાથે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. ત્યારબાદ ગુરુગ્રંથ સાહેબના અખંડપાઠ સાહેબનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ. ત્યારબાદ આરતીસાહેબ, પલ્લવસાહેબ થયા હતા. ત્યારબાદ પ્રસાદી વિતરણ કરવામાં આવેલ. સાંજે સુરત થલ્હી-મંદિરના સેવાદારી નિખીલ લાલવાણીના ભજનકીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. રાત્રે પોરબંદરની મશહૂર હેમનભાઈ ભાવનાણી, નીતિન ભાવનાણીની છમાછમ ટોલીનો ધમાકેદાર ભગતનો પ્રોગ્રામ રાખવામાં આવેલ.

વડોદરાના નામી કલાકાર પ્રકાશભગતનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ. ત્યારબાદ હુકમનામું, અરદાસ, શ્રી આરતી સાહેબ, પલ્લવસાહેબ બાદ પ્રસાદી વિતરણ થયેલ. ત્યારબાદ અજમેરના મશહૂર ઇન્ટરનેશનલ યુવા સિંગર લવીકમલ ભગતનો છમાછમ ટોલીનો જોરદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ. રાત્રે લીવીભગતના પ્રોગ્રામમાં આવેલ સંગતનો ભંડારો લોહાણા મહાજનવાડીમાં રાખવામાં આવેલ.

છેલ્લે દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં સવારે સંત શ્રી ખાનુામજીના મંદિરે ધાર્મિક ગીતો સાથે ડી.જે.નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સિંધી છેજ બહેનો માટે ગરબા રાસનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં ધાર્મિક ભજનો પર રાસ સ્તૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ, સિંધી સમાજના સ્થાનિક તેમજ બહારગામથી વરસી ઉત્સવમાં પધારેલા ગમેગામના પંચાયતી પ્રમુખો, આગેવાનોનો સન્માન સમારંભ રાખવામાં આવેલ. બપોરેશ્રી ગુરૂગ્રંથસાહેબના અખંડપાઠ સાહેબનો ભોગ સાહેબ પૂર્ણાવતી થયેલ. વરસી ઉત્સવમાં આવેલ સર્વ ભકતનો તેમજ ભોગ સાહેબમાં હાજર સર્વે ભકતજનોને ભોગ સાહેબની પ્રસાદી આપવામાં આવેલ.

પોરબંદરમાં દર વર્ષે સંતશ્રી ખાનુરામ સાહેબનજીના મંદિરે સંતશ્રી ખાનુરામજીનો ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે. ગામેગામથી સિંધી સમાજના હજારો ભકતજનો મંદિરના દર્શનાર્થે આવે છે. મુખ્ય સ્થાનક પોરબંદર સિવાય અનેક શહેરોમાં પણ સંતશ્રી ખાનુરામજી સાહેબજી વરસી ઉત્સવનું આયોજન થતુ હોય છે. જેમાં વંથલી, કેશોદ, જેતપુર, જૂનાગઢ, ધોરાજી, પાલીતાણા, સુરત, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પણ સંતશ્રી ખાનુરામ સાહેબનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. બપોરે ગુરૂગ્રંથ સાહેબના અખંડ પાઠ સાહેબનો ભોગસાહેબ પૂર્ણાવતી અરદાસ સાથે પૂર્ણ થયેલ. ત્યારબાદ આરતી સાહેબ પછી આ વર્ષના વરસી ઉત્સવનો પલ્લવ સાહેબ પૂર્ણાવતીનો પલ્લવ, ભારતીમાતા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ આ વર્ષના મેલાની પૂર્ણાવતી થયેલ.

સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબની વરસી ઉત્સવમાં પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, અગ્રણી લાબાભાઈ રામભાઈ ઓડેદરા, ધવલભાઈ જોષી સહિત વિવિધ આગેવાનોએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારેલ.બહારગામથી પધારેલા સર્વ ભકતજનો માટે ત્રણેય દિવસ લંગર પ્રસાદ ભંડારાની વ્યવસ્થા શ્રી લોહાણા મહાજનવાડીમાં રાખવામાં આવેલ. તેમજ બહારગામથી પધારેલા તમામ ભકતજનો માટે ત્રણેય દિવસ રહેવાની સુવિધા શ્રી લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવેલ. તેમજ પોરબંદરના સર્વે સિંધી સમાજના પરિવારનો ભંડારો તેભમજ બહારગામના ભકજનોનો ભંડારો શ્રી લોહાણા મહાજનવાડી ખાતે રાખવામાં આવેલ.

છેલ્લા બે મહિનાથી સંતશ્રી ખાનુરામસાહેબ, પૂ. માતા સાધણી સાહેબના વંશજ પરિવારના સર્વશ્રી ગાદીપતિ સંતશ્રી સાંઇ મુલણશાહ ભારતીમાતા, સતીષભાઈ, રાજાભાઈ, સુનિલકુમારની સાથે પોરબંદરના સમસ્ત સિંધી સમાજના સેવાદારીઓ વરસી ઉત્સવને સફળ બનાવવા માટે તડમાર તૈયારીઓ કરી રહ્યા હતા.વરસી ઉત્સવના આયોજનને સફળ બનાવવા માટે સિંધી સમાજના સેવાદારીઓની કુલ મુખ્ય ૨૧ સમિતિઓ બનાવવામાં આવેલ છે. દરેક સમિતિ નીચે આઠથી દસ સેવાદારીઓનો સમાવેશ કરવામાં આવેલ. સ્થાનિક તેમજ બહારગામથી પધારેલ ભકતજનો વરસી ઉત્સવનો વ્યવસ્થિત લાભ લઇ શકે

તે માટે થલ્હી -મંદિર તરફથી જોરદાર વ્યવસ્થાઓ કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પોરબંદર સિંધી સમાજના આગેવાનો, સેવાદારી મહાજનવાડી ખાતે રાખવામાં આવેલ.

છેલ્લા બે મહિનાથી સંતશ્રી ખાનુરામસાહેબ, પૂ. માતા સાધણી સાહેબના વંશજ પરિવારના સર્વશ્રી ગાદીપતિ સંતશ્રી સાંઇ મુલણશાહ ભારતીમાતા, સતીષભાઈ, રાજાભાઈ, સુનિલકુમારની સાથે પોરબંદરના સમસ્ત સિંધી સમાજના સેવાદારીઓ વરસી ઉત્સવને સફળ બનાવવા માટે તડમાર તૈયારીઓ કરી રહ્યા હતા.વરસી ઉત્સવના આયોજનને સફળ બનાવવા માટે સિંધી સમાજના સેવાદારીઓની કુલ મુખ્ય ૨૧ સમિતિઓ બનાવવામાં આવેલ છે. દરેક સમિતિ નીચે આઠથી દસ સેવાદારીઓનો સમાવેશ કરવામાં આવેલ. સ્થાનિક તેમજ બહારગામથી પધારેલ ભકતજનો વરસી ઉત્સવનો વ્યવસ્થિત લાભ લઇ શકે તે માટે થલ્હી -મંદિર તરફથી જોરદાર વ્યવસ્થાઓ કરવામાં આવેલ હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પોરબંદર સિંધી સમાજના આગેવાનો, સેવાદારી ભાઈઓ,સેવાદારી બહેનો તેમજ પૂજ્ય સાધણી સાહેબ સેવા સમિતિ, પોરબંદરના યુવાનો જહેમત ઉઠાવી હતી. સર્વે સિંધી સમાજના પરિવારોએ વરસી ઉત્સવમાં ઉત્સાહભેર હાજરી આપીને સંતશ્રી મુલણશાહ ભારતીમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરેલ હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે