પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત શોભાયાત્રા,કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે.
શ્રીમદ્ વલ્લાભાચાર્યજી પ્રાકટય મહોત્સવ-૨૦૨૫ (શ્રી વલ્લભાબ્દ ૫૪૮નો પ્રારંભ) અંતર્ગત શ્રી વલ્લભાચાર્યજીની હવેલીમાં બિરાજમાન શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીના નૂતન નિર્મિત મંદિરના પાટોત્સવ અવસરે ઉત્સવપ્રેરક પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતકુમાર મહાહાજશ્રી તથા પૂ.ગો. ૧૦૮ શ્રી કૃષ્ણરાયજી (હીલગબાવાશ્રી)ની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. તા. ૨૦-૪-૨૦૨૫ થી તા. ૨૪-૪-૨૦૨૫ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં ચાર દિવસ સુધી બપોરે ૩:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધી શ્રી ગિરિરાજધામ, મોહનભાઈ કોટેચા તાજાવાલા વાડી, ફ્રેન્ડસ પેટ્રોલ પંપ સામે શ્રી વ્રજનિધિ પરિવાર-શ્રીવલ્લભાચાર્યજી હવેલી દ્વારા શ્રી ગિરિરાજ ગુણગાન કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વકતા તરીકે અમદાવાદના સુમિતકુમાર શર્મા કથાનું રસપાન કરાવશે. કીર્તન સંગત જૂનાગઢના કિરણભાઈ તથા સાથી વૃન્દ દ્વારા રજૂ થશે..
વિવિધ મનોરથનું આયોજન
આ પાવન અવસરે શ્રી મદનમોહન પ્રભુના તથા શ્રી ગિરિરાજીના વિવિધ મનોરથોમાં બડો મનોરથ તા. ૨૦-૪ને રવિવારે યોજાશે.તા. ૨૧-૪-ના ફૂલમંડળીનો મનોરથ તથા શ્રીનાથજી પ્રાગટય, તા. ૨૨-૪ના શ્રી ગિરિરાજપૂજન અને કુંજનો મનોરથ, તા. ૨૩-૪-ના શ્રી ગિરિરાજ તળેટીમાં ગૌચારણ અને ગૌચારણનો મનોરથ યોજાશે. દર્શન વલ્લભાચાર્યજીની હવેલી ખાતે દરરોજ સાંજે ૭:૧૫ કલાકે યોજાશે.
શ્રી ગિરિરાજ ગુણગાન કથાના પાવન અવસરો
શ્રી ગિરિરાજ ગુણગાન કથાના વકતા અમદાવાદના શાસ્ત્રી સમિતકુમમાર શર્મા દ્વારા તા. ૨૦-૪ રવિવારે શ્રી ગિરિરાજજી પ્રાગટ્ય અને વ્રજ આગમન, તા. ૨૧-, સોમવારે શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ તથા ભગવદીયના ચરિત્ર, તા. ૨૨-૪- મંગળવારે શ્રી ગોવર્ધનલીલા તથા અન્નકૂટ, તા. ૨૩-૪-,બુધવારે શ્રી ગિરિરાજજીની પરિક્રમા તથા મહાત્મ્ય રજૂ થશે. સમગ્ર આયોજન શ્રી ગિરિરાજધામ, મોહનભાઈ કોટેચા, તાજાવાલ વાડી, ફ્રેન્ડસ પેટ્રોલપંપ સામે કરવામાં આવ્યુ છે.
શ્રી આચાર્યચરણ પ્રાદુર્ભાવ મહોત્સવ
શ્રી આચાર્યચરણ પ્રાદુર્ભાવ મહોત્સવ અંતર્ગત તા. ૨૪-૪-૨૦૨૫ને ગુરુવારે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ સવારે ૯:૩૦ કલાકે, શ્રીના ફુલના પલના સવારે ૧૦:૩૦ કલાકે, શ્રીના તિલક આરતી-ફૂલમંડલી દર્શન રાજભોગથી આખો દિવસ શ્રી વલ્લભાચાર્યજીની હવેલી ખાતે યોજાશે.
શોભાયાત્રા
‘શ્રી વલ્લભાધિશકી જય’ના નાદ સાથે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા સાંજે ૫ વાગ્યે શ્રીનાથજીની હવેલી ખાતેથી પ્રારંભ થઈ ‘વલ્લભધામ’ ફીઝી છાત્રાલય વાઘેશ્વરી પ્લોટમાં ધર્મસભાના રૂપમાં પરિણમશે.
ધર્મસભા
આ સમગ્ર આયોજન દરમિયાન પોરબંદરના સમસ્ત વલ્લભકુલ પરિવાર -પૂજય આચાર્યચરણો કૃપા વિચારી પધારી વચનામૃત દ્વારા અનુગૃહિત કરશે. સાથોસાથ પૂ.ગો. શ્રી વસંતરાયજી મહારાજશ્રીની પ્રેરણાથી પ્રતિ વર્ષ ઉત્સવની સભામાં પોરબંદરની સેવાભાવી વિશિષ્ટ સંસ્થા અને વિશિષ્ટ વ્યક્તિને સન્માનવાની યાત્રામાં વિશિષ્ટ સંસ્થા તરીકે શ્રી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર અને વિશિષ્ટ વ્યક્તિ તરીકે પોરબંદરના સેવાભાવી ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરાનું સન્માન કરવામાં આવશે. સભાનું સંચાલન ચંદ્રીકાબેન તન્ના તથા પૂજાબેન રાજા કરશે. ધર્મસભાના વિરામ બાદ વૈષ્ણવોએ પોર્ટકોલોની ગ્રાઉન્ડ વાઘેશ્વરીપ્લોટ ખાતે મહાપ્રસાદનો લાભ અવશ્ય લેવા જણાવાયુ છે.
નિઃશુલ્ક મસાજ થેરાપી કેમ્પ
શ્રી વ્રજનિધિ પરિવાર સ્થાપના સમયેથી સન ૨૦૦થી અવિરત આજ દિવસ સુધી પૂ.ગો. શ્રી વસંતરાયજી મહારાજશ્રીની કરૂણામય પ્રેરણાથી ચાલતી સેવાયાત્રામાં આ વરસે તા. ૨૦-૪-૨૦૨૫ થી તા. ૨૩-૪-૨૦૨૫ સુધી મોહનભાઈ કોટેચા તાજાવાલા વાડી ખાતે બપોરે ૩:૩૦ થી ૭ વાગ્યા સુધી નિઃશુલ્ક મસાજ થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં હાથપગને લગતા તથા સાયટીકા, પેરેલીસીસના દર્દોનો કેમ્પ યોજાશે જેમાં જીતુભાઈ મદલાણી તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા સેવા આપવામાં આવશે.
શ્રી મહાપ્રભુજીના ઉત્સવદિને થનારી કરૂણામયી પ્રવૃત્તિઓ
શ્રી મહાપ્રભુજીના ઉત્સવદિને થનારી કરુણામયી પ્રવૃત્તિઓમાં તા. ૨૪-૪-૨૦૨૫ ગુરુવારે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ અને લેડીઝ હોસ્પિટલ, અંધુરુકુળમાં ફૂટ અને બિસ્કીટનું વિતરણ, રસીકબાપા રોટલાવાળા ટ્રસ્ટમાં અનાજ અને તેલ અર્પણ, ભીમનાથ મંદિર રેલ્વેસ્ટેશનમાં અનાજ અને તેલ અર્પણ, પ્રાગજીબાપા આશ્રમમાં અનાજ અને તેલ અર્પણ તથા શિશુકુંજમાં ભોજનપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ છે.
સમગ્ર ઉપક્રમના ભાગ્યવાન મનોરથીઓ
આ સમગ્ર ઉપક્રમના મનોરથીઓમાં લક્ષ્મીદાસ દેવજીભાઈ હિન્ડોચા, ગો.વા. મટુભાઈ ખુસાલદાસ, રાજકોટના ડો. રીનાબેન તથા નિતિનભાઈ લાલ, રાજકોટના લીલાવંતીબેન તથા પાબારી પરિવાર, રંજનબેન નટુભાઈ ઠકરાર, ચંપાબેન ભીખાલાલ મજીઠીયા, જશવંતીબેન મનસુખભાઈ લાખાણી, જ્યોતિબેન તથા જેન્તીભાઈ સચદેવ, લીલાવંતીબેન જમનાદાસ ઠકરાર, વનીતાબેન વ્રજલાલ કારીયા, રસિકભાઈ પોપટલાલ તન્ના, ભાવેશભાઈ રૂઘનાથભાઈ વિઠ્ઠલાણી તથા રતિલાલ કાલીદાસ કારીયાનો સહયોગ સાંપડયો છે.
શ્રી વલ્લભાચાર્યજી ઉત્સવ પોરબંદર કોર કમિટીના પંકજભાઈ મજીઠીયા, પ્રકાશભાઈ મોરઝરીયા, જગદીશભાઈ કોટેચા, પરેશભાઈ મદલાણી, શાંતિભાઈ પોપટ, કિશોરભાઈ રાણીંગા, અશોકભાઈ દેવાણી, કેશુભાઈ ગોજીયા, વિપુલભાઈ સોનેચા (મુંબઇ), કલ્પેશભાઈ પલાણ રાજકોટ, રાજુભાઈ જોષી, પરિમલભાઈ ઠકરાર, વેલજીભાઈ પુરોહિત, જગદીશભાઈ પુરોહિત, ભરતભાઈ રાજાણી, આનંદભાઈ દેવાણી, સુરેશભાઈ મોનાણી, વાપીના બાબુભાઈ મોરી, પ્રતાપભાઈ રાણીંગા, જેન્તી ભાઇ રાણીંગા, અલ્પેશભાઈ સામાણી, ધર્મેન્દ્રભાઈ જોષી, ચંદુભાઈ જોષી, જીમી જોષી, ડો. સુરેખાબેન શાહ, નંદદાસ કોટેચા વગેરે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે.