પોરબંદર ની પરિણીતા ને રાજકોટ ના રિક્ષાચાલક પતીને દર મહીને ૫ હજાર ભરણપોષણ ચુકવવા ફેમીલી કોર્ટે હુકમ કર્યો છે.
પોરબંદર ખાતે છાંયા વિસ્તારમાં રહેતી અને રાજકોટ મુકામે લગ્ન કરેલી ગૃહીણી નિધિ સુભાષ સાદીયાએ રાજકોટના શાપર ગામના રહેવાસી વિપુલ દેવશી રાઠોડ સામે પોતાના વકિલ વિજયકુમાર પંડયા મારફત પોરબંદરની ફેમીલી કોર્ટમાં ભરણોપોષણ મેળવવાનો કેસ દાખલ કરેલ હતો. જેમાં જણાવ્યું હતું કે તેણીના પતિ રાજકોટ મુકામે રીક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરે છે.લગ્નના થોડા અરસામાં નોનવેજ રસોઇ બનાવવા નિધિબેન ઉપર ગેરવ્યાજબી દબાણ કરવા લગ્યા હતા.
તેમજ નોનવેજન નહી બનાવ્યેથી રાજકોટના પુલ ઉપરથી નીચે ફેંકી દેવા ધાક-ધમકી પણ આપતા હતા. રોજબરોજની આવા દુઃખ ત્રાસથી કંટાળેલા નિધિબેને મુંગા મોઢે બધુ સહન કર્યે રાખેલ હતુ. પરંતુ અચાનક અને વિના વ્યાજબી કારણે એક દિવસ મોટો ઝગડો કરી તેણીનો ત્યાગ કરી મુકતા તેણી પોતાના પિતાના ઘરે ઓશીયાળુ જીવન જીવવા મજબુર બનેલ. અને તેથી નાછુટકે પોરબંદર ની ફેમીલી કોર્ટમાં પોતાના પતિ સામે ભરણપોષણનો કેસ દાખલ કરેલ હતો. જેમાં જાણીતા વકીલ વિજયકુમાર પંડયાએ રાજકોટના રહેવાસી પતિની રીક્ષા ડ્રાઇવીગનો રોજીંદા વ્યવસાય ઉપરાંત રાજકોટના નાનામોટા કારખાનાના ફેરા તેમજ બાળકોની સ્કુલ વર્ધીની આવક મળી સારૂ એવી આવક મેળવતા હોવાની તેમજ નોનવેજ રસોઈ બનાવવી હીન્દુ ધર્મમાં પ્રતિબંધીત હોવાની દલીલો કરતા રાજકોટ નિવાસી વિપુલભાઈ રાઠોડને દર માસે રૂા. ૫,૦૦૦/- ભરણપોષણ ચુકવવા તેમજ ખર્ચના વધારાના રૂા. ૨,૦૦૦/- ચુકવવા પોરબંદરની ફેમીલી કોર્ટે હુકમ કરેલ છે.
વકિલ વિજયકુમાર પંડયા જણાવે છે કે, પતિની કોઈપણ આવક રહેલ હોય કે કંઈ કમાતા ન હોય આમ છતાં લગ્ન બાદ પત્નીના ભરણપોષણની જવાબદારી પતિના શિરે જ રહેલ હોય છે જેને નિભાવવી કાયદા મુજબ ફરજીયાત છે. અને તેથી નાનામોટા કોઈપણ ધંઘાર્થીએ પત્નીનો ત્યાગ કરવાથી ભરણપોષણ ચુકવવાના હુકમ માટે વિકલ્પે જેલની સજા માટે તૈયાર રહેવું જોઇએ.