પોરબંદર માં 4 દીવસ પૂર્વે પતી એ સંતાનો સાથે કાઢી મુકતા ઠેર ઠેર ભટકી રહેલી મહિલા એ ૧૮૧ અભયમ ટીમ ની મદદ માંગી હતી આથી ટીમ દ્વારા તેના પતી સાથે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
પોરબંદર શહેર માંથી મહિલા એ ૧૮૧ અભયમ ટીમ પાસે જઈ ને તેના પતિએ નાની એવી વાત લઈને છેલ્લા ચાર દિવસથી બન્ને સંતાનો સાથે ઘરેથી કાઢી મુકયા હોવાથી પતિ ને સમજાવા માટે મદદ માંગી હતી. આથી ૧૮૧ ટીમે મહિલાને સાંત્વના આપી કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પતિ તેના તથા પુત્રી પર ખોટી શંકાઓ કરી માનસિક ત્રાસ આપે છે. તથા મારવાની ધમકી આપી હેરાનગતિ કરે છે. પતિ કાંઈ કામધંધો કરતા નથી મહિલા તથા તેનો પુત્ર મજુરી કામ કરી ઘરનુ ગુજરાન ચલાવે છે.
પતિ ને નશો કરવાની આદત હોવાથી જયારે પણ નશો કરીને ઘરે આવે ત્યારે અપશબ્દ બોલી ટોર્ચર કટો હતો. ચાર દિવસ પહેલા પતિ સુતા હોવાથી મહિલા એ તેને જમવા માટે ઉઠાડ્યા ન હતા. અને તેઓએ જમી લીધુ હતું. જેથી ઉશ્કેરાઈ ને પતી એ અપશબ્દ બોલી હેરાનગતિ કરી હતી. અને સામાન લઇ ને જતા રહેવાનું કહેતા મહિલા બન્ને સંતાનો સાથે ચાર દિવસ થી ઘરેથી નીકળી ગઈ હતી. અને આમતેમ ભટકીને ચાર દિવસ પસાર કર્યા હતા. અને ૧૮૧ ની વેન જોઈને તેઓની મદદ માટે આવી હતી આથી અભયમ ટીમે મહિલા ને સંતાનો સાથે તેના ઘરે લઈ જઈને તેના પતિ ને સમજાવ્યા હતા. અને કાયદાકીય સમજણ આપી બન્ને પક્ષ ને સામસામે બેસાડી ગેરસમજ દુર કરીને બાળકોના ભવિષ્ય વિશે સમજણ આપી ને સુખદ સમાધાન કરાવ્યું હતું.