પોરબંદર જીલ્લા કાનુની સેવા સતા મંડળ ધ્વારા આગામીતા.૧૨/૭ ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.
તારીખ ૧૨ મી જુલાઈ ર૦૨૫, શનીવારના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ ના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત નો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજયનાં કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ નાં મુખ્ય સંરક્ષક જસ્ટીશ એ.વાય કોગજે ઘ્વારા તમામ કાનુની સેવા સત્તા મંડળ તથા કાનુની સેવા સમિતિ ને જરૂરી માર્ગદર્શન આપેલ છે.
આ લોક અદાલત માં રાજય ના કોઈપણ જિલ્લા, તાલુકા ટ્રીબ્યુનલ કે હાઈકોર્ટ માં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માત નાં વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરત ને લગતા કેસો, જમીન સંપાદન ને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડ થી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મુકી શકાય છે. જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પોરબંદરના ચેરમેન અને જીલ્લા મુખ્ય ન્યાયાધીસ પી.સી.જોષી ધ્વારા તથા જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદરના સેક્રેટરી એસ.એચ.બામરોટીયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પુર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.
આ અવસર નો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનુની સેવા સત્તા મંડળની ઓફીસ નો સંપર્ક કરવો. અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા રાજય કાનુની સેવા સત્તા મંડળ ની વેબસાઈટ નો સંપર્ક કરવો.લોક અદાલત એટલે લોકોની અદાલત ‘ના કોઈનો વિજય ના કોઈનો પરાજય’