Friday, May 30, 2025

|| तुम रक्षक काहू को डरना ||

બગવદર પંથક ની સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ આચરવા મામલે કુતિયાણા ના શખ્સને ૨૦ વર્ષની સખ્ત કેદ ની સજા

બગવદર પંથક ની સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આરોપી ને ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા અને ૨૮ હજાર નો દંડ ફટકાર્યો છે.

કુતિયાણા અન માંજા વિસ્તાર માં રહેતા સુનિલ ભીખુભાઇ પરમાર નામના શખ્સે ગત તા.૧૯/૧૧/૨૦૨૧ ના રોજ ફરિયાદીની સગીર વયની દિકરીની અણસમજુતા તથા ભોળપણનો લાભ લઇ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે બાઈક માં અપહરણ કરી પ્રથમ કુતીયાણા ખાતે તેના ઘરે લઇ જઈ ભોગ બનનારની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર પછી સગીરા ને લઇ જુનાગઢ ગયો હતો ત્યાંથી બરોડા લઇ ગયો હતો. ત્યાં તેઓ ઝુંપડામાં રહેતા હતા. તે દરમિયાન પણ સગીરા ની મરજી વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

જે મામલે સગીરા ના વાલી એ બગવદર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટ માં ચાલી જતા પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા ૪૪ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૬ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણ દવારા આરોપી સુનીલ ને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૮,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે