Monday, June 30, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં કોળી સમાજ દ્વારા શ્રી રામદેવજી મહારાજ નાં પ્રસાદી મહોત્સવ ની આસ્થાભેર ઉજવણી

પોરબંદર તાલુકાસમસ્ત કોળી સમાજ  ચેરિટેબલ ટ્રષ્ટ અને તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ના સંયુક્ત ઉપક્રમે અને છેલ્લા ત્રણ દાયકાઓથી સામાજિક, શૈક્ષણિક આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે જિલ્લા માં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર ઝૂરીબાગ સમસ્ત કોળી  સેવા સમાજ  દ્વારા સનાતન ધર્મ ના તારણ હાર અને દવારકાધીશ ભગવાન શ્રી ક્ર્ષ્ણ પરમાત્મા ના અંશ અવતાર નકલંગ નેજા ધારી શ્રી રામદેવજી મહારાજના  નો બાવીસમો અષાઢી બીજ નાં રોજ શ્રી ચોપાટી ખાતે આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજાં રોહણ અને 350 જેટલાં કોળી સમાજના છાત્રોનો સન્માન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 સરપંચ થી લઈને રાષ્ટ્ર્ર પતિ સુધીના હોદા શોભવનાર કોળી સમાજની   સમગ્ર દેશમાં એકવીસ કરોડ અને રાજ્યમાં 28 ટકા અને પોરબંદર પંથકમાં બહોળી સંખ્યા ધરાવતા સમસ્ત કોળી સમાજ ની સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે યુવા પેઢી માં ખૂબ જાગૃતિ  આવી છે ત્યારે કોળી સમાજની તમામ પેટા જ્ઞાતિ એક કરવા  સમાજ સંગઠન જરૂરી છે સમાજને સાચી દિશા બતાવવી એ શિક્ષિતો કર્તવ્ય ધર્મ છે અને શિક્ષણ થકી જ કોળી સમાજ પ્રગતિના  પંથે આગળ વધી શકશે પ્રતિ વર્ષની જેમ પોરબંદર ના ઝૂરીબાગ સમસ્ત કોળી સમાજ દ્વારાઅષાઢીબીજ ના રોજ પોરબંદર ના ઝૂરિબાગ વીર ભનુ ખાંભી પાસે ની શ્રી સોરઠીયા રબારી સમાજ  વાડી ખાતે સનાતન ધર્મ ના  તારણ હાર અને ભગવાન દ્વારકાધીશ  ભગવાન શ્રી ક્ર્ષ્ણ ના અંશ અવતાર નકલંગ નેજા ધારી શ્રી રામદેવજી મહારાજનનો  બાવીસમો અષાઢી બીજ ઉત્સવ ભવ્ય રીતે  ઉજવાયો હતો

 પ્રારંભ માં પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ નાં પ્રમુખ  નારણભાઇ બામણીયા એ ત્રણ દાયકા થી હાથ ધરા યેલી સમાજ ઉત્કર્ષ ની વિવિધ પ્રવૃર્તિ  ઓ ની રૂપ રેખા પ્રસ્તુત કરી ઉપસ્થિત મહાનુભાવો ને  પુષ્પ માલા ,  વિવિધ રંગ બે રંગી ઉસ્મા વસ્ત્ર  દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું

 પોરબંદર  નાં  રેલવે સ્ટેશન ભીમનાથ મંદિર  નાં અન્ન ક્ષેત્ર નાં સેવા કર્મી  તુલસી ભાઈ મકવાણા નાં અધ્યક્ષ સ્થાને  યોજાયેલા તેજવી તારલા સન્માન સમારંભ માં પોરબંદર  આકાશ કેબલ  માલિક અને  પૂર્વ કાઉન્સિલર ભરત ભાઈ નટુ ભાઈ બામણીયા,   તાલુકા સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રષ્ટ નાં ટ્રષ્ટિ  નરસિંહ ભાઈ વાઘેલા, જાણીતા તબીબી ડૉ માલતી બેન બામણીયા પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ  રામભાઈ બગીયા ૐ સાંઈ ટેકા પરબ નાં પ્રમુખ  રામસી ભાઈ બામણીયા ,  તાલુકા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ  નારણભાઇ બામણીયા,   સમસ્ત સોરઠીયા  રબારી સેવા સમાજ મંડળ પોરબંદર ના પ્રમુખ  દેવાભાઈ મુ શાલ,  છાંયા પ્લોટ ઘેડીયા કોળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રષ્ટના પ્રમુખ  દેવાયત ભાઈ વાઢિયા, જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ ના પ્રમુખ  લાખાભાઇ મોકરીયા,  પોરબંદર જિલ્લા કોળી સમાજ ઠાકોર ના પ્રમુખ  અરજન ભાઈ આંત્રોલીયા   પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડૉ ઈશ્વરભાઈ ભરડા, જ્યુબેલી કોળી સમાજ વંડીના ટ્રષ્ટિ  મહેશ ભાઈ ભૂવા, સમાજ શ્રેષ્ઠિ  પ્રદીપ ભાઈ બામણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

 વિદ્યાર્થી સત્કાર સમારંભનું  મંગલ દીપ પ્રગટાવી ને ખુલો મુકતા   તુલસીભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે,યુવાનો એ સમાજની આવતી  કાલ છે તેથી  પાન, ફાકી ગુટકા, માવા જેવા માદક દ્રવ્યો નાં સેવન થી આજની યુવા પેઢી ને દૂર રહે તેવી ટકોર કરીને કોળી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે ત્યારે વિકાસ શીલ સમાજની હરોળ માં આવવા માટે શિક્ષણ  મહત્વ નું ગણાવ્યું હતું
આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ  રામભાઈ બગીયા એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત નાં દરેક જિલ્લા માં રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ  રાજુભાઈ વંશ નાં નેતૃત્વ માં  પ્રમુખો ની નિયુક તિ કરવામાં આવેલ છે આરોગ્ય, સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવા કીય ક્ષેત્રે પ્રવૃતિ નો રાજ્ય  કક્ષા એ રોડ મેપ  તૈયાર કરવા આવેલ છે  આ મંડળો નાં માધ્યમ થકી પોરબંદર જિલ્લા સહીત રાજ્યના જિલ્લા ઓમા સમાજ ઉત્કર્ષ નાં કાર્યક્રમો હાથ ધરાનાર છે

આ પ્રસંગે  જિલ્લા સમાજ રત્ન કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે  ,શ્રી રામદેવજી મહારાજ નો બીજ ઉત્સવ એ સામાજિક સમરસતા અને સહિ ષ્ણુ તા નું પ્રતીક છે,સનાતન ધર્મ ની જાળવણી એ સંતો. વિદ્વાનો અને સમાજની સહિયારી જવાબ દારી  છે, યુદ્ધ થી કંટાયેલા વિશ્વ ને શાંતિ ની જરૂર છે એ શાંતિ ટેક્નોલોજી દ્વારા નહિ  આધ્યાત્મિક દ્વારા પ્રાપ્ત થઇ શકે વિશ્વને આજે ભૌતિક નહિ  પણ આધ્યાત્મિક કેળવણી ની જરૂર છે

આ પ્રસંગે  છાયા પ્લોટ કોળી સેવા સમાજ ચેરી ટેબલ ટ્રષ્ટ નાં પ્રમુખ  દેવાયત ભાઈ વાઢિયા, જિલ્લા ગરબી મંડળ નાં પ્રમુખ  લાખા ભાઈ મોકરીયા   જિલ્લા કોળી ઠાકોર સમાજ નાં પ્રમુખ  અરજન ભાઈ આંત્રોલીયા જાણીતા મહિલા તબીબી ડૉ માલતી બેન બામણીયા,એ પોતાના ઉદબોધન માં કુરિવાજો, અંધ શ્રદ્ધા અને વ્યસન મુક્ત બની શિક્ષણ ને પ્રાધાન્ય આપવા ની હિમાંયત કરી હતી
ના તેજસ્વી છાત્રોનો 22  મૉ સન્માન સમારોહ માં સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે  છેલ્લા ત્રણ દાયકાઓ  થી અનેક વિધ સેવાકીય પ્રવૃર્તિ ક્ષેત્રે કાર્યરત પોરબંદર ઝૂરીબાગ સમસ્ત કોળી સેવા સમાજ  દ્વારા પ્રતિવર્ષ ની જેમ અષાઢી બીજ ના રોજ તેજસ્વી છાત્રોના સન્માન સમારોહ નું ભવ્ય આયોજન કરવા માં આવેલ  હતું

પોરબંદર ના ઝૂરીબાગ કોળી સેવા સમાજ દ્વારા સમાજમાં કુરિવાજો અંધ શ્રદ્ધા અને વ્યશન નાબૂદ કરવા અને શિક્ષણ નો વ્યાપ વધારવા   તેમજ કોળી સમાજ ના પ્રતિભાવંત છાત્રોન પ્રોત્સાહન આપવાના શુભ ઉદેશ્ય થી   યોજાયેલ આ ધાર્મિક ઉત્સવ  પોરબંદર ની ઝૂરીબાગ ખાતેશ્રી  વીર ભનુ ખાંભી પાસે આવેલી શ્રી સોરઠીયા રબારી સમાજ ની વંડી ખાતે આ આયોજન કરવામાં આવેલ છહતું   છેલ્લા બાવીસ વર્ષથી  યોજા તા આ ધાર્મિક ઉત્સવ માં ચોપાટી ખાતેના શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણ, 4તેજસ્વી છાંત્રો નો સન્માન સમારોહ, સાંજે  નાત જાતના  ભાવ વગર ભોજન રૂપે મહા પ્રસાદ  અને રાત્રે  શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ  નાં અવસરે સંત વાણી યોજાઈ હતી

આ સન્માન   સમારંભ માં  350જેટલાં તેજસ્વી છાંત્રો, સમાજ શ્રેષ્ઠિઓ,વકીલો,સેવાભાવી અગ્રણીઓ તેમજ ધોરણ :10-12,   ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને પી. એચ. ડી તેમજ સંગીત, સાહિત્ય, કલા, રમત ગમત,  સેવા કર્મી અગ્રણીઓ અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર  વિદ્યાર્થી ઓ ને નારણભાઇ પુંજાભાઈ બામણીયા ના પિતા સ્વ, પુંજા ભાઈ ની સ્મૃતિમા ચાંદીના મેડલ પૂર્વ કાઉન્સિલર સ્વ નટુભાઈ કાનજી ભાઈ બામણીયા તથા સ્વ. જયાબેન ની સ્મૃતિમા  પૂર્વ કાઉન્સિલર અને આકાશ  કેબલ  ના માલિક  ભરત ભાઈ નટુભાઈ બામણીયા પરિવાર દ્વારા જનરલ નોલેજ ના પુસ્તકો તેમનજ સર્ટિફિકેટ  એનાયત કરીને સન્માનિત કરવામાં આવેલ હતા

આ તકે સ્વ, રાજીવ લીલા બામણીયા ચેરી ટેબલ  ફાઉન્ડેશન પોરબંદર દ્વારા બેંક, એલ, આઈ, સી,  કોસ્ટ ગાર્ડ, પોલીસ, તબીબી,   શિક્ષક પરીક્ષા, ફોરેસ્ટર રેવન્યુ,   અગ્નિવીર, એર લાઇન્સ રેલવે, જેવી ગૌણ પસઁદગી મંડળ, સ્ટાફ સિલેક્શન મંડળ , જી. પી, એસ, સી,.  યુ. પી. એસ. સી.  જેવી વિવિધ સ્પર્ધારત્મક પરીક્ષા નાં પુસ્તકો, મેગેઝીનો નો ભવ્ય પ્રદાર્ષનું ઉદ્ધઘાટન સમાજ શ્રેષ્ઠિ  શ્રી તુલસીભાઇ મકવાણા, પૂર્વ કાઉન્સિલર અને દાતા શ્રી ભરત ભાઈ નટવરલાલ બામણીયા, શ્રી નરશી ભાઈ વાઘેલા ડૉ માલતી બેન બામણીયા નાં હસ્તે ખુલ્યું મુકાયું હતું આ પ્રદર્શન  ને વિદ્યાર્થીઓ અને વાલીઓ એ નિહાળી  આવકાર્યું હતું અને   ત જજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું

 સમગ્ર કાર્ય કર્મનું સંચાલન ઝૂરી બાગ  સમસ્ત કોળી સમાજ યુવા મંડળ નાં પ્રમુખ શ્રી ભરત ભાઈ સોલન્કી એ સંભાળ્યું હતું જયારે આભર  વિધિ શ્રી શૈલેષભાઇ બામણીયા એ કરી હતી કાર્યક્રમ માં  સમાજ શ્રેષ્ઠિ શ્રી દેવસી ભાઈ કરગટિયા, શ્રી વિરમભાઈ મોકરીયા, વિક્રમભાઈ ડોડીયા, શ્રી દેવા ભાઈ વાસણ, શ્રી મતિ ભારતી બેન ભરડા  શ્રી હરિ ભાઈ વાઢિયા, ભીખુ ભાઈ પરમાર, રમેશભાઈ સોલન્કી,  શ્રી પ્રદીપ ભાઈ બામણીયા, શ્રી કાનભાઈ વાઢિયા સહીત  છાંત્રો, સમાજ શ્રેષ્ઠિઓ. ભક્તો,  સાધુ, સંતો મહ તો, અને મોટી સંખ્યા ભાઈ બહેનો ઉપસ્થિતિ રહ્યી આ ધાર્મિક ઉત્સવ ને  શો ભાય માન  બનાવ્યો હતો
આ ધાર્મિક ઉત્સવ ને સફળ બનાવવા  ઝૂરીબા ગ કોળી સેવા યુવ ક મંડળ ના પ્રમુખ શ્રી ભરત ભાઈ સોલન્કી ના નેજા હેઠળ સર્વ શ્રી પ્રદીપ ભાઈ બામણીયા શ્રી શૈલેષ ભાઈ બામણીયા, શ્રી રાજશી ભાઈ બગીયા, શ્રી જય ભાઈ સોલન્કી, શ્રી હરીશભાઈ બામણીયા શ્રી હરીશભાઈ સોલન્કી  લલિત ભાઈ સોલન્કી શ્રી  કાના ભાઈ ,સહીત મહિલા મંડળ ના બહેનો સારી જહેમત ઉઠાવી હતી

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે