પોરબંદર ના છાયામાં આવેલ જલારામ વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમને રૂપિયા એક લાખનું અનુદાન મળ્યું છે.
શ્રી લોહાણા મહાપરિષદની વાત્સલ્ય સમિતિ પોરબંદર યુનીટ દ્વારા શરૂ થયેલ આ સીનીયર સીટીઝન્સ વિઝીટ તથા સપોર્ટ પ્રોજેકટ શ્રી રઘુવંશી વાત્સલ્ય સેવા સમિતિ પોરબંદર યુનીટ દ્વારા કાર્યરત રાખવામાં આવેલ છે. સેવા,સંગઠન સાનિધ્ય તેમજ ઉત્કૃષ્ટ જ્ઞાતિ ભાવનાથી લોહાણા જ્ઞાતિના શારીરિક-માનસિક રીતે અશકત,અપંગ તથા એકલવાયા રહેતા જરૂરીયાતમંદ ૭૦,૮૦,૯૦ વર્ષના વડીલો-બહેનો કે જેઓ પોતે એકલા જ હોય અથવા પતિ-પત્ની સાથે હોય તેઓને દર માસે તેમના ઘરે જઇ રૂબરૂ મળી તેમની સુખ-દુઃખની વાતોમાં સહભાગી થઇ તેમને માટે જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ, રોકડ સહાય તેમજ જરૂર પડયે મેડિકલ સહાય, હોસ્પિટલાઇઝેશન વગેરે પણ આપવામાં આવે છે.
જુલાઇ ૨૦૨૨માં ખીચડી, ખાખરા, બિસ્કીટ પેકેટસ, બીન્ગો-મસાલા-સ્પાઇસી સક્કરપારા, સુંઠ મરી પાવડર, ચા, ખાંડ, વીંકસ બોટલ, જેન્ટસ મોટા રૂમાલ વગેરે ચીજવસ્તુઓની કીટ બનાવી આપવામાં આવેલ તથા રૂા. ૧૦૦ રોકડા પણ આપવામાં આવેલ.
ઉપરાંત શરદભાઇ અમશીભાઇ રૂપારેલ મૂળ પોરબંદર હાલ મુંબઇ એ દુર્ગાબેન આર. લાદીવાલા, મોહનભાઇ લાખાણી , દીપકભાઈ ઉનડકટ, તેજસભાઈ લાખાણી તેમજ વંદનાબેન રૂપારેલ સાથે રહીને જલારામ વાત્સલ્યધામની મુલાકાત લઇને રૂા. એક લાખનું અનુદાન તેમના સુપુત્ર મિલનભાઇની સ્મૃતિમાં આપેલ છે. જેની સંસ્થાએ સાભાર નોંધ લીધી છે જે બદલ ઋણ સ્વીકારની લાગણી વ્યકત થઇ હતી.આ પ્રોજેક્ટમાં દીપકભાઇ નારણદાસભાઇ ઉનડકટ, નિરૂબેન પી. વિઠલાણી- યૂ.કે., અશોકભાઈ નારણદાસ લાખાણી, કાલીદાસ હંસરાજ પલાણ પરિવાર-હસ્તે નિલમબેન પલાણ, વલ્લભદાસ ખીમજીભાઇ દાવડા-લીસબન, જયેશભાઇ પતાણી, વાત્સલ્ય સેવા સમતિના કમિટી મેમ્બર્સ તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠીઓનો પણ સહયોગ રહેલ.
આવા સિનીયર સીટીઝન્સ બેહેનો કે દંપતીઓ કે જેઓ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય અને શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક રીતે જરૂરીયાતમંદ હોય તેવા લોહાણા સમાજના વ્યક્તિઓ માટે પોરબંદર-છાયા ખાતે જલારામ રઘુવંશી વાત્સલ્યધામ કાર્યરત છે કે જ્યાં રહેવા તથા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક છે.તો તે માટે દુર્ગાબેન આર. લાદીવાલા ના મો. નં. ૯૪૨૬૨ ૪૪૦૮૧ તથા મોહનભાઇ લાખાણી મો. નં. ૯૮૨૫૪ ૦૯૩૪૩ પર સંપર્ક કરવો.આ વિતરણના સેવાયજ્ઞમાં દુર્ગાબેન લાદીવાલા, મોહનભાઇ લાખાણી, સીમાબેન કોટક-મદલાણી,મીનાબેન દતા વગેરે જોડાયા હતા.


