Monday, May 13, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રાજ્યસભા ના સાંસદ પરિમલ નથવાણીની ઉપસ્થિતિ માં આજે રઘુવંશી મહા સંમેલન યોજાશે

પોરબંદર ખાતે આજે રાજ્યસભા ના સાંસદ ની ઉપસ્થિતિ માં રઘુવંશીઓ નું મહા સંમેલન યોજાશે.

પોરબંદર લોહાણા મહાજન અને તેની અંતર્ગત પેટા સંસ્થાઓના ઉપક્રમે જ્ઞાતિગંગાના સંગઠન હેતુ એક મહાસંમેલન આજે શુક્રવારે ભાણજી લવજી લોહાણા મહાજનવાડી,ભદ્રકાલી રોડ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં વ્યક્તિ વિશેષ પરીમલભાઈ નથવાણી-રાજ્યસભા સાંસદ ઉપરાંત લોહાણા મહાપરિષદના રાષ્ટ્રીય પ્રમુખ સતીષભાઈ વીઠલાણી, પૂર્વપ્રમુખ પ્રવીણભાઈ કોટક (ઇસ્કોન ગ્રુપ અમદાવાદ) હાલારના મહાજનના પ્રમુખ જીતુભાઇલાલ બારાડી મહાજનના દ્વારકાદાસભાઈ રાયચુરા સહિતના જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમના અંતે આમંત્રિત સહુ જ્ઞાતિજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. કાર્યક્રમની તૈયારીઓ માટે મહાજનવાડી ખાતે મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયાના અધ્યક્ષસ્થાને એક મીટીંગ મળેલ હતી. જેમાં જ્ઞાતિ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, પંકજભાઈ મજીઠીયા, ચંદ્રેશભાઈ સામાણી, કપીલભાઈ કોટેચા, નલીનભાઈ કાનાણી, રાણાવાવ મહાજન પ્રમુખ ભરતભાઈ રાજાણી, છાયા મહાજન પ્રમુખ લલીતભાઈ કોટેચા, રઘુવીર સેના પ્રમુખ વિજયભાઈ ઉનકડટ તથા જ્ઞાતિના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે