Friday, June 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર મનપાના ફૂડ વિભાગ દ્વારા ૧૦ લીટર દાઝીયા તેલ અને ૭ કિલો સડેલી કેરી નો નાશ કરાયો

પોરબંદર મનપા ના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી ૧૦ લીટર દાઝીયા તેલ અને ૭ કિલો સડેલી કેરી નો નાશ કરાયો છે.

પોરબંદર મહાનગરપાલિકા ના કમિશ્નર એચ કે પ્રજાપતિ ની સુચના થી ફૂડ વિભાગની ટીમ દ્વારા રામટેકરી રોડ, એસ.વિ.પી. રોડ, હરીશ ટોકીઝ, બોખીરા ત્રણ માઈલ વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી, આઇસ્ક્રીમશોપ, સોડાશોપ, રસલારી, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અને લારીમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમજ ફ્રુટનું વેચાણ કરતા ધંધાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ લીટર દાઝીયું તેલ મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો તેમજ અતિ પાકેલ કેરીનો ૭ કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ચેકિંગ દરમ્યાન ફૂડ સેફટીનાં નિયમોનું પાલન ન થતા હોય તેવા ૧૬ ધંધાર્થીઓ પાસેથી રૂ.૮પ૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે