રાણાવાવ ગામે અધ્યતન જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે.જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
શ્રી જયજલારામ સેવામંડળ ટ્રસ્ટ રાણાવાવ દ્વારા પૂજ્ય શ્રી જલારામબાપાના નવનિર્માણ મંદિરનો ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા એવં પંચકુંડી મહાવિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવ તા. ૨૫-૬ને બુધવારથી તા. ૨૭-૬ શુક્રવાર સુધી યોજવામાં આવશે જેમાં ત્રણ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયુ છે.રાણાવાવના ગોપાલપરામાં યોજાનાર આ વિવિધ કાર્યક્રમોમાં વિશાળ સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટશે.
ત્રિ-દિવસીય કાર્યક્રમ
આ અવસરે આયોજીત પાવન પ્રસંગોમાં બુધવાર તા. ૨૫-૬-૨૦૨૫ના સવારે ૯ વાગ્યાથી દેહશુધ્ધિ, ગણેશપૂજન, સ્વિસ્તિ પુણ્ય વાચન, બપોરે ૧૨ વાગ્યે મંડપસ્થાપન, અગ્નિસ્થાપન, સ્થાપિત દેવતાપૂજન યોજાશે તો ગૃહશાંતિ બપોરે ૩:૩૦ થી ૫ વાગ્યા સુધી યોજાશે. નગરયાત્રા (શોભાયાત્રા) સાંજે પાંચ વાગ્યેથી ભગવાનજીભાઈ જીવરાજભાઈ રાયચુરાના નિવાસ સ્થાનેથી વાઘેશ્વરી ચોક, આશાપુરાચોક, જલારામમંદિરે પૂર્ણ થશે. ત્યારબાદ સાંજે ૮ વાગ્યે રાણાવાવની સોરઠીયા પ્રજાપતિ વાડી ખાતે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ છે.રાત્રે ૧૦ વાગ્યે સેનેટરી પાર્ટીપ્લોટ, શક્તિ હોસ્પિટલ પાસે સ્ટેશન રોડ પર ભવ્ય લોકડાયરો તથા ભજનસંધ્યાનું આયોજન થયુ છે જેમાં પૂનમબેન ગોંડલીયા, (લોક સાહિત્યકાર) પોપટભાઇ માલધારી રંગ જમાવશે.
ગુરુવારે તા. ૨૬-૬-૨૦૨૫ના સવારે ૯ વાગ્યે ગણેશપૂજન, સ્થાપિત દેવતા પૂજન બાદ જ્ઞાતિભોજન બપોરે ૧ વાગ્યે સોરઠીયા પ્રજાપતિ વાડી ખાતે યોજાશે. જલયાત્રા બપોરે ૩:૩૦ કલાકે, ધાન્યાદિવસ, શયનાદિવસ સાંજે ૫થી ૭ કલાકે યોજાશે. પ્રસાદી સાંજે ૮ વાગ્યે સોરઠીયા પ્રજાપતિ વાડી ખાતે યોજાશે. તો રાત્રે ૧૦ વાગ્યે સેનેટરી પાર્ટી પ્લોટ સ્ટેશન રોડ ખાતે દાતાઓના સન્માન સમારંભ તથા ભવ્ય લોકડાયરો તથા જલારામબાપાના જીવનના તત્ત્વજ્ઞાનની વાતો લોકસાહિત્યકાર તથા મોટીવેશનલ સ્પીકર પારસ પાંધી પ્રસ્તુત કરશે.
શુક્રવાર તા. ૨૭-૬-૨૦૨૫ના સવારે ૯ થી ૧૦:૩૦ કલાકે ગણેશપૂજન, જલાદિવાસ, સવારે ૧૦:૩૦ કલાકે મૂર્તિન્યાસ, શિખર અભિષેક યોજાશે તો બપોરે ૧૨ વાગ્યે જલારામબાપાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારબાદ મહાપ્રસાદ બપોરે એક વાગ્યે અને સાંજે સાત વાગ્યે સોરઠીયા પ્રજાપતિવાડી ખાતે મહાપ્રસાદી યોજાશે તો બપોરે ૩:૩૦ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ તથા બીડુ હોમ યોજાશે. યજ્ઞના આચાર્ય પપ્પુઅદા (રાણાવાવ) છે.
સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં પોરબંદરની હવેલીના પ.પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રી, તથા પોરબંદરની હવેલીના પ.પૂ.ગો. ૧૦૮ શ્રી જયગોપાલ લાલજી (જયવલ્લભજી) (સંદેશરૂપી ઉપસ્થિતિ), અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ અને-નકલંગધામ તોરણીયા હરિદ્વાર અને રામદેવડાના પ.પૂ. ધર્મભુષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ, ચનવાડાના લઘુમહંત અને અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પ.પૂ. માનસરોવરદાસ બાપુ, વછરાજધામ રાણાવાવના ભુવાઆતા પ.પૂ. શ્રી જગદીશ આતા ઉપસ્થિત રહેશે. તથા મુખ્ય મહેમાનોમાં રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ ધંધલભાઈ જાડેજા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ભુતીયા ઉપસ્થિત રહેશે.
મુખ્યદાતા તથા મનોરથી પરિવાર
આ સમગ્ર આયોજનમાં મુખ્યદાતા તથા મનોરથી પરિવાર તરીકે સ્વ. જીવરાજભાઈ જુઠાભાઈ રાયચુરા, સ્વ. નાથીબેન જીવરાજભાઈ રાયચુરા, સ્વ. રણછોડદાસ જીવરાજભાઈ રાયચુરા, સ્વ. પાર્વતીબેન રણછોડદાસ રાયચુરા, ભગવાનજીભાઈ જીવરાજભાઈ રાયચુરા, સરલાબેન ભગવાનજીભાઇ રાયચુરા, અશ્વિનભાઈ ભગવાનજીભાઈ રાયચુરા, હીનાબેન અશ્વિનભાઈ રાયચુરા, અતુલભાઇ ભગવાનજીભાઇ રાયચુરા, મીતાબેન અતુલભાઈ રાયચુરા, રાજેશભાઈ ભગવાનજીભાઈ રાયચુરા, ભાવિકાબેન રાજેશભાઈ રાયચુરા, યશભાઈ અશ્વિનભાઈ રાયચુરા, ક્રિશભાઈઅશ્વિનભાઈ રાયચુરા, જીહાનભાઈ અતુલભાઈ રાયચુરા, માનવભાઈ અતુલભાઈ રાયચુરા, શુભમભાઈ રાજેશભાઈ રાયચુરા, મીનાબેન ગોપાલભાઈ છગ, હર્ષભાઈ ગોપાલભાઈ છગ, જલ્પાબેન હર્ષભાઈ છગ, રીયાબેન ગોપાલભાઈ છગ, પ્રિન્સીબેન હર્ષભાઈ છગ તથા વિહાનભાઈ રાજેશભાઈ રાયચુરા તથા સ્વ. જાદવજીભાઇ જીવનભાઇ રતનધારીયા, સ્વ. નર્મદાબેન જાદવજીભાઈ રતનધારીયા, સ્વ. કાંતિભાઈ જાદવજીભાઈ રતનધારીયા,
.ટ્રસ્ટીમંડળ દ્વારા જહેમત
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પંકજભાઈ બી. ખીલોચીયા, જયસુખભાઈ આર.રાયચુરા, અશોકભાઈ કે. ગંડેચા, હસમુખભાઈ એમ. માખેચા, રિતેનભાઈ આર. રતનધારીયા, મુકેશભાઈ ડી. ધામેચા, અશ્વિનભાઈ બી. રાયચુરા, મહેશભાઈ વી. મજીઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે સહુ ભકતોને કાર્યક્રમનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવાયુ છે.