Friday, August 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર એબીવીપી દ્વારા જીટીયુ ના પ્રશ્નપત્ર માં છબરડા અંગે ઉગ્ર રજૂઆત

પોરબંદર એબીવીપી દ્વારા જીટીયુ ના પ્રશ્નપત્ર માં છબરડા અંગે ઉગ્ર રજૂઆત કરાઈ છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં થયેલા છબરડા બાબતે ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ અને ગોઢાણીયા આઇટી & એન્જિનિરીંગ કોલેજ ના આચાર્ય મારફતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવ્યું છે કે જીટીયુ દ્વારા તા 29/5ના રોજ ડિપ્લોમા સેમેસ્ટર 2 નાં એપ્લાઇડ મેથેમેટિક્સ નાં પ્રશ્નપત્રમાં 30 માર્કસ ના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો સુધારો યુનિવર્સિટી દ્વારા 12:26 કલાકે મેઇલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા 12:45 થઈ ગઈ હતી. જ્યારે બીજો મેઇલ 12:31 કલાક ના સમય દરમ્યાન વિધાર્થીઓને વધુ 1 કલાક અને 20 મિનિટ આપવાનો હતો પરંતુ વર્ગખંડમાં મોટાભાગના વિધાર્થીઓ પેપર આપીને જતાં રહ્યા હતા. ત્રીજો મેઈલ 12:56 કલાકે સુધારામાં પણ સુધારાનો હતો જે ખૂબ જ ગંભીર વિષય છે.

વિશ્વવિધ્યાલયની ગંભીર બેદરકારીનાં કારણે હજારો વિધાર્થીઓનાં ભવિષ્ય અંધારામાં ચાલ્યા ગયા છે.આથી ડિપ્લોમા સેમેસ્ટર 2 નાં એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસિંગ આપવામાં આવે અને જે વિધાર્થીઓને પુનઃપરીક્ષા આપવી હોય તેવા વિધાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે,પરીક્ષાના પ્રશ્નપત્ર માટે મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે.અને આ વિષયમાં દોષી તથા પરીક્ષા વિભાગના જવાબદાર કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે