Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ પંથકની પરિણીતાને પતિએ ત્રાસ આપી 9 માસની બાળકી ઝુટવી લેતા ૧૮૧ ની ટીમ મદદે દોડી ગઈ

રાણાવાવ પંથકની પરિણીતાને પતિએ ત્રાસ આપતા અને બાળકી ઝુટવી લેતા ૧૮૧ ની ટીમે કાયદાકીય સમજ આપીને બાળકીનો કબ્જો મહિલાને સોપ્યો હતો.

રાણાવાવ તાલુકામાંથી મહિલાએ ૧૮૧ માં ફોન કરી જણાવ્યું હતું કે ૮ દિવસ પહેલા મારા પતિએ મને નાની એવી વાતથી લઈને મારકૂટ કરેલ હોવાથી હું મારા બંન્ને બાળકોને લઈને મારા પિયરમાં જતી રહેલ હતી.ત્યાર બાદ મારા જરૂરી ડોકયુમેન્ટ લેવા માટે ગઈ હતી,ત્યારે મારા પતિ એ મારી નવ માસની બાળકી લઈ લીધી છે, તો તમો મારી મદદ માટે આવો.

કોલ અભયમ ટીમને આવતાની સાથે જ બતાવેલ સરનામે પહોંચીને ૧૮૧ અભયમ ટીમે તેમને પ્રોત્સાહન આપેલ. તેમની સમસ્યા જાણતા મહિલાએ જણાવેલ કે મારા ૫ વર્ષના ઘર સંસારમા મારે બે સંતાન છે. મારા પતિ ઘરની નાની-નાની બાબત લઈને હેરાનગતિ કરતા હોય ને ૮ દિવસ પહેલા પણ નાની એવી બાબત લઈને મારકૂટ કરેલ હોવાથી હું કંટાળીને બાળકોને લઈને મારા પિયરમાં જતી રહેલ હતી, હું મારા ૯ માસના બાળકને લઈને મારા પતિ પાસે ડોકયુમેન્ટ લેવા માટે આવેલ હતી તો મારા પતિએ ડોકયુમેન્ટ તો આપી દિધેલા પરંતુ ૯ માસની બાળકી ઝુટવી લીધેલ હોય ને મને ઘરની બહાર નીકળી જવાનુ કહેલ.

વધુ માં મહિલાએ જણાવેલ કે ઘરની નાની નાની બાબતે ઝગડા થતા હોવાથી હું બાળકોના ભવિષ્યનું વિચારીને જતુ કરી દેતી પરંતુ થોડા સમયથી મારકૂટ કરવાનુ ચાલુ કર્યું હતું ને આઠ દિવસ પહેલા પણ મારકૂટ કરી હોવાથી હું પિયરમાં જતી રહેલ હતી. પોરબંદર ૧૮૧ ટીમ દ્રારા મહિલાના પતિને સમજાવી કાયદાકીય સમજણ આપી બાળકીના સ્વાસ્થય અને ભવિષ્ય વિશે તેમના પતિની સહમતી થી હંગામી ધોરણે બાળકીનો કબ્જો મહિલાને અપાવ્યો હતો, મહિલા તથા તેમના પતિ વચ્ચેની તકરાર ને દુર કરવા તથા તેમનુ સાંસારીક જીવન ફરીથી સારી રીતે ચાલવા લાગે તે માટે લાંબાગાળા કાઉન્સિલિંગ અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે