Thursday, October 10, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મહેર સમાજ,ખારવા સમાજ અને લોહાણા સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવ નું ભવ્ય આયોજન

આજ થી નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદર ખાતે લોહાણા સમાજ,ખારવા સમાજ અને મહેર સમાજ દ્વારા રાસોત્સવ નું આયોજન કરાયું છે.

લોહાણા સમાજ દ્વારા આયોજન

પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવ નું ભવ્ય આયોજન શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી ખાતે તારીખ 3/10 /2024, ને ગુરૂવાર રોજ રાત્રે 9/કલાકે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ 108 શ્રી વસંતરાય બાવા ના કર કમલો દ્વારા યોજવામાં આવશે અતિથિ વિશેષ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ જ્ઞાતિ અગ્રણી પંકજભાઈ મજીઠીયા તેમજ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના યુવા ચેરમેન કલ્પેશભાઈ પલાણ તથા લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા તેમજ રઘુવંશી જ્ઞાતિ અગ્રણીઓ ની ખાસ ઉપસ્થિતિમાં પ્રારંભ થશે. જેમાં લોહાણા જ્ઞાતિના યુવાનો બાળકો તથા બહેનો માં જગદંબાના નવલા નોરતા રમશે. ઉપરોક્ત આયોજનમાં સમગ્ર રઘુવંશી સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તે કાર્યક્રમમાં શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ ના પ્રમુખ પરિમલ ઠકરાર ના માર્ગદર્શન નીચે પ્રોજેક્ટ ચેરમેન નીતેશ માવાણી , ઉજ્જવલ લાખાણી જીતેશ રાયઠઠા, મયુર લાખાણી કેતન કોટેચા, વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે

ખારવા સમાજ દ્વારા આયોજન

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષ ની જેમ જ ખારવા જ્ઞાતિના ખેલૈયા ભાઈ-બહેનો માટે તા. ૦૩.૧૦.૨૦૨૪ થી તા. ૧૧.૧૦.૨૦૨૪ દરમ્યાન ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે “ખારવા સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪” નુ ભકિતસભર વાતાવરણ વચ્ચે ર્માં આધ્ય શકિતની ઉપાસના સ્વરૂપે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામા આવેલ છે.
ઘુઘવતા સાગર ની સમિપે થનગનતા ખારવા સમાજના ખેલૈયા ભાઈ-બહેનો માટે એક લાખ કિલોવોટ ની આધુનિક પ્રકારની સાઉન્ડ સિસ્ટમ, સૌરાષ્ટ્ર ના સુપ્રસિધ્ધ જેન્ટ્સ ગાયકો, લેડીઝ ગાયકો સાથેની ઉમદા કાલાકારો સાથેની મ્યુઝીક પાર્ટી ટીમ સાથે ગ્રાઉન્ડમા એક સાથે ત્રણ હજાર જેટલા ખેલૈયાઓ ગુજરાતની આગવી ઓળખ એવા રાસ અને ગરબાની રમઝટ બોલાવશે. આ નવરાત્રી મહોત્સવ માણવા માટે આવતા પરિવારજનો માટે દસ હજાર જેટલી સીટીંગ વ્યવસ્થા અને ખેલૈયાઓ મુકત રીતે રમી શકે એ માટે ખુબ કાળજી થી તૈયાર કરેલુ વિશાળ ગ્રાઉન્ડ અને વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થાઓ વચ્ચે, ફાયર સેફટીની પુરતી સુવિધાઓ, ઈમરજન્સી એકઝીટ ગેઈટ અને મેડીકલ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ સાથે આખી મેડીકલ ટીમ ખડે પગે પોતાની સેવાઓ આપશે.

ખારવા સમાજ ખુબ શ્રધ્ધાવાન સમાજ છે. અને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને જીવંત રાખી ધાર્મિક દ્રષ્ટીએ આ નવ દિવસ દરમ્યાન દૈવી શકિતઓ દ્વારા માનવ જીવન પર અમિવર્ષા વરસાવતા હોય છે. ર્માં આધ્ય શકિત ની કૃપા મેળવવા સંપૂર્ણ ઉપવાસ અથવા ફળાહાર સાથે પોતાના જીવન ને ધન્ય બનાવવા ખારવા સમાજ નવરાત્રી મહોત્સવ ને નવરાત્રી અનુષ્ઠાન તરીકે ઉજવે છે. ત્યારે સમગ્ર ખારવા સમાજ આ મંગલમય પ્રસંગને ખુબ ઉત્સાહ અને આનંદ થી ઉજવે છે.
ખારવા સમાજના દિલદાર દાતાશ્રીઓના આર્થિક સહયોગ થી આયોજીત આ નવરાત્રી મહોત્સવ મા વિવિધ ખેલૈયાઓને મોમેન્ટોઝ, સ્મૃતિભેંટ અને લાખો રૂપિયાના રોકડ પુરસ્કાર આપી ખેલૈયાઓને પ્રોત્સાહીત કરવામા આવે છે.
આ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ ના આયોજન ને સફળ બનાવવા ખારવા સમાજ નવરાત્રી મહોત્સવ આયોજન સમિતિની નિયુક્તિ કરવામા આવેલ છે. જેમા શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ સમિતિના ચેરમેન પદે, જ્યારે કમલેશભાઈ ખોખરી પ્રોજેકટ ચેરમેન, અશ્વિનભાઈ જુંગી ઉપપ્રમુખ ખારવા સમાજ, ટ્રસ્ટી પ્રકાશભાઈ ગોહેલ, ટ્રસ્ટી હિરાલાલભાઈ જુંગી, પટેલ જતીનભાઈ કોટીયા, તથા પંચપટેલઓ, તેમજ નિલેષભાઈ ખોખરી, વિજયભાઈ કોટીયા, શશીભાઈ કુહાડા, મિલનભાઈ મસાણી, મયુરભાઈ કુહાડા, ભવ્યભાઈ પોસ્તરીયા, મિતભાઈ ખોરાવા, હેંમતભાઈ બરીદુન, રાકેશભાઈ પાંજરી, હેમાંગભાઈ મોતીવરસ, મિહિરભાઈ મોતીવરસ, પારસભાઈ પોસ્તરીયા સહીત ખારવા જ્ઞાતિના આગેવાનો સૌ સાથે મળી આ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ ને સફળ બનાવવા કાર્યરત છે.

મહેર સમાજ દ્વારા આયોજન

મહેર સમાજની આગવી લોક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી તેમજ શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપ જ્ઞાતિનું સંગઠન મજબુત બને એવા શુભ આશયથી છે૯લા બે દાયકાથી પણ વધારે સમયથી માં જગદંબાની આરાધના અને ભક્તિના પર્વ નવરાત્રી રાસોત્સવનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદર ખાતે આયોજન કરવામાં આવી રહયું છે.
ઘુઘવાતા દરિયા કિનારે મહેર સમાજની અસ્મિતા, ગરિમા અને પરંપરાની ઓળખ સાથે આ વર્ષે પણ ‘‘ માં લીરબાઇ આઇ તથા પૂજય માલદેવ બાપુના ’’ આશિર્વાદથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા તા. ૦૩-૧૦-ર૦ર૪થી ૧૧-૧૦-ર૦ર૪, રાત્રે ૮-૦૦ વાગ્યા થી ૧ર-૦૦ વાગ્યા સુધી નવરાત્રી રાસોત્સવ-ર૦ર૪નું ભવ્ય આયોજન પોરબંદરના ચોપાટી ક્રિકેટ (મેળા) ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આ નવરાત્રી રાસોત્સવ માં પણ ગત વર્ષ મુજબ સમગ્ર પરિવાર સાથે રહીને માણી શકે એવા શુભ આશયથી સંસ્થા દ્વારા ૧૦ વર્ષથી નાની ઉમરના બાળકો માટે નિઃશુ૯ક પ્રવેશ તથા દૈનિક ટીકિટ દર ફક્ત ૨૦રૂા. તથા નવ દિવસના સિઝન પાસ ફક્ત રૂા.૧૪૦ નકકી કરવામાં આવેલ છે. સાથો સાથ માતાજીના ગરબા રમતા ખેલૈયાઓને પ્રોત્સાહન મળી રહે એવા શુભ આશયથી નિષ્પક્ષ નિર્ણાયકગણની હાજરીમાં દૈનિક ૧૦-૧૦ કિડઝ બોઇઝ અને ગ૯ર્સ, યુવા ભાઇઓ બહેનોમાંથી પ-પ યંગ બોઇઝ અને ગ૯ર્સ તેમજ મેરીડ વિભાગમાં પ-પ જેન્ટર્સ તથા લેડિઝને પસંદ કરી તેઓને સંસ્થા દ્વારા મોમેન્ટો તેમજ શિ૯ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ નવમાં નોરતાના દિવસ દરરોજ પસંદગી પામેલા ખેલૈયાઓને ફાઇનલ રાસ ગરબા રમાડવામાં આવે છે અને તેમાંથી કિડઝ, યંગ અને મેરીડ વિભાગમાંથી ર૦ – ર૦ ખેલૈયાઓની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ શિ૯ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

દેશ વિદેશ ખાતે વસવાટ કરતા મહેર જ્ઞાતિજનો તેમજ આવનારી પેઢી આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત રહે તે બાબતને ધ્યાનમાં રાખી માટે આ નવરાત્રી રાસોત્સવ – ર૦ર૪નું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાની યુટયુબ ચેનલ લાઇવ પ્રસારણ કરવામાં આવશે. પાંચમા નોરતે મહેર સમાજના ભાતીગળ ભાઇઓના મણીયારા રાસ અને બહેનોના રાસડા મહેર સમાજના પરંપરાગત પહેરવેશમાં ગરબા રમવા રમવાનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે મહેર સમાજના હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડી માતાજીની આરાધના અને ગરબાનો લાભ લે છે. સમગ્ર નવરાત્રી તેમજ
સંસ્થા દ્વારા સમયની જરૂરીયાત અને જ્ઞાતિજનોની લોક માંગણીને ધ્યાનમાં રાખી નવા સુધારા વધારા ભાગરૂપે સુપ્રસિધ્ધ લોકગાયક વિજયભાઈ ઓડેદરા જીતભાઇ સાથે હર્ષાબેન ચૈાહાણ તથા જય કિશનભાઈ આરંભાડીયા તેમજ જ્ઞાતિના ઉભરતા કલાકાર લીલુબેન કેશવાલાના કર્ણપ્રય અવાજ સાથે રિધમ ઓરકેસ્ટ્રાના ક૯પેશભાઇ ચૈાહાણ સાથે જુગલબંધી સાથી એક લાખ વોટસના સાઉન્ડ સાથે રામભાઈ કેશવાલા જોડાશે. સુંદર સામીયાણાની વ્યવસ્થા શિવમ મંડપના ભરતભાઇ કારાવદરા તથા ઝગમગતા પ્રકાશની વ્યવસ્થા તથા એલઇડી શિવમ સાઉન્ડ અને લાઇટર્સના પીન્ટુભાઇ મોઢવાડિયા તથા કેમેરા કસબી શુભમ વિડીયોના ભરતભાઇ કારાવદરા વ્યાજબી ભાવ સાથે તેમજ લાઇવ ટેલીકાસ્ટ માટે નિઃશુ૯ક ઇન્ટરનેટ સુવિધા ધર્મેશભાઇ પરમાર તથા નિઃશુ૯ક સીસીટીવીની સુવિધા પી.એન.પી. સો૯યુશનના પ્રતાપભાઇ કારાવદરા સેવા આપવામાં આવશે તથા આયોગ્યમય કેન્ટીન સુવિધા પીન્ટુભાઇ મોઢવાડીયા તેમજ પીન્ટીંગ તથા જાહેરાત વિભાગ રાજ ડિઝાઇનના પરબતભાઇ કેશવાલા દ્વારા સેવા પુરી પાડવામાં આવશે.

હાલના સમયમાં વધુ પડતા શ્રમના કારણે હદય રોગના હુમલાનું પ્રમાણ વધવા પામ્યુ છે ત્યારે માતાજીની ભકિત આરાધનાની ઉજવણી રાસ ગરબાથી કરવામાં આવતી હોય છે. ત્યારે કોઇ ખેલૈયાઓને આરોગ્યલક્ષી મુશ્કેલી ઉભી થાય તો સામીયાણામાં મેડિકલ સારવાર પ્રાપ્ત થઇ શકે તેમજ વધુ સારવારમાં હોસ્પીટલ ખાતે ખસેડવાની જરૂરીયાત ઉભી થાય તો ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિદ્યા સ્થાનિક પ્રસાસનની મદદથી કરવામાં આવી છે.
રાજભા જેઠવાના સહયોગથી પોરબંદર અને આસપાસના વિસ્તારમાં જીટીપીએલના ૯૮૭ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
આમ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત નવરાત્રી રાસોત્સવ-ર૦ર૪ના આયોજનમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા તથા મહામંત્રીઓ બચુભાઇ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખ તથા નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખીસ્તરીયા, ઉપપ્રમુખ તથા સહ-અધ્યક્ષ નવઘણભાઇ મોઢવાડિયા નવરાત્રી રાસોત્સવના કન્વીનર ભાઈઓ જયેન્દ્રભાઈ ખુંટી તથા પરબતભાઈ કેશવાલા, મહેર મહિલા વિકાસ મંડળ ના બહેનો તેમજ નવરાત્રી રાસોત્સવ સમિતિ તથા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે