Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં યોજાયેલ લોક અદાલત માં ૩૫૪૧ કેસો નો નિકાલ થતા પોણા આઠ કરોડ ની રકમ ના વિવાદ નો સમાધાન થી અંત

પોરબંદરમાં યોજાયેલી લોકઅદાલત માં ૩૫૪૧ કેસનો સમાધાન થી નિકાલ આવી ગયો હતો.

પોરબંદર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, દ્વારા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાઇ હતી જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા જેમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રિ-લીટીગેશનના કુલ ૧૭૨૮ કેસો, સ્ટેટ પ્લાન ઓફ એકશન મુજબના કુલ ૩૩૩ કેસો તથા સ્પેશ્યલ સીટીંગના કુલ ૧૪૮૦ કેસો મળીને કુલ ૩૫૪૧ કેસોનો નિકાલ થયો હતો તેમજ કુલ રૂા. ૭,૭૪,૩૮,૮૪૦ જેટલી રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે