Monday, October 20, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતા ૭૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને વિનામૂલ્યે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવવાની સેવા

પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સેવાઓને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલ નાગરિકોને ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી “વયોવૃદ્ધ આયુષ્માન યોજના” અંતર્ગત ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવવાની સેવા શરૂ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જઈને આરોગ્ય કેન્દ્ર સુધી ન પહોંચી શકતા વયોવૃદ્ધ નાગરિકોના ઘર પર જ તેમનું આયુષ્માન કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ઘરે જઈને આયુષ્માન વય વંદના યોજના ચાલુ થઈ એ પહેલાથી અત્યર સુધીમાં ૨૫,૬૧૧ વૃદ્ધોના કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આઇ.ટી. સક્ષમ વ્યવસ્થા, ઝડપી કાર્યવાહી અને માનવીય લાગણી સાથે કરવામાં આવતી કામગીરીથી વડીલ નાગરિકોને હવે બિનજરૂરી ધક્કા નહિ ખાવા પડે અને સરકારી તથા સરકાર દ્વારા નિયત કરેલ ખાનગી હોસ્પિટલોમાં દર વર્ષે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર સંપૂર્ણ રીતે વિનામૂલ્યે મળી રહેશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે