Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર-ભાવનગર ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ આપવાની માંગણી સાથે આજે મંગળવારે રાણાવાવ રેલ્વે ખાતે અનશન યોજાશે

પોરબંદર-ભાવનગર ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ અપાયો ન હોવાથી આ માંગણી વહેલીતકે સંતોષવા ની માંગ સાથે આજે મંગળવારે રેલ્વે સ્ટેશન ખાતે ધરણા અને અનશન યોજાશે.

રાણાવાવ વેપારી મહામંડળ દ્વારા રેલ્વેના ડી.આર.એમ.ને આવેદન પાઠવી જણાવ્યુ છે કે ભાવનગર-પોરબંદર ટ્રેન ને રાણાવાવ રેલ્વે સ્ટેશનને સ્ટોપ આપવામાં આવે તો રાણાવાવ તાલુકો અને રાણાવાવ શહેર ની ૧.૫૦ લાખથી વધારેની વસ્તી ને ફાયદો મળે તેમ છે. અને પોરબંદર સુધી જવુ ન પડે તેથી ભાવનગર-પોરબંદર ટ્રેન-રાણાવાવ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માટે અગાઉ પણ અરજીઓ કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઇ કાર્યવાહી થઇ નથી.

તાલુકાના વેપારીઓ અને લોકોને ભાવનગર ગુજરાત રાજ્યનું મોટુ શહેર હોવાથી વેપારી બાબતો વગેરે માટે અવારનવાર ભાવનગર જવાનું થતુ હોવાથી વેપારીઓ તથા સામાન્ય જનતાને ઘણો લાભ થાય તેમ હોઇ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો તથા વેપારીઓ દ્વારા આજે મંગળવારે એક દિવસના અનશન નું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યા માં ગ્રામજનો અને વેપારીઓ જોડાશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે