Sunday, June 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટ સામે ખંડણી ની વધુ એક પોલીસ ફરિયાદ

રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટે બાંધકામ ગેરકાયદે થતું હોવાનું જણાવીને નગરપાલિકામાં અરજી કર્યા બાદ કન્સ્ટ્રકશનના ધંધાર્થી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાણાવાવમાં કન્યાશાળા પાસે રહેતા અને ભંગારનો ડેલો ઉપરાંત કન્સ્ટ્રકશનનું કામ કરતા ટપુભાઈ બાબુભાઈ કમાણી(ઉવ ૬૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રાણાવાવના સ્નેલ રોડ પર આવેલ જુનું મકાન કે જેના માલિક આફ્રિકા રહેતા હોવાથી પાવર ઓફ એટર્ની ધારક પાસે થી તેણે વેચાતું લઇ સબ રજિસ્ટર કચેરીમાં તા. ૫-૪-૨૦૨૩ના દસ્તાવેજ કરાવ્યો હતો.ત્યાર બાદ બાંધકામની મંજૂરી મુજબ નવુ બાંધકામ શરૂ કર્યુ હતુ અને તે પૂર્ણતાના આરે હતુ ત્યારે ત્રણ મહિના પહેલા આશાપુરા ચોક માં જૂની પોસ્ટ ઓફીસ પાસે રહેતા આર ટી આઈ એક્ટીવીસ્ટ વિનોદ હેમરાજ પરમારે તેનું બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવી તે રોકાવવા અરજી કરશે તેવું જણાવતા ટપુભાઈ એ બાંધકામ કાયદેસર હોવાનું જણાવતા વિનોદે “સમય આવશે ત્યારે હું તમને કહીશ કે તમારું બાંધકામ કેટલુ સાચુ છે” તેવી ધમકી આપી હતી.

આથી ટપુભાઈએ આ બાબતે મિત્ર અનિશ બચુમીયા પીરજાદાને વાત કરતા તેણે નગરપાલિકા માં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિનોદે ટપુભાઈ ના બાંધકામ અંગે અરજી કરી હતી આથી ટપુભાઈ એ અનીશને વિનોદ હેરાન ન કરે તે માટે સમજાવવા પ્રયત્ન કરવાનું કહેતા અનીશે એવું જણાવ્યું હતું કે વિનોદ અરજી પરત ખેંચવાના ૫ લાખ માંગે છે ત્યાર બાદ ગત તા. ૨૧-૩ના ટપુભાઈ અને અનિશ બાંધકામ સ્થળે હતા ત્યારે વિનોદે ત્યાં આવી અને ‘તમારું બાંધકામ ખોટુ છે અને નગરપાલિકામાંથી અરજી ખેંચાવવી હોય તો તમારે મને છેલ્લા સાડા ત્રણ લાખ રૂપિયા આપવા પડશે.’ તેવી બળજબરી કરી હતી અને કહ્યુ હતુ કે, ‘હું તમને આ કામમાં નડીશ નહી અને અરજી પણ પાછી ખેંચી લઇશ , ગામમાં સિરાજ જોડીયાવાલાને પૂછી લેજે તેને મેં બાંધકામમાં કેવી તકલીફ પાડી હતી .’ તેવું જણાવતા ટપુભાઈને બાંધકામ અટકી જશે તેવો ડર લાગતા સાડા ત્રણ લાખ રૂપિયા ખંડણીના આપવાની હા પાડી હતી અને અનીશ મારફતે સાડા ત્રણ લાખ રૂા. તા. ૨૧-૩-૨૫ના બપોરે મોકલી દીધા હતા ત્યાર બાદ વિનોદે અરજી પરત ખેંચી લીધી હતી આથી વિનોદ સામે ફરિયાદ નોંધાવી છે.

આર ટી આઈ એક્ટીવીસ્ટ સામે ૧૫ દિવસ માં ખંડણી અંગે બીજી ફરિયાદ
વિનોદ પરમાર સામે પંદર દિવસ પૂર્વે પોરબંદરના લાતીબજારમાં રહેતા વેપારીએ મિલ્કત સંબંધે અરજીઓ ન કરવા અને કરેલી અરજીઓ પરત ખેંચી લેવા ચાર લાખ રૂ ની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યાં વધુ એક ફરિયાદ નોંધાતા સમગ્ર પંથક માં ચકચાર મચી છે.

અરજીઓ કરી પૈસા પડાવવા નો વ્યવસાય
પોરબંદર જીલ્લા માં આવા કેટલાક ફૂટી નીકળેલા આરટી આઈ એક્ટીવીસ્ટ છે જે બહુમાળી બિલ્ડીંગ બનતું હોય ત્યાં ફોટા પાડી મહાનગરપાલિકા માં અરજીઓ કરી બાંધકામ કરનાર પાસે અરજી પરત લેવાના નામે મોટી રકમ નો તોડ કરી રહ્યા છે પરંતુ બિલ્ડરો ભય ના કારણે આગળ આવતા નથી ત્યારે પોલીસે પણ આવા ખંડણીખોર નો ભોગ કોઈ બન્યું હોય તો આગળ આવવા અપીલ કરી છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે