પોરબંદરમાં મહેર સમાજના નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. મહેર સમાજની આગવી લોક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી તેમજ શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપ જ્ઞાતિનું સંગઠન મજબૂત બને તેવા શુભ આશયથી છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી માં જગદંબાની આરાધના અને આરતીના પર્વ નવરાત્રિ રાસોત્સવનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદર ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઘુઘવતા દરિયા કિનારે મહેર સમાજની અસ્મિતા અને ગૌરવની ઓળખ સાથે આ વર્ષે પણ “માં લીરબાઇ આઇ તથા પૂજ્ય માલદેવ બાપુ ના આશીર્વાદથી ત્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
દ્વારા તા. ૧૫-૧૦-૨૩ થી તા.૨૩-૧૦-૨૩ રાત્રે આઠ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી નવરાત્રિ રાસોત્સવ-૨૦૨૩નું ભવ્ય આયોજન પોરબંદરના ચોપાટી ક્રિકેટ (મેળા) ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના આંતરરાષ્ટ્રીય પ્રવકતા પ્રતાપભાઇ કુછડીયાએ જણાવેલ કે આ વર્ષના નવરાત્રિ રાસોત્સવ સમગ્ર પરિવાર સાથે રમીને માણી શકે તેવા શુભ આશયથી સંસ્થા દ્વારા ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ તથા દૈનિક ટિકિટ દરમાં ૧૦ રૂ।. ઘટાડો કરી ૨૦ રૂા. તથા નવ દિવસના સીઝન પાસના દરમાં પણ રૂા. ૯૦ નો ઘટાડો કરી રૂા. ૧૪૦ નક્કી કરવામાં આવેલ છે. સાથોસાથ માતાજીના ગરબા રમતા ખેલૈયાઓને પ્રોત્સાહન મળી રહે તેવા શુભ આશયથી નિષ્પક્ષ નિર્ણાયકગણની હાજરીમાં દૈનિક ૧૦-૧૦ કિડ્ઝ બોયઝ અને ગર્લ્સ, યુવા ભાઇઓ- બહેનોમાંથી ૫-૫ યંગ બોઇઝ અને ગર્લ્સ તેમજ મેરીડ વિભાગમાં ૫-૫ જેન્ટસ તથા લેડીઝને પસંદ કરી તેઓને સંસ્થા દ્વારા મોમેન્ટો તેમજ શિલ્ડ આપી પ્રોત્સાહન કરવામાં આવે છે. તેમજ નવમાં નોરતાના દિવસ દરરોજ પસંદગી પામેલા ખેલૈયાઓને ફાઇનલ રાસગરબા રમાડવામાં આવે છે અને તેમાંથી કિડઝ, યંગ અને મેરીડ વિભાગમાંથી ૨૦-૨૦ ખેલૈયાઓની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
દેશ-વિદેશ ખાતે વસવાટ કરતા મહેર જ્ઞાતિજનો તેમજ આવનારી પેઢી આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત રહે તે બાબતને ધ્યાનમાં રાખવા માટે આ નવરાત્રિ રાસોત્સવ-૨૦૨૩નું યુટયુબ પર ચેનલ લાઇવ પ્રસારણ કરવામાં આવશે. મહેર સમાજના ભાતીગળ ભાઇઓના મણીયારા રાસ અને બહેનોના રાસડા તા. ૧૯-૧૦-૨૦૨૩ને ગુરુવારના રોજ મહેર સમાજના પરંપરાગત પહેરવેશમાં ગરબા રમવાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે મહેર સમાજના હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડી માતાજીની આરાધના અને ગરબાનો લાભ લે છે.
સંસ્થાના સ્થાનિક પ્રવકતા પોપટભાઇ ખુંટીએ જણાવેલ કે સંસ્થા દ્વારા સમયની જરૂરિયાત અને જ્ઞાતિજનોની લોકમાંગણીને ધ્યાનમાં રાખી નવા સુધારા વધારા ભાગરૂપે પ્રસિધ્ધ લોકગાયક જીતભાઈ કેશવાલા સાથે હર્ષાબેન ચૌહાણ તથા રાકેશભાઇ ડાભી તેમજ જ્ઞાતિના ઉભરતા કલાકાર લીલુબેન કેશવાલાના કર્ણપ્રિય અવાજ સાથે રિધમ ઓરેકેસ્ટ્રાના કલ્પેશભાઇ ચૌહાણ સાથે જુગલબંધી સાથે એક લાખ વોટસના સાઉન્ડ સાથે પીન્ટુભાઇ મોઢવાડીયા તથા દેવશીભાઇ ગોરાણીયા જોડાશે. સુંદર સામીયાણાની વ્યવસ્થા શિવમ મંડપના ભરતભાઇ કારાવદરા તથા ગણેશ મંડપના રાજુભાઇ કુછડીયા તથા ઝગમગતા પ્રકાશની વ્યવસ્થા તથા એલ.ઇ.ડી. શિવમ સાઉન્ટ અને લાઇટસના પીન્ટુભાઇ મોઢવાડીયા તથા કેમેરાના કસબી શુભમ વિડીયોના ભરતભાઇ કારાવદરા વ્યાજબી ભાવ સાથે તેમજ લાઇવ ટેલીકાસ્ટ માટે નિઃશુલ્ક ઇન્ટરનેટ સુવિધા ધર્મેશભાઇ પરમાર તથા નિઃશુલ્ક સી.સી.ટી.વી.ની સુવિધા પી.એન.પી. સોલ્યુશનના પ્રતાપભાઇ કારાવદરા દ્વારા સેવા આપવામાં આવશે. તથા આરોગ્યમય કેન્ટીન સુવિધ અજયભાઇ ઓડેદરા તેમજ પ્રીન્ટીંગ તથા જાહેરાત વિભાગ રાજ ડિઝાઇનના પરબતભાઇ કેશવાલા દ્વારા પુરી પાડવામાં આવશે.
હાલના સમયમાં વધુ પડતા શ્રમના કારણે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધવા પામ્યું છે, ત્યારે માતાજીની ભક્તિ આરાધનાની ઉજવણી રાસગરબાથી કરવામાં આવતી હોય છે, ત્યારે કોઇ ખેલૈયાઓને આરોગ્યલક્ષી મુશ્કેલી ઉભી થાય તો સામીયાણામાં મેડિકલ સારવાર પ્રાપ્ત થઇ શકે તેમજ વધુ સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડવાની જરૂરિયાત ઉભી થાય તો ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા સ્થાનિક મદદથી કરવામાં આવી છે. રાજભા જેઠવાના સહયોગથી પોરબંદર અને આસપાસના વિસ્તારમાં જી.ટી.પી.એલ.ના ૯૮૮ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આમ, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત નવરાત્રિ રાસોત્સવ-૨૦૨૩ના આયોજનમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા તથા મહામંત્રીઓ બચુભાઇ આંત્રોલીયા તથા જીતેન્દ્રભાઇ વદરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખ તથા નવરાત્રિ સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા, ઉપપ્રમુખ તથા સહઅધ્યક્ષ નવઘણભાઇ મોઢવાડીયા તેમજ સાથી ઉપપ્રમુખ લાખાભાઇ કેશવાલા, વજશીભાઈ (કારાભાઇ) કેશવાલા, અરશીભાઇ ખુંટી, રામભાઇ એમ. ઓડેદરા, તથા કોષાધ્યક્ષ આલાભાઇ ઓડેદરા, નવરાત્રિ રાસોત્સવના કન્વીનર ભાઇઓ જયેન્દ્રભાઇ ખુંટી તથા પૃથ્વીપાલભાઇ વિસાણા તેમજ નવરાત્રિ રાસોત્સવ સમિતિ તથા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.