રાણાવાવ પંથક માં કેરી નું મબલખ ઉત્પાદન થતું હોવાથી આ વિસ્તાર માં મેંગો માર્કેટ બનાવવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ને રજૂઆત થઇ છે.
રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન રામભાઈ બાપોદરા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયા ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે રાણાવાવ તાલુકા વિસ્તારમાં આંબા નું હજારો એકર જમીનમાં વાવેતર થયેલ છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં કેરીઓ નું ઉત્પાદન થઈ રહ્યું છે. દિનપ્રતિદિન હજી હજારો એકર જમીન માં આંબા નું પુષ્કળ પ્રમાણ માં વાવેતર થઈ રહ્યું હોવાથી ભવિષ્યમાં હજુ પણ મબલખ કેરીઓ નું ઉત્પાદન થશે. જેથી મેંગો માર્કેટ બને તો શ્રમિકો ને રોજગાર અને પ્રગતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે અને ખેડૂત ભાઈઓ ને કેરી નું ઉત્પાદન થતા સમૃદ્ધ બનશે.
ઉત્પાદન વધતા વ્યાપાર વધશે અને આ વિસ્તાર અને બજારમાં વૃદ્ધિ આપવામાં મદદ મળશે. આ વિસ્તારમાં પંથકમાં રોજગાર વધશે જે આ પંથક ની સામાજિક અને આર્થિક રૂપે સ્થિર પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે. આ પંથક માં મેગો માર્કેટ બને તો ખુબ જ ફાયદો થશે પાક ની ગુણવતા અને મેંગો માર્કેટ ને વિસ્તારિત કરવામાં મદદ રૂપ થશે કેરી ઉત્પાદન કરવાના સાધનો પ્રદાન થશે આ વિસ્તાર ના ખેડૂત ભાઈઓ ની લાગણીઓ છે કે મેંગો માર્કેટ બને અને પોરબંદર જિલ્લા માં સક્ષમતા પણ ધરાવે છે. આથી મેંગો માર્કેટ બનાવવા રજૂઆત માં જણાવ્યું છે.