Saturday, May 31, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ચેક રીટર્ન કેસ માં સાવરકુંડલા ના વેપારી ને એક વર્ષ ની કેદ અને ચેક થી બમણી રકમ ૧૪ લાખ રૂ વળતર પેટે ચુકવવા હુકમ

પોરબંદર માં ચેક રીટર્ન કેસ માં સાવરકુંડલા ના વેપારી ને એક વર્ષ ની સદી કેદ ની સજા અને ચેક થી બમણી રકમ એટલે કે ૧૪ લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે.

પોરબંદરના ચિકાસા ગામે રહેતાં હરદાસભાઈ સવદાસભાઈ કુછડીયાએ પોરબંદર કોર્ટમાં એન.આઈ. એકટની કલમ – ૧૩૮ મુજબ વિઠઠલભાઈ રવજીભાઈ વડોદરીયા, રહે.કળજારીયા, તા.સાવરકુંડલાવાળા સામે ફરીયાદ આપી જણાવેલ કે, આરોપી તથા ફરીયાદી પથ્થર લે-વેંચનો ધંધો કરતાં હોય અને તે રીતે આરોપી પાસેથી થયેલ વ્યાપારીક લેણાં પેટે બાકી નિકળતી રકમનો આરોપીએ ફરીયાદી હરદાસભાઈ સવદાસભાઈ કુછડીયાને રૂપિયા સાત લાખનો ચેક પોતાની સહી કરી ફરીયાદીના નામજોગ લખી આપતાં ફરીયાદીએ તેના વચન, વિશ્વાસના આધારે ચેક સ્વીકારી પાકતી તારીખે ચેંક વટાવવા નાખતાં તે ચેક વણ ચુકવ્યો પરત ફરતાં તે અંગેની નોટીસ વકીલ મારફતે આરોપીને કરતાં આરોપીએ ઉડાવ જવાબ આપેલ અને ચેંક મુજબની રકમ કોઈ આપેલ ન હતી અને તે રીતે ફરીયાદ પોરબંદર પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં ટ્રાયલ ચાલવા માટે આવતાં ટ્રાયલ ચાલેલ.

જેમાં આરોપીને કોર્ટે સમન્સ કરી હાજર રહેવાનું જણાવતાં આરોપી તેમના વકીલ સાથે હાજર થતાં તેઓને કેસ પેપર્સની નકલ પુરી પાડવામાં આવેલી અને તેઓએ ગુન્હો કર્યા અંગેનો ઈન્કાર કરી કેસની ટ્રાયલ ચલાવવાનું પસંદ કરેલ, જેથી ફરીયાદી હરદાસભાઈ સવદાસભાઈ કુછડીયાએ સોગંદ પર જુબાની આપતાં તેઓની ઉલટ તપાસ પણ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી અને આમ, ફરીયાદી તરફે દસ્તાવેજી પુરાવાઓમાં અસલ ચેંક, બેક દ્વારા મળેલ રીટર્ન મેંમો, આરોપીને આપેલ નોટીસની નકલ, વિગેરે રજુ રાખેલ.

ત્યારબાદ આરોપી તરફે કોઈ પુરાવો રજુ થયેલ ન હતો, આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવેલ અને ત્યારબાદ બન્ને પક્ષના વકીલો દ્વારા સામ-સામી દલીલો કરવામાં આવેલી, જેમાં ફરીયાદપક્ષ તરફે વિદ્વવાન વકીલ જે.પી.ગોહેલની ઓફીસ વતી તેઓની ટીમના ચુનીંદા વકીલ રોકાયેલા અને જેઓએ ધારદાર દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રીફર કરી આરોપીએ એન.આઈ.એકટની કલમ – ૧૩૮ મુજબ ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોય અને તે કામે સખ્ત સજા તથા બમણો દંડ કરવા નામ. કોર્ટને અરજ કરેલ.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોરબંદરના અધિક ચિફ જયુડી. મેજી. અને પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ બી.જે.પટેલે સમગ્ર ચુકાદામાં વિગતવાર કાયદાની છણાવટ કરી કાયદાની દરેક બારીકીઓ જીણવટ ભરી રીતે ચુકાદામાં આવરી લઈ પુરાવાઓનું જીણવટ ભરી રીતે અવલોકન કરતાં ચુકાદમાં જણાવેલ છે કે પુરાવો ખુદ બોલે છે તે હકિકત હાલના કેસમાં સાર્થક થતી હોય અને આમ, પોરબંદરમાં તાજેતરમાં બદલી થઈને આવેલ અધિક ચિફ જયુડી. મેજી. અને પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ બી.જે. પટેલ એ વિસ્તારથી ચુકાદો આપી આરોપી વિઠઠલભાઈ રવજીભાઈ વડોદરીયા, રહે.કળજારીયા, તા.સાવરકુંડલાવાળાને એન.આઈ. એકટની કલમ ૧૩૮ તથા ૧૪૨ ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ તથા વધુમાં ફરીયાદીને આરોપીએ વળતર પેટે રૂપિયા ચૌદ લાખ ચુકવવાનો હુકમ કરી આરોપીના જામીન તથા જામીન ખત રદ્દ કરી જયુડી. કસ્ટડીમાં લેવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરેલ હતો.

આ કામમાં ફરીયાદી તરફે જે.પી.ગોહેલની ઓફીસ વતી એડવોકેટ એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ. ડી. જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ.શિંગરખીયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનીયા, પી.બી.પરમાર તથા રીનાબેન ખુંટી વિગેરે રોકાયેલા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે