Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો આધારિત ચિત્ર પ્રદર્શન અને સ્પર્ધા યોજાયા

પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા ભગવાન શ્રીરામ ના જીવન પ્રસંગો આધારિત ચિત્ર પ્રદર્શન અને સ્પર્ધા યોજવામાં આવ્યા હતા.

પોરબંદર ની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે રોટરી ક્લબ દ્વારા અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો પર આધારિત ચિત્ર પ્રદર્શન અને તેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ત્રીસથી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. દરેક ઉભરતા કલાકાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ભેટ તથા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, નગરપાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તથા રોટરી ક્લબ ના પ્રમુખ રો.અશ્વિનભાઈ ચોલેરા દ્વારા આપવામાં આવ્યા હતા.

આ પ્રદર્શનમાં અયોધ્યા ના શ્રીરામ મંદિર ની વિશાળ અને આકર્ષક રંગોળી હીનાબેન ગજ્જર ની ટીમ દ્વારા બનાવવામાં આવી હતી.આ ઉત્સવ ને સફળ બનાવવા રો. દિવ્યેશ સોઢા, રો. કેતન પારેખ, રો. કપિલ કોટેચા તથા ઈનોવેટીવ ગ્રુપ ના બલરાજભાઈ પાડલીયા અને દિનેશભાઈ પોરીયા સહિત ના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે