Wednesday, June 11, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં હવે ગુજરાતી માધ્યમ ના શિક્ષકો કરાવી રહ્યા છે અભ્યાસ:એક સાથે ૨૭ કરાર આધારિત અંગ્રેજી માધ્યમ ના શિક્ષકો છુટા કરાયા

પોરબંદર જીલ્લા ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ ની શાળા માંથી એકીસાથે ૨૭ કરાર આધારિત શિક્ષકો ને છુટા કરી દેવાયા છે તેના સ્થાને અન્ય શાળાઓ માંથી કામચલાઉ ગુજરાતી માધ્યમ ના ૨૨ શિક્ષકો ની નિમણુક કરાઈ છે જેને લઇ ને વાલીઓ માં રોષ જોવા મળે છે.

આજ થી નવા શૈક્ષણિક સત્ર ની શરુઆત થઇ છે ત્યારે પોરબંદર જીલ્લા ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ ની શાળા એમ કે ગાંધી સ્કુલ માં ૧૧૫૦ વિદ્યાર્થીઓએ અભ્યાસ શરુ કર્યો છે ગરીબ અને મધ્યમવર્ગ ના બાળકો માટે આ શાળા આશીર્વાદ સમાન છે પરંતુ શાળા માં કરાર આધારિત ૨૭ શિક્ષકોને એકીસાથે છુટા કરી દેવાયા છે અને તેના સ્થાને કામચલાઉ રીતે ગુજરાતી માધ્યમ ની અન્ય સરકારી શાળાઓ માંથી ૨૨ શિક્ષકો ની નિમણુક કરી દેવાઈ છે જેના લીધે વાલીઓ માં ભારે રોષ જોવા મળે છે વાલીઓ એ જણાવ્યું હતું કે અગાઉ પણ આ રીતે શિક્ષકો ને છુટા કરી દેવાયા હતા વારંવાર શિક્ષકો બદલાતા બાળકો ના અભ્યાસ પર પણ અસર પડે છે અને હવે ગુજરાતી માધ્યમ ના શિક્ષકો ની નિમણુક કરાઈ છે જે અંગ્રેજી માધ્યમ ના બાળકો ને કેવું ભણાવશે તે પણ સવાલ છે હજી નવા સત્ર ની શરૂઆત જ થઇ છે ત્યાં શિક્ષકો છુટા કરી દેવાયા છે ત્યારે બાળકો ના આગળના અભ્યાસ નું શું ?ગુજરાતી માધ્યમ ના શિક્ષકો ની નિમણુક કરી છે તે અંગ્રેજી માધ્યમ ના બાળકો ને કઈ રીતે અભ્યાસ કરાવશે અને તેઓને જે સ્કૂલો માંથી અહી નિમણુક અપાઈ છે તે શાળાઓ ના વિદ્યાર્થીઓ નું શું તેવા સવાલો સાથે વિધાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા માંગ કરી છે.

વિદ્યાર્થી સંગઠનો પણ ઘોર નિંદ્રા માં
વિદ્યાર્થીઓ ના હિત માટે કામગીરી કરતા વિદ્યાર્થી સંગઠનો સરકારી શાળા માં ૧૧૫૦ વિદ્યાર્થીઓ ના ભાવી સાથે ચેડા થઇ રહ્યા હોવા છતાં ઘોર નિંદ્રા માં હોય તેમ કોઈ કામગીરી કે રજૂઆત કરી નથી જેને લઇ ને અનેક ચર્ચાઓ જાગી છે.

શિક્ષકો ને ખાસ કિસ્સા માં મંજુરી અપાઈ હતી
જીલ્લા ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ ની શાળા હોવાથી ધરાસભ્ય સહિતનાની રજૂઆત ના પગલે સરકારે આ શાળા માં જ્ઞાનસહાયક કે કાયમી શિક્ષકની જગ્યા ન ભરાય ત્યાં સુધી સ્થાનિકકક્ષાએ ઉમેદવારોને જ્ઞાનસહાયક જેટલું માનદ વેતન ચુકવવા ખાસ કિસ્સામાં મંજૂરી આપીહતી અને ૧ ઓગસ્ટ-૨૪ થી ૨૭ શિક્ષકોને માસિક ૨૧-૨૧ હજાર લેખે પગાર ચુકવવામાં આવતો હતો શિક્ષકો નો કરાર પણ ૩૧-૭-૨૫ સુધી નો હતો તેમ છતાં છુટા કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે જેના લીધે બાળકો ના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે.

.બાળકો ના ભવિષ્ય સાથે વારંવાર રમત
વાલીઓ એ જણાવ્યું હતું કે ગત સત્ર ની શરુઆત માં પણ આ સમસ્યા સર્જાઈ હતી તે પૂર્વે ના વર્ષે પણ આવી જ સ્થિતિ નું નિર્માણ થયું હતું બાળકો સાથે જાણે રમત રમતા હોય તેમ અંગ્રેજી મધ્યમની શાળામાં ગુજરાતી માધ્યમના શિક્ષકો મૂકીને અને સતત શિક્ષકોને ફેરબદલી કરીને બંને શાળાના બાળકોના શિક્ષણ અને શિસ્ત પર ગંભીર ખરાબ અસર કરી રહ્યા છે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવે અને શહેરનું ગૌરવ અને ધરોહર જેવી આ સંસ્થાની આબરૂ બચાવી લેવામાં આવે. તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

વહેલીતકે કાર્યવાહી હાથ ધરાશે –સંદીપભાઈ સોની ,ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી
આ અંગે ઇન્ચાર્જ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદીપભાઈ સોની એ એવું જણાવ્યું હતું કે ગ્રાન્ટ ના અભાવે શિક્ષકો ને છુટા કરાયા છે અને હાલ કામચલાઉ વ્યવસ્થા માટે ગુજરાતી માધ્યમ ના ૨૨ શિક્ષકો ની અન્ય શાળાઓ માંથી નિમણુક કરાઈ છે વહેલીતકે શિક્ષકો ની ભરતી અંગે તેમના દ્વારા પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે વહેલીતકે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે