પોરબંદર માં બીમાર વૃદ્ધ માતા ને માસિક રૂ ૧૮ હજાર ભરણપોષણ ચુકવવા લંડન સ્થિત પુત્ર ને કોર્ટે હુકમ કર્યો છે.
પોરબંદર ના નરસંગ ટેકરી વિસ્તાર માં સાઈબાબા ના મંદિર સામે રહેતા જયાબેન ભૈરવસિંહ પુરોહિતે પુત્ર પરમ સામે કોર્ટ માં ભરણપોષણ માટે દાવો દાખલ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ વિધવા અને વયોવૃધ્ધ ઉંમરના છે. અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પરમ છે. બન્ને પુત્રી સાસરે છે. ત્યારે પુત્રના પણ લગ્ન થઇ ગયા છે. પરમ ૧૯ વર્ષથી લંડન મુકામે રહે છે. અને પ્રથમ પત્નીને દુઃખ ત્રાસ આપીને છોડી દીધા બાદ પોરબંદર ખાતે બીજા લગ્ન કર્યા હતા. અને બીજી પત્નીને પણ દુઃખ આપીને છોડી દીધી છે.
જયાબેન નીરાધાર અવસ્થામાં હોવા છતાં પરમે તેની કોઈજ દરકાર કે ખેવના લીધી ન હતી. સાતેક વર્ષ પૂર્વે પરમ લંડનથી પોરબંદર આવ્યો ત્યારે જયાબેનની અભણતા અને ભોળપણનો ગેરલાભ ઉઠાવીની બેંકમાં ખાતું ખોલાવવાનું કહીને કાગળ માં સહી લઇ તેના મકાન માંથી છેતરપીડીથી હકક ઉઠાવી લીધો હતો. અને બેંકમાં રહેલ સંયુકત નામની ફીકસ ડીપોઝીટમાં રૂા.૭,૫૦,૦૦૦ ની બે અલગ અલગ રસીદો માં જયાબેન સાથે છેતરપીડી કરીને સહીઓ કરાવી લીધી હતી. એટલું જ નહી જયાબેનની પુત્રી એ ગીફટમાં આપેલ સોનાના ચાર તોલાના પાટલા પણ સોનીની દુકાને વેચી નાખ્યા હતા. તેમજ જયાબેનના નામનું મકાન કે જેમાં તેઓ છેલ્લા ૨૭ વર્ષથી રહે છે. તે મકાન ખાલી કરાવવા માટે પરમે હોટલ માં ઉતરી મકાન ખાલી કરી આપવાની ધમકી આપતા તે અંગે જયાબેને પુત્ર સામે ગત તા.૫-૧૨-૨૩ ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અરજી પણ કરી હતી.
જયાબેન નીરાધાર હાલતમાં,ડાયાબીટીશ અને બીપી ની બીમારી થી પીડાય છે. અને વયોવૃધ્ધ ઉંમરના હોવા છતાં પુત્ર એ કોઈ ભરણ પોષણની વ્યવસ્થા ન કરતા તેઓએ ફેમીલી કોર્ટમાં વકીલ હર્ષ કે.લાખાણી મારફત અરજી કરતા કોર્ટે આધાર પુરાવાઓ તેમજ અરજદાર તરફે વકીલની રજુઆતો ધ્યાને લઈને તા.૯-૧-૨૪ ના અરજીની તારીખથી જયાબેન ને માસીક રુા.૧૮,૦૦૦ ચુકવવાનો હુકમ કર્યો છે.