પોરબંદર સમગ્ર મુસ્લીમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઈસ્લામ દ્વારા કબ્રસ્તાન મસ્જીદનું સંગે બુનિયાદ અને પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર મુસ્લિમ કબ્રસ્તાન માં આવેલ મસ્જિદ જર્જરિત થઈ ગઈ હોય નવેસરથી નિર્માણ કરવા માટે સુન્ની અંજુમને ઇસ્લામ ની બોડી એ નિર્ણય લેતા સંગે -બુનિયાદ નો પ્રોગ્રામ મુખ્ય પોરબંદરના અનેક મુસ્લિમો ની હાજરીમાં દુઆ સલામ સાથે થયો હતો.
સન્માન સમારોહ
પોરબંદરના ખત્રી જમાતખાનામાં સુન્ની અંજુમને ઇસ્લામ પોરબંદર દ્વારા ધો. 10 અને 12 માં સફળ થનાર તમામ 95 વિદ્યાર્થીઓ ને શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું, પીરે તરીકત સૈયદ હાજી રફીકબાપુ કાદરી દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમ્મતી એન્ડ ઉન્નતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને મુફ્તીઅશરફ સાહેબ, એડવોકેટ અકબર સેલોત, અશરફ પટેલ તરફથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત પ્રવચન એડવોકેટ અકબરભાઈ સેલોતે કર્યું હતું. સરકારી પોલીટેકનીક કોલેજ પોરબંદરના પ્રો. અલ્તાફભાઈ નાલબંધ દ્વારા ધો. 10એ12 ના વિધાર્થીઓ ને મહત્વ નું માર્ગદર્શન આપ્યું હતું. ગુરુકુળ મહિલા કોલેજના આસી.પ્રો. ડૉ. અરફાત આઈ. સૈયદ એ મોટીવેશનલ સ્પીચ આપી હતી.
પ્રાસંગિક ઉદબોધન
ખતીબે ગુજરાત હઝરત અલ્લામા મૌલાના હાફીઝ વ કારી મુફતી મોહંમદ અશરફરઝા સાહબ બુરહાની (શૈખુલ હદીષ જામીઆ મદીનતુલ ઉલુમ (રતનપુર) ખિતાબ ફરમાવ્યો હતો અને મહત્વ નું ઉદબોધન કર્યું હતું. તેમજ વી.જે.મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા એ પણ શિક્ષણ માં આગળ વધવા માટે શું કરવું તે અંગે ઉદબોધન તેમની અનોખી શૈલી માં કર્યું હતું. મુસ્લિમ સમાજ ના યુવા શિક્ષણવિદ પ્રો. આકિબ હામદાણી એ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મહાનુભાવો ની ઉપસ્થિતિ
આલે નબી, ઔલાદે અલી, ચશ્મો ચિરાગે ગૌષે આઝમ, શેહઝાદાએ શાહ રીઝકુલ્લાહ પીરે તરીકત સૈયદ હાજી રફીકબાપુ કાદરી (કોડીનાર શરીફ)ની ઝેરે સરપરસ્તીમાં તેમજ ખલીફા- એ- તાજુશરીઆ-વ-ખલીફા- એ-રફીકે મિલ્લત સૈયદ સઆદતઅલીબાપુ કાદરી (ખતીબો ઈમામ જુમ્મા મસ્જીદ-પોરબંદર)ની ઝેરે સદારતમાં યોજાયા હતા. તેમજ આલે નબી, ઔલાદે અલી, પીરે તરીકત સૈયદ આરીફર્મીયાબાવા મટારી (ખાનકાહે કાદરીયા, ચીશ્તીયા પોરબંદર), ખલીફા-એ-તાજુશરીઆ, ખલીફા-એ-મોહદીષે કબીર, હઝરત અલ્લામા સૈયદ જલાલબાપુ સાહબ (ખતીબો ઈમામ હલીમા મસ્જીદ, પોરબંદર), સૈયદ હુસેનબાપુ, ખલીફા-એ-તાજુશરીઆ હઝરત મૌલાના યુસુફ દુફાની હશ્મતી સાહબ (ખતીબો ઈમામ મીઠી મસ્જીદ, પોરબંદર), ખલીફા-એ-હઝરત પામા સાહેબ મૌલાના હાફીઝ ઉસ્માનગની કાદરી ખતીબો ઈમામ ખારી મસ્જીદ, પોરબંદર, પોરબંદર શહેર કાજી મોહમંદ રફીક ઈસ્માઈલભાઈ કાજી, સૈયદ ભીખુબાપુ બુખારી, વી.જે. મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા, ફિરોઝખાન પઠાણ, મરહુમ ફેઝલખાન પઠાણ ના પુત્ર નાદિરખાન પઠાણ, ફારુકખાન શેરવાની, રાણાવાવ ના અગ્રણીઓ રાણાવાવ અંજુમને ઇસ્લામના પ્રમુખ એડવોકેટ મુનિરબાપુ પીરઝાદા, રાણાવાવ નગરપાલિકાના પૂર્વપ્રમુખ ઓસમાણભાઈ નાઈ, આદિત્યાણા મુસ્લિમ સમાજ ના પ્રમુખ સુલેમાનભાઈ મંધરા,
રાણાવાવ મેમણ જમાત ના પ્રમુખ હુસેનભાઇ મેમણ, રાણાવાવ મદ્રેસા ના સેક્રેટરી મુનાફભાઇ શિવાણી, ઉમ્મતી એન્ડ ઉન્નતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને અલ તુર્કિયા ચેરિટેબલ ટ્રસ્ટના હોદેદારો સહિત સાદાતે કિરામ, પોરબંદરની સુન્ની મુસ્લીમ જમાતોના પ્રમુખો, હોદેદારો અને મુસ્લીમ અગ્રણીઓ અને શિક્ષણપ્રેમીઓ સહીત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં સુન્ની અંજુમને ઈસ્લામના પ્રમુખ તરીકે ચુંટાયેલ અને તાજેતરમાં જન્નતનશીન થનાર મર્હુમ ફેઝલખાન હાજી બશીરખાન પઠાણને ખાસ યાદ કરવામાં આવેલ હતા અને આ કામ માટે નો શ્રેય મર્હુમ ફેઝલખાન પઠાણ ને અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુન્ની અંજુમને ઈસ્લામ, પોરબંદરના ઉપપ્રમુખ એડવોકેટ અકબર સીલેમાન સેલોત, ઉપપ્રમુખ અલ્તાફહુશેન મહમદઈકબાલ તિરમીઝી, સેક્રેટરી અશરફ યુસુફ અફીણી (પટેલ), જો. સેક્રેટરી હારૂન કાસમ સાટી (જો. સેક્રેટરી), ખજાનચી દાઉદભાઈ કાસમભાઈ શેઠા, ઓડીટર યાકુબ હારૂન મુલ્લા એ જહેમત ઉઠાવી હતી. પ્રો. ડૉ. અરફાત સૈયદ, ડૉ. અવેશ ચૌહાણ, પ્રો. અલ્તાફ નાલબંધ, એઝાઝ સાટી, મહમદ સાટી, અહેમદ સેલોત, બાકીર રાવડા સહિત ટીમે કાર્યક્રમ ની રૂપરેખાની શરૂઆત થી અંત સુધી જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ઝાહિદભાઈ નાગોરી એ કર્યું હતું.























