Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના ઠોયાણા ગામે નકલંક ધામમાં 52 ગજ નેજા મહોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ:અનેકવિધ કાર્યક્રમ યોજાશે

અઢારે વરણ અને બારેય આલમમાં પૂજનીય નકલંક નેજા ધારી રામદેવપીરના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકાના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગ્રામજનોના ઉમળકા ભર્યા સહકારથી રામાપીરના નેજા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અહીં સર્વકાર્ય બાપા રામદેવપીરની ઈચ્છાથી થાય છે, ઠોયાણા ગામની બજારો અને ગલીઓ સાફ સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવી રહી છે. લોકો રામદેવ પીરમાં લીન બની બાપાનો નેજો જ્યાંથી પસાર થવાનો છે, તે બધી ગલીઓ અને આખું ગામ તોરણ અને તાલાથી સુશોભિત કરવામાં આવી રહ્યું છે. રામદેવ પીર બાપાની ધ્વજાપતાકા આખા ગામમાં લગાવવામાં આવી રહી છે, લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી એટલે કે ભાદરવા સુદ નોમ અને ગુરુવાર તા.12/09/2024 ના રોજ ઉમળકા ભેર ઊજવવામા આવશે. નેજો ચઢાવવા કચ્છની મેકરણ દાદાની જગ્યાના મહંત શ્રી ગોપાલદાદા (ધુણાવારો અખાડો) તથા હરિદાદાની ખાસ ઉપસ્થતિ રહશે.

આ પ્રસંગે કુતીયાણાના ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મહેર અગ્રણી સામતભાઇ ઓડેદરા, ભાણવડના મહેર અગ્રણી મેરામણ આતા, હિરલબા જાડેજા, પોરબંદરના ખ્યાતનામ ડો. પારસ મજીઠીયા (મનન હોસ્પિટલ), મહેર શક્તિ સેના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા, ઠોયાણા આવળ આશ્રમના સાધુશ્રી સુધાગીરી બાપુ પીરના નેજા મહોત્સવમા સહભાગી બનશે.

ઠોયાણા ગામે નકલંક ધામ તથા સમસ્ત ગામજનોના સહકારથી નંકલંક નેજા ધારી રામદેવ પીરના નેજાના સામૈયા અને શોભાયાત્રા ઠોયાણાથી બે કિલોમીટર દૂર આવેલ ટીમ્બાના મા આવડ માતાના આશ્રમથી ડીજેના તાલે સવાર ના સાત વાગ્યાથી નેજાના સામૈંયા બળદ ગાડા અને ઘોડા સાથે નીકળશે.

ડાલીબાઈ પરિવાર દ્વારા બાપાના નેજાના રસ્તાનામાં આસ્થાભેર અને સમગ્ર પરિવાર જોડાઈને ધામધુમથી વધાવશે અને નેજા સાથે નકલંક ધામ પધારશે. જેમા ઠોયાણા ગામના સર્વે ધર્મપ્રેમી જનતા તથા મહેમાનો આસ્થાભેર જોડાશે તેમજ સામૈંયામા ગૂગળના ધુપના ધુંવાડે રામદેવ પીરના નારા અને ભજનકીર્તન સાથે શોભાયાત્રામાં યુવા ભાઈ બહેનો ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવતા બોલાવતા આખા ગામ માંથી નીકળશે, ત્યારબાદ ઠોયાણા નકલંક ધામ પહોંચશે, જ્યાં પધારેલ મહાનુભાવોના વરદહસ્તે રામદેવ પીરના નેજા ચઢાવવામાં આવશે, ત્યાર બાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવામા આવશે.

રાત્રીના સમયે ખ્યાતનામ કલાકારો પોતાની આગવી વાણીમાં સંગીત સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવશે, સાંજના સૌરાષ્ટના પ્રખ્યાત કલાકારો એવા હિતેશ ઓડેદરા, રમેશ ઓડેદરા, અને વિજય ઓડેદરા તેમજ લોક સાહિત્યકાર રાજવીર ઓડેદરા તેમજ નામી અનામી કલાકારો પોતાની કલા બાપાને ચરણે ધરશે અને રાસ ગરબાની રમઝટ બોલાવશે. તેમજ કલાકારો રામદેવપીર બાપાની ધૂન ગાશે અને બાપા પ્રત્યક્ષ રમવા આવશે અને ઉકળતી દેગ ઉતારશે, દેગ જમશે (દેગ દર્શન) રાખવામા આવશે.

બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બને તે માટે નકલંક ધામ ઠોયાણા સૌ ભક્ત સમુદાયને જાહેર આમંત્રણ પાઠવે છે

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે