માધવપુર મેળામાં આવતાં લોકોની આરોગ્યની કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર તેમજ મેળા પરિસરમાં અલગ અલગ પોઈન્ટ પર ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરાયા છે.
માધવપુર ઘેડ ખાતે આગામી તારીખ ૬ થી તા. ૧૦ દરમ્યાન મેળો યોજાનાર છે.મેળામાં આવનાર લોકોની આરોગ્ય કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. મેળામાં અલગ અલગ પોઈન્ટ પર ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે જ્યારે મેળો માળનાર કોઈ લોકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા મેડીકલ કોન્વેમાં ૧ આઈ.સી.યુ સાથે એમ્બ્યુલન્સ અને ૪ એમ્બ્યુલન્સ માધવપુર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમજ આરોગ્યની ઇમરજન્સી ઊભી થાય તે માટે માધવપુર સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે જ્યાં એમ.ડી ફીઝીશીયન. એમ.ડી એનેસ્થેટિક.એમ.એસ. સર્ઝન જેવા સેપેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે અને ઈમરજન્સીમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક બ્લડ સ્ટોરેજ યુનિટ તૈયાર રાખવામાં આવશે. જિલ્લા પંચયાત આરોગ્ય વિભાગ દ્વારા મેળાનાં નવા સી.એચ.સી સામે પાર્કિંગ એરિયામાં ખાતે ૧ ટીમ માધવરાયજી મંદિર પાસે ૧ ટીમ , શેઠ એન.ડી.આર હાઈસ્કુલ પાસે ૧ ટીમ અને ચોરી માયરા ખાતે ૧ ટીમ એમ ૪ ટીમો જુદા-જુદા પોઈન્ટ પર ૨૪× ૭ સમય માટે મેડીકલ સેવાઓ આપવા આપવામાં આવશે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે
લોક મેળામાં વાસી અને અખાદ્ય પદાર્થોને કારણે લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે પોરબંદર , રાજકોટ ,જુનાગઢ ,ભાવનગર અને હિંમતનગર સહિતના જિલ્લામાંથી ૧૦ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા માધુપુર મેળામાં ફૂડ સ્ટોલોમાં અખાદ્ય અને વાસી પદાર્થોનું સઘન ચેકિંગ કરવામાં આવશે અને અખાદ્ય અને વાસી પદાર્થોનો નાશ કરવામાં આવશે અને નિયમો અનુસાર અખાદ્ય તેમજ વાસી પદાર્થોનું વેચાણકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફૂડ સેફ્ટી વાન દ્વારા મેળામાં જનજાગૃતિ અંગેના અવરનેશ કાર્યક્રમ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરવામાં આવશે.