Sunday, June 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની દિવ્ય ઉજવણી કરાઈ

પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભકતો દર્શન અર્થે ઉમટી પડયા હતા.

પોરબંદર ના સત્યનારાયણ મંદિરે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દર્શન સવારે ૮ વાગ્યાથી ખુલ્લા મુકાયા હતા ત્યારથી રાજભોગની આરતી ૧૧:૩૦ વાગ્યે થઇ ત્યાં સુધી ખુલ્લા રહ્યા હતા. ત્યાર બાદ બપોરે ૪ વાગ્યાથી રાતના ૮:૩૦ વાગ્યા સુધી ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. એકતા લેડી ગૃપ, લોહાણા મહિલા મંડળ ગૃપ વગેરે બધાએ હાજરી આપી મનોરથમાં ઉત્સાહ વધારી દીધો હતો.ઉપરાંત જીલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા દર્શન ઉપરાંત સત્સંગ નું પણ આયોજન કરાયું હતું. આ મનોરથને સફળ બનાવવામાં સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી શીલાબેન ભરતભાઈ માખેચાના માર્ગદર્શન સાથે મંદિરના સ્ટાફે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે