પોરબંદર માં ચેક રીટર્ન ના વધુ એક કેસ માં સાવરકુંડલા ના શખ્સ ને એક વર્ષ ની સજા અને ચેક થી બમણી રકમ રૂ ૧૬ લાખ વળતર પેટે ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે.
પોરબંદરમાં રહેતાં ગાંગાભાઈ માલદેભાઈ કડછા, રહે. કડછ વાળાએ તેના વકીલ સાથે કોર્ટમાં હાજર રહી ફરીયાદ આપેલી હતી કે, આરોપી વિઠઠલભાઈ રવજીભાઈ વડોદરીયા, રહે.કળજારીયા, તા.સાવરકુંડલાવાળા એ ફરીયાદી પાસેથી ઉધારમાં આંઠ લાખના પથ્થરની ખરીદ કરેલ હતી અને જે પથ્થરની રકમ ફરીયાદીએ માંગતાં આરોપી વિઠઠલભાઈ રવજીભાઈ વડોદરીયાનાએ ફરીયાદીને આંઠ લાખનો ચેક આપેલ, જે ચેક આરોપી દ્વારા તેઓની બેંકમાં વટાવવા નાખ્તા વણચુકવ્યો પરત ફરેલ હતો અને તે અંગેની નોટીસ કરતાં આરોપીએ તે રકમ ફરીયાદીને પરત કરેલ ન હતી, જેથી ફરીયાદીએ કોર્ટમાં એન.આઈ. એકટની કલમ – ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી, જેમાં કોર્ટ દ્વારા આરોપીને સમન્સ કરતાં અને આરોપી દ્વારા ગુન્હો કર્યા અંગેનો સાફ ઈન્કાર કરતાં સદરહું કેસની ટ્રાયલ પોરબંદર પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં ચાલેલ.
જેમાં આરોપીએ આ કહેવાતો ચેક ભનુભાઈ મસરીને આપેલાનું જણાવેલ અને ફરીયાદી પાસેથી કોઈ પથ્થરો લીધેલા નથી અને ફરીયાદી કોઈ કાયદેસરનું લેણું ધરાવતાં નથી તેવી તકરાર લીધેલ હતી. જયારે ફરીયાદપક્ષ મકકમતાંથી જણાવેલ કે હાલનો ચેક મને આરોપીએ જ આપેલ છે અને તેઓ ભનુભાઈ મસરીભાઈને ઓળખતાં પણ નથી અને આમ, ફરીયાદપક્ષ દ્વારા હાલનો ચેક આરોપી દ્વારા જ આપવામાં આવેલ હોય અને ચેંકમાં આરોપીની જ સહી રહેલ હોય અને આરોપી દ્વારા જ ફરીયાદીના કાયદેસરના લેણાં પેટે જ આપેલ હોવાનું પુરવાર થતાં પોરબંદરના અધિક ચિફ જયુડી. મેજી. અને પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ બી.જે.પટેલએ આરોપી વિઠઠ્ઠલભાઈ રવજીભાઈ વડોદરીયાને બી.એન.એસ.એસ.ની કલમ ૨૭૮(૨) મુજબ એન.આઈ. એકટની કલમ – ૧૩૮ તથા ૧૪૨ મુજબના શિક્ષાપાત્ર ગુન્હા માટે તકસીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા સોળ લાખ પુરા ફરીયાદીને વળતર પેટે ચુકવી આપવાનો હુકમ તા:૨૯-૦૫-૨૦૨૫ નારોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરેલ હતો.
આ કામમાં ફરીયાદી તરફે જે.પી.ગોહેલની ઓફીસ વતી એડવોકેટ એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ. ડી. જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ.શિંગરખીયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનીયા,પી.બી.પરમાર તથા રીનાબેન ખુંટી વિગેરે રોકાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે આરોપી વિઠ્ઠલભાઈ ને ગઈ કાલે પણ ચેક રીટર્ન ના કેસ માં એક વર્ષ ની સાદી કેદ ની સજા તથા ૧૪ લાખ વળતરપેટે ચુકવવા હુકમ થયો હતો.