Sunday, June 8, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ઘર છોડી ચાલી ગયેલ માનસિક અસ્થિર વૃધ્ધા નું પરિવાર સાથે મિલન

પોરબંદર માં ઘર છોડી ચાલી ગયેલ માનસિક અસ્થિર વૃધ્ધા નું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

પોરબંદરના ત્રણ માઈલ નજીક થી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવ્યું હતું કે એક વૃધ્ધા નિ:સહાય બેઠેલા છે. જેથી ૧૮૧ ના કાઉન્સીલર નિરુપા બાબરિયા પોલીસ કોન્સ્ટેબલ જયા ચાવડા ને સાથે રાખી તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને તેનું કાઉન્સેલિંગ કરી નામ સરનામું જાણવાના પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ તેનું નામ જ જણાવતા હતા અને ઘરનું સરનામું વારંવાર અલગ જણાવતા હતા.

જેથી અભયમ તપાસ કરતા આ વૃધ્ધા ઓમનગર વિસ્તાર ના હોવાનું જાણવા મળ્યું હતું આથી તેઓ વૃધ્ધા ને સાથે રાખી તે વિસ્તાર માં દોડી ગયા હતા. અને પૂછપરછ કરતા વૃદ્ધા ની પુત્રવધુઓ મળી આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેના સાસુની ઉંમર 80 વર્ષ છે તેમજ તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે. તેની દવા પણ ચાલુ છે. અને આજે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જતા સમગ્ર પરિવાર ચિંતા માં મુકાયો હતો 181 ટીમે વૃદ્ધા ને સુરક્ષિત રીતે પુત્રવધુ ને સોપી સાર સંભાળ રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે