પોરબંદરની નગીના મસ્જીદની બહાર સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે એકબીજા સાથે મારામારી કરતા સોળ શખ્સો સામે પોલીસે ફરીયાદી બની ચૌદ શખ્શોને રાઉન્ડ અપ કરી લીધા છે. ઈદ ના બીજા જ દિવસે જાહેર માં બખેડો થતા મુસ્લિમ સમાજ માં ચકચાર મચી છે.
પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના કોન્સ્ટેબલ હોથી અરજણભાઈ એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા.૧ના ગોરમાવડીના તહેવાર સબબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે પી આઈ જે.જે.ચૌધરી દ્વારા સુચના મળી હતી કે,નગીના મસ્જીદ પાસે અમુક ઈસમો મોટા-મોટા અવાજ કરીને સામસામે મારામારી કરી સુલેહ શાંતિનો ભંગ કરી રહ્યા છે. અને લોકોને ખલેલ પહોચે તે રીતે જાહેરમાં મારામારી કરી રહ્યા છે. આથી પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
અને સ્થળ પરથી ચૌદ શખ્સો વીરડી પ્લોટ માં રહેતા નિઝામ ફૈઝલખાન પઠાણ, રફીક હાસમ મુકાદમ, સમીર યુનુસ કાદરી, ફરાજ ફિરોજ ખાન પઠાણ,ઈકબાલમીયા ઉર્ફે ઇકુબાપુ, અનવર મિયા કાદરી ઉપરાંત કુંભારવાડા શેરી નં-૩૨ માં રહેતો જાવીદ ઈસ્માઈલખાન પઠાણ મદીના કોલોની ખાતે રહેતો આસિફખાન બશીરખાન પઠાણ તકિયા વિસ્તાર માં રહેતો અકરમ બસીર શેખ,નગીના મસ્જીદ પાસે રહેતા સીબાન રસીદ જિંદા, અફાન રસીદ જીંદા, મુક્તાર અબ્દુલ રહીમ જિંદા,ઈબ્રાહીમ અબ્દુલ રહીમ જિંદા,હસનેન અબ્દુલ રહીમ જિંદા, અમાન રસીદ જિંદા,બિલાલ અલ્તાફ જિંદા તથા સુતારવાડાની સાંઢીયા શેરીમાં રહેતો મોઈન કાદર મલંગ બખેડો કરતા હોવાનું જાણવા મળ્યું હતુ જે પૈકી ના બિલાલ અલ્તાફ જિંદા અને મોઈન કાદર મલંગ સિવાયના ચૌદ શખ્સો ને રાઉન્ડ અપ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ તે માટે અટકાયતી પગલા લઇ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવતા તમામને જામીન મુક્ત કર્યા છે.
બખેડો કરનાર માં સમાજના અગ્રણીઓ ના પરિવારજનો
બખેડો કરનાર માં મુસ્લિમ સમાજ ની સંસ્થા અંજુમને ઇસ્લામ ના પ્રમુખ ફૈઝલખાન પઠાણ નો પુત્ર નિઝામ ઉપરાંત પ્રમુખના ભાઈ ,ભત્રીજા વગેરે હોવાનું જાણવા મળે છે ત્યારે ઈદના બીજા જ દિવસે ડખ્ખો થતા મુસ્લિમ સમાજ માં ચકચાર મચી છે જો કે બખેડા નું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પોલીસે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.